Friday, January 16, 2026

અમદાવાદ એરપોર્ટ પર બોક્સમાં બોમ્બ હોવાની અફવા ફેલાવનાર આરોપીની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદનું એરપોર્ટ કોઈના કોઈ બહાને ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલાં પાર્કિંગ બાબતે માથાકુટો ચર્ચામાં હતી. ત્યાર બાદ રનવેના હિસાબે એરલાઈન્સના ટ્રાફિકના કારણે આ એરપોર્ટ ચર્ચામાં હતું. પરંતુ આ વખતે એક અફવાના કારણે આખું એરપોર્ટ સનસની ગયું હતુ. અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિએ એરપોર્ટ પર પોલીસ ચેકિંગ દરમિયાન એક બોક્સમાં બોમ્બ હોવાની વાત કરી હતી. જેને લઇને પોલીસ દોડતી થઇ ગઇ હતી. આ વ્યક્તિએ બોક્સમાં બોંબ હોવાનું કહી સુરક્ષાકર્મીઓને દોડતા કર્યા હતા.

આ અંગે મળતા રિપોર્ટ મુજબ, અમદાવાદ એરપોર્ટ પરથી શાહઝેબ ઈરફાન અહમદ નામના વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે. આ વ્યક્તિ ઉત્તર પ્રદેશના અમરાહાનો રહેવાસી હોવાનું સામે આવ્યુ છે. શાહઝેબ ઈરફાન વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પરથી દિલ્હી જઇ રહ્યો હતો. આ દરમિયાન સુરક્ષાકર્મીઓ તેના સામાની તપાસ કરી રહ્યા હતા. તપાસમાં સુરક્ષાકર્મીઓએ તેની પાસે રહેલા થર્મોકોલ બોક્સમાં છે તે અંગે પૂછ્યુ હતુ. તેને આ બોક્સમાં રાખેલા સામાન અંગે પુછવામાં આવતા ગુસ્સા સાથે બોક્સમાં બોમ્બ હોવાનું જણાવ્યુ હતું.

વાસ્તવમાં આ બોક્સમાં ખોરાક સહિતની કોઇ વસ્તુ હોય તેવુ લાગી રહ્યુ હતુ, પણ જે રીતે આ વ્યક્તિએ પ્રતિક્રિયા આપી હતી, તે જોઇને સુરક્ષાકર્મીઓ સહિતની પોલીસ ટીમ દોડતી થઇ ગઇ હતી.જે પછી સુરક્ષાકર્મચારીઓ દ્વારા બોમ્બની ચકાસણી કરવામાં આવી હતી. શાહઝેબ ઈરફાન અહમદની પણ ચકાસણી અને પુછપરછ કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે આ અગાઉ પણ અમદાવાદ એરપોર્ટ પર જ આવી ઘટના બની હતી. ફ્લાઇટ અમદાવાદથી વાયા દિલ્હી થઈ ચંદીગઢ જઈ રહી હતી. ત્યારે ટિકિટના વિવાદને લઈને પેસેન્જરે બોમ્બ હોવાનો કોલ કર્યો હતો. ત્યારે બોમ્બ સ્કોવોડે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે તાત્કાલિક એરપોર્ટ પર પહોંચી કાર્યવાહી કરતા જાણ થઈ હતી કે, ફ્લાઇટ રોકાવવા માટે કોઈ વ્યક્તિએ ફોન કરીને અફવા ફેલાવી હતી. ત્યારે પોલીસે ફોન કરનારા વ્યક્તિને ઝડપી પાડ્યો હતો અને તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...