Friday, January 23, 2026

અમદાવાદમાં દોડશે ડબલ ડેકર બસ, આ વિસ્તારોમાં મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવાશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ટ્રાન્સપોર્ટ મેનેજર આર્જવ શાહ દ્વારા વર્ષ 2024-25 નું રૂા. 641 કરોડનું બજેટ જાહેર કરવામાં આવ્યું હતું. અમદાવાદના મેમનગર, અખબારનગર અને આરટીઓ પાસે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવા માટે બજેટ ફાળવાયું હતું. આ સાથે જ પ્રથમ તબક્કામાં 7 ઈલેક્ટ્રીક ડબલ ડેકર બસો શરૂ કરાશે. 7 જેટલી ડબલ ડેકર બસ પ્રથમ તબક્કામાં શરૂ કરાશે.

અમદાવાદ વાહન વ્યવ્હારનો મહત્વનો ભાગ ગણાતી AMTS બસનું વર્ષ 2024-25નું રૂપિયા 641 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. શહેરના નાગરિકોને AMTS, BRTS અને મેટ્રોની કનેક્ટિવિટી મળી રહે તેના માટે મેમનગર, અખબારનગર અને આરટીઓ ડેપો ખાતે મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત જે રૂટ પર મુસાફરોનો ઘસારો વધુ હશે તે રૂટ પર સાત જેટલી ડબલ ડેકર AC બસ પ્રથમ તબક્કામાં શરુ કરવામાં આવશે. આ સિવાય દૈનિક AMCની કુલ 1052 પૈકી 1020 બસો ઓન રોડ દોડશે, જેમાં 895 બસ ખાનગી ઓપરેટરની દોડશે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીની 125 બસો છે પરંતુ આ બસોને ખાનગી ઓપરેટર દ્વારા ચલાવવામાં આવે છે. શહેરમાં હવે ઈ-બસ, CNG બસ પણ દોડશે જ્યારે હવે AMTSની ડીઝલ બસો દૂર થશે.

AMTS દાયકાઓ બાદ ફરી ડબલ ડેકર બસ અમદાવાદમાં દોડાવશે. નવા બજેટને લઇને રસ્તા પર પ્રતિદિન 1020 બસો દોડશે. AMTS માલિકીની ફક્ત 125 બસો દોડાવાશે જ્યારે 895 બસો કોન્ટ્રાક્ટ પર ચલાવવામાં આવશે. જોકે આ વર્ષે દેવું ઘટાડવાને લઇને બજેટમાં કોઇ ખાસ જોગવાઇ કરવામાં આવી નથી.AMTS પર ગત વર્ષે 410 કરોડનું દેવું હતું જેમાં આ વર્ષે 12 કરોડનો વધારો થયો છે. તેમજ ક્યુઆર કોડ સ્કેન કરવાથી તમામ રૂટની માહિતી પેસેન્જરને મળી શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...