Wednesday, January 21, 2026

અમદાવાદ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા તથા મેડિકલ સેલ દ્વારા મહિલા મેડિકલ કેમ્પ યોજાયો

spot_img
Share

અમદાવાદ : ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલ અને પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજીના માર્ગદર્શન હેઠળ ડો. બાબાસાહેબ આંબેડકરજીના ધર્મપત્ની “ત્યાગમૂર્તી” માતાશ્રી રમાબાઈ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે ગુજરાતના 33 જિલ્લા અને 8 મહાનગર ખાતે ગુજરાત પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચો અને મેડિકલ સેલના સંયુક્ત ઉપક્રમે “મહિલાઓને લગતા રોગ અને તેના નિદાન માટે નિશુલ્ક મેડીકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે અમદાવાદ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચા તથા મેડિકલ સેલ દ્વારા મા રમાબાઈ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે શાહીબાગ ખાતે મહિલા મેડિકલ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે માં રમાબાઈ તેમજ ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરી અને દીપજ્યોત પ્રગટાવી આ મેડિકલ કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો.આ મેડિકલ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલા સશકિતકરણને પ્રોત્સાહન આપવાનો હોવાનું ઉપસ્થિત મહાનુભાવોએ જણાવ્યું હતું. આ કેમ્પમાં મહિલાઓ માટેના નિષ્ણાંત તબીબો દ્વારા મહિલાઓનો મફત નિદાન સારવાર કરવામાં આવી હતી. આ પ્રસંગે બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો.

આ મેડિકલ કેમ્પમાં પ્રદેશ સહ કોષાદયક્ષ ધર્મેન્દ્રભાઈ શાહ અને પૂર્વ પ્રદેશ મહામંત્રી કે.સી.પટેલ, કર્ણાવતી મેયર પ્રતિભાબેન જૈન, અસારવા MLA શ્રીમતી દર્શના બેન વાઘેલા, પૂર્વ કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર, ગૌતમભાઈ ગેડિયા (અધ્યક્ષ, ગુજરાત પ્રદેશ અનુજાતિ મોરચા), વિક્રમભાઈ ચૌહાણ (સીનિયર આગેવાન), ભદ્રેશભાઈ મકવાણા (અધ્યક્ષ, અમદાવાદ શહેર અનુજાતિ મોરચા), શહેર પદાધિકારિયોની ટીમ ,મ્યુ કાઉન્સિલરો, ડોક્ટરની ટીમ અને મોરચાના વોર્ડ પ્રમુખ, મહામંત્રી, મહિલા મોરચાના હોદેદારો તથા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...