Tuesday, January 20, 2026

અમદાવાદમાં બુટલેગરો બેફામ, દારૂ ભરેલી ગાડીએ પોલીસ વાનને મારી ટક્કર, ASIનું મોત

spot_img
Share

અમદાવાદ: અમદાવાદ શહેરમાં બુટલેગરો બેફામ બન્યા છે. બુટલેગરોને હવે કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર રહ્યો ન હોય તે પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે આજે બુટલેગરોથી પોલીસ પણ સુરક્ષિત નથી તેમ લાગી રહ્યું છે અમદાવાદના કણભામાં બુટેલગરે દારુ ભરેલી કારથી પોલીસની કારને ટક્કર મારી હતી. અને આ ટક્કર એટલી જોરદાર હતી કે તેમાં એક ASIનું મોત નિપજ્યું છે અને અન્ય એક પોલીસ કર્મી ઘાયલ થયો છે. જો કે પોલીસની ગાડીને ટક્કર મારીને બુટલેગર ફરાર થઈ ગયો છે.

સમગ્ર ઘટનાની વાત કરીએ તો, અમદાવાદ જિલ્લાના કણભામાં આ ઘટના બની છે. કણભા માં પોલીસ ની ગાડી ને ટક્કર મારીને બુટલેગર ફરાર થઈ ગયો છે. આ ઘટનામાં ASIનું મોત નિપજ્યુ છે જ્યારે અન્ય એક પોલીસકર્મી પણ ગંભીર રીતે ઘવાયા છે. કણભા પોલીસમાં ફરજ બજાવતા ASI બળદેવજી ઠાકોરનું મોત નિપજ્યું છે. બુટલેગરની ગાડીમાં ચિક્કાર દેશી દારૂ ભરેલો હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટના બાદ પોલીસ તંત્ર એકદમથી એકશન મોડમાં આવી ગયું છે.

ખાસ કરીને કણભામાં બનેલી આ ઘટના બાદ અમદાવાદ જિલ્લાની ગ્રામ્ય પોલીસે આરોપીને પકડવા ટીમો કામે લગાવી લીધી છે. જોકે, અહીં એક વાત તો ચોક્કસ છેકે, છેલ્લાં કેટલાંક સમયથી ગુજરાતમાં બુટલેગરો સાવ બેફામ બન્યા છે. તેમને કાયદો કે પોલીસનો કોઈ ભય રહ્યો નથી. હાલ આ મામલામાં પોલીસ દ્વારા હત્યા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અને આરોપીને પકડવા માટે તંત્ર દોડતું થયું છે.

પોલીસ પર હુમલાનો આ બનાવ પહેલો નથી. આ અગાઉ પણ 5 જાન્યુઆરીએ સુરેન્દ્રનગરના ઝીંઝુવાડામાં PSI સહિત પોલીસ જવાનો પર જીવલેણ હુમલો થયો હતો. ઝીંઝુવાડામાં આરોપીને લઈ જઈ રહેલા પોલીસ અધિકારી પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીને લઈ જતી વખતે ટોળાએ PSIને છરીના ઘા ઝીંક્યા હતા. અન્ય 2 પોલીસકર્મીઓ પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. ટોળાના હુમલા દરમિયાન આરોપીઓ ફરાર થયાં હતાં અને PSI સહિત 2 કર્મીઓને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...