Sunday, March 15, 2026

અમદાવાદની શાળાઓના પ્રવાસમાં 50 ટકાનો ઘટાડો જોવા મળ્યો, જાણો કારણ ?

spot_img
Share

અમદાવાદ : વડોદરામાં શાળા પ્રવાસ દરમિયાન બનેલી હરણી તળાવ બોટ દુર્ઘટનાની અસર અમદાવાદની શાળાઓના પ્રવાસ આયોજન પર જોવા મળી છે. અમદાવાદમાં શાળાકીય પ્રવાસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરની શાળાઓમાં પ્રવાસના આયોજનમાં 50 ટકા અને અમદાવાદ ગ્રામ્યની શાળાઓના પ્રવાસમાં 80 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પણ કોઈપણ શાળા પ્રવાસનું આયોજન કરે તેને ફરજિયાત જિલ્લા શિક્ષણ અધિકારીની મંજુરી લેવાની રહેશે આ ઉપરાંત 27 જેટલા નિયમોનું પાલન ફરજિયાત કર્યું હતું. જેના પગલે અમદાવાદની શાળાઓમાં પ્રવાસના આયોજનમાં ઘટાડો નોંધાયો છે. દર વર્ષે અંદાજે 600 જેટલા પ્રવાસના આયોજન શાળાઓ દ્વારા થતા હોય છે.

અમદાવાદ શહેર DEO માં શાળા પ્રવાસની અરજીઓમાં 50 ટકા અને ગ્રામ્ય DEO હેઠળની શાળાઓમાં 80 ટકા અરજીઓમાં ઘટાડો થયો છે. ઘટાડાઓ અંગે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ જણાવ્યું કે દર વર્ષે 600 થી 700 અરજીઓ આવતી હોય છે. શાળાઓને પ્રવાસે લઈ જવાના નિયમો અત્યાર સુધી 14 હતા જે વધારી 27 કરવામાં આવ્યા છે. શાળાઓ વધારે જવાબદારી પૂર્વક વર્તી રહી છે.

18 જાન્યુઆરીએ વડોદરાની એક શાળાના વિદ્યાર્થીઓ પ્રવાસમાં ગયા હતા અને પ્રવાસ દરમિયાન જ હરણી તળાવમાં બોટ પલટી જવાની ઘટના બની હતી. જે ઘટનામાં 12 બાળકો 2 શિક્ષકો સહિત 14ના ડૂબી જવાથી મૃત્યુ થયા હતા. ઘટનાની ગંભીરતા સમજતાં અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રવાસે લઈ જતી શાળાઓ માટે નિયમો કડક બનાવતા 27 નિયમો ફરજિયાત કર્યા હતા. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓ માટે નિયમો વધુ કડક કરતા પ્રવાસના આયોજનો ઓછા થાય છે.

સાથે જ નોંધણી અને વાહન મોટર એક્ટ મુજબનું હોવા સહિતના નિયમો નિયત કર્યા હતા. જેના પગલે અમદાવાદની શાળાઓમાં પ્રવાસના આયોજનમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં વિદ્યાર્થીઓને પ્રવાસ લઈ જવા માટે 15 સપ્ટેમ્બર 2023 થી 18 જાન્યુઆરી 2024 સુધી 295 અરજીઓ પ્રાપ્ત થઈ હતી. 18 જાન્યુઆરીએ ઘટના બન્યા બાદ 15 ફેબ્રુઆરી સુધી માત્ર 32 અરજીઓ જ મળી છે. આજ પ્રકારની સ્થિતિ અમદાવાદ ગ્રામ્ય જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી હેઠળની શાળાઓની જોવા મળી રહી છે. જ્યાં 18 જાન્યુઆરીની હરણી તળાવ ઘટના બાદ માત્ર 3 જ અરજીઓ મળી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...