Friday, March 13, 2026

AMCના એસ્ટેટ વિભાગના વોર્ડ ઈન્સ્પેક્ટર સુનિલ રાણા સસ્પેન્ડ ! આવક કરતાં 300 ગણી મળી વધુ મિલકત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુ કોર્પોરેશન એસ્ટેટ વિભાગના (AMC)ના ક્લાસ-2 અધિકારી સુનીલકુમાર રાણા (Sunil Rana) વિરુદ્ધ એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ અપ્રમાણસર મિલકત અંગે ગુનો નોંધ્યો હતો. AMCના અધિકારી સુનીલકુમાર રાણા પાસે છેલ્લા 10 વર્ષમાં પગારની આવક કરતા વધુ મિલકત મળી આવતા ACBએ મોટી કાર્યવાહી કરી હતી. ત્યારબાદ હવે AMC મ્યુનિસિપલ કમિશનર એમ. થેનારેસન દ્વારા સુનિલ રાણાને સસ્પેન્ડ કર્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ મ્યુ કોર્પોરેશન(AMC)ના વોર્ડ ઇન્સ્પેક્ટર સુનિલ રાણા વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ થયો છે. તપાસમાં સત્તાવાર કરતા 306 ટકા વધુ મિલકત હોવાનો ઘટસ્ફોટ થયો છે.તેમની પાસેથી 2.75 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી છે.ઉલ્લેખનિય છે કે કેટલીક સંપતી પત્ની-સંતાનોના નામે હોવાનું સામે આવ્યું છે. વૈષ્ણોદેવી વિસ્તારમાં સુનિલ રાણાનો ફ્લેટ છે ઉપરાંત જસમીન ગ્રીન-1માં બ્લોક Cના 503 લક્ઝુરીયસ ફ્લેટ છે. આ ફ્લેટ પત્ની મનીષા રાણાના નામે હોવાનો ખુલાસો થયો છે. અલગ અલગ બેંકમાં સુનિલ કુમારે 1.50 કરોડની રકમ જમા કરાવી હતી. ACBએ તમામ એકાઉન્ટ ફ્રિઝ કર્યા છે.

સુનીલ રાણા વિરુદ્ધ ACBએ કાયદેસરની કાર્યવાહી કરતા અન્ય લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સુનીલ રાણા AMCના શાહપુર વોર્ડના ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતો હતો. તેમની પાસેથી વર્ષ 2010થી 2020 સુધીના 10 વર્ષમાં પગારની રૂપિયા 65.41 લાખની આવક કરતા 306 ટકા વધુની મિલકત મળી આવી છે. સુનીલ રાણાની પત્ની અને દિકરાના નામે ત્રણ મકાન અને 1.50 કરોડની ફિક્સ ડિપોઝિટ સહિત રૂપિયા 2.75 કરોડની અપ્રમાણસર મિલકતો મળી આવી હતી, જેના પગલે ACBએ કાર્યવાહી કરીને ગુનો નોંધ્યો છે. ત્યારબાદ હવે AMC મ્યુનિસિપલ કમિશનર એમ. થેનારેસન દ્વારા સુનિલ રાણાને સસ્પેન્ડ કર્યા છે.

તો આ સમગ્ર મામલે જમાલપુર ખાડીયા વિધાનસભાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનું મોટું નિવેદન આપ્યું છે. સમગ્ર ગુજરાતમાં 50 કલાસ 1 અને 2 ના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારની તપાસ અંગે સરકારમાં અરજી ગઈ છે. જો કે IAS, IPS અને GAS કક્ષાના અધિકારીઓ સામે તપાસ માટે સરકાર મંજૂરી આપતી નથી, સુનિલ રાણા નાની માછલી છે,મોટા મગરમચ્છ હજી બહાર ફરે છે,આગામી વિધાનસભામાં હું આ અંગે બિલ લાવવા માંગણી કરવાનો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...