Wednesday, March 4, 2026

અમદાવાદના કણભા ASI હત્યા મામલે મોટી કાર્યવાહી, 15 પોલીસકર્મીઓની જિલ્લા બહાર બદલી

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના કણભામાં પોલીસકર્મીની હત્યાના કેસમાં મોટું અપડેટ સામે આવી રહ્યું છે. આ કેસની તપાસ દરમિયાન DGPએ મોટી કાર્યવાહી કરી છે. DGP દ્વારા 15 પોલીસકર્મીઓની બદલી કરી દેવામાં આવી છે. જેમાં અમદાવાદના 12 અને ગાંધીનગરના 3 પોલીસકર્મીને જિલ્લા બહાર બદલી કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલ બુટલેગરની તપાસ દરમિયાન સામે આવ્યું છે કે કેટલાક પોલીસકર્મીઓ આ બુટલેગરના સંપર્કમાં હતા.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના કણભામાં આસિટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) ની હત્યા કેસમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપીની રાજસ્થાનથી સ્ટેટ મોનેટરીંગ સેલે ધરપકડ કરી હતી. આરોપી બુટલેગર ભૂપી ઝડપાયા બાદ તેના ફોનની તપાસ બાદ તેના સંપર્કમાં રહેલા પોલીસકર્મીઓના નામ ખુલ્યાં હતા. એ તમામ પોલીસકર્મીઓને જિલ્લા બહાર મોકલી દેવામાં આવ્યા છે. જેમાં અમદાવાદના 12 અને ગાંધીનગરના 3 પોલીસકર્મીની બદલી કરવામાં આવી છે.જણાવી દઈએ કે અમદાવાદના કણભામાં દારુની હેરાફેરીને પકડવા ગયેલા ASI પર ગાડી ચઢાવીને હત્યાના બુટલેગર ભૂપેન્દ્રના મોબાઇલમાં પોલીસ કર્મીઓ અને વહીવટદારોના નામ મળ્યા છે. જે બાદ DGP દ્વારા આ એક્શન લેવામાં આવ્યાનું કહેવાઈ રહ્યું છે.

કણભાના ASI બળદેવજી નિનામાંની હત્યા કેસને લઈને પોલીસ તપાસ કરતા રિટ્ઝ કારનો માલિક ઝાકીર શેખ હોવાનું ખુલ્યું હતું. રાણીપનો બુટેલગર ભુપેન્દ્ર ઉર્ફે ભુપીનું નામ ખુલ્યું હતું. આ કાર ખેડાથી દારૂનો જથ્થો લઈને ઓઢવ અને રાણીપ વિસ્તાર તરફ જઈ રહી હતી. પરંતુ ભાવડા પાટિયા નજીક PCR વાને અટકાવતા તેઓએ ગાડી ચઢાવીને હત્યા કરી હતી. આ ગાડીમાંથી રૂ 14 હજારનો દેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં હત્યા કરનાર બુટલેગર સાથે વધુ એક ગાડી પણ હતી. જે આરોપીઓને લઈને ફરાર થઇ ગયા હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...