Friday, March 13, 2026

અમદાવાદ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા તથા મેડિકલ સેલ દ્વારા મહિલા મેડિકલ કેમ્પ યોજાયો

spot_img
Share

અમદાવાદ : ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ ડો. બાબાસાહેબ આંબેડકરજીના ધર્મપત્ની “ત્યાગમૂર્તી” માતાશ્રી રમાબાઈ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતના 33 જિલ્લા અને 8 મહાનગર ખાતે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચો અને મેડિકલ સેલના સંયુક્ત ઉપક્રમે “મહિલાઓને લગતા રોગ અને તેના નિદાન માટે નિશુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે અમદાવાદ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા તથા મેડિકલ સેલ દ્વારા મા રમાબાઈ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે શાહીબાગ ખાતે મહિલા મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માં રમાબાઈ તેમજ ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી અને દીપજ્યોત પ્રગટાવી આ મેડિકલ કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો.આ મેડિકલ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સશકિતકરણને પ્રોત્સાહન આપવાનો હોવાનું ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું. આ કેમ્પમાં મહિલાઓ માટેના નિષ્ણાંત તબીબો દ્વારા મહિલાઓનો મફત નિદાન સારવાર કરવામાં આવી હતી. આ પ્રસંગે બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો.

આ મેડિકલ કેમ્પમાં પ્રદેશ સહ કોષાદયક્ષ ધર્મેન્દ્રભાઈ શાહ અને પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, કર્ણાવતી મેયર પ્રતિભાબેન જૈન, અસારવા MLA શ્રીમતી દર્શના બેન વાઘેલા, પૂર્વ કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર, ગૌતમભાઈ ગેડિયા (અધ્યક્ષ, ગુજરાત પ્રદેશ અનુજાતિ મોરચા), વિક્રમભાઈ ચૌહાણ (સીનિયર આગેવાન), ભદ્રેશભાઈ મકવાણા (અધ્યક્ષ, અમદાવાદ શહેર અનુજાતિ મોરચા), શહેર પદાધિકારિયોની ટીમ ,મ્યુ કાઉન્સિલરો, ડોક્ટરની ટીમ અને મોરચાના વોર્ડ પ્રમુખ, મહામંત્રી, મહિલા મોરચાના હોદેદારો તથા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...