Sunday, January 25, 2026

અમદાવાદ પોલીસ કમિશ્નરે કરી લાલ આંખ, દારૂ-જુગાર સહિતની પ્રવૃત્તિ બંધ કરાવો

spot_img
Share

અમદાવાદ : શહેરમાં ગત બુધવારે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) એક જ દિવસમાં 6 જગ્યાએ દરોડા પાડીને દેશી-વિદેશી દારૂ પકડી પાડ્યો હતો. બીજી તરફ આ રેડના પગલે અમદાવાદ શહેર પોલીસની છબી ખરડાઈ છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે પોલીસ કમિશનરે એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં DCP, ACP અને પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને પોતાના વિસ્તારમાં ચાલતા દારૂ, જુગાર સહિતની પ્રવૃત્તિ બંધ કરાવવા આદેશ કર્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલની અમદાવાદમાં સતત કાર્યવાહી બાદ એક પરિપત્ર જાહેર કરાયો છે. અમદાવાદ પોલીસ કમિશનરે પરિપત્ર જાહેર કરીને તમામ અધિકારીઓને સૂચના આપી દીધી છે. જેમાં DCP, ACP અને પોલીસ સ્ટેશન ઇન્ચાર્જને સૂચના આપી છે. જેમાં પોતાના વિસ્તારમાં ચાલતા દારૂ, જુગાર સહિતની ગેરકાયદેસર ચાલતી પ્રવૃત્તિ બંધ કરાવવા જણાવ્યું છે. દારૂ, જુગાર સહિતની પ્રવૃત્તિઓ પોતાના વિસ્તારમાં ચાલે નહીં તેની તકેદારી રાખવા પરિપત્ર કર્યો છે. બેજવાબદાર કર્મચારી અને અધિકારી વિરૂદ્ધ પગલાં ભરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. PCBની ટીમને પણ વધુમાં વધુ રેડ કરવાની સૂચના આપી છે.

અમદાવાદ કમિશનરે જાહેર કરાયેલ પરિપત્ર મુજબ શહેરના પોલીસના અધિકારીઓ અસામાજિક પ્રવૃતિઓ ડામવા નિષ્ફળ રહ્યા હોવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. તમામ DCPને તેમના નીચેના ACP અને અન્ય અધિકારીઓ પર નજર રાખવા સૂચના આપી છે.

તમને જણાવી દઈએ કે, અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક જ રાતમાં શહેરના ઓઢવ, સોલા, વાડજ, કૃષ્ણનગર તથા નિકોલ સહિત છ સ્થળે દરોડા પાડીને દારૂના અડ્ડાઓ પરથી મોટા પ્રમાણમાં દારૂ ઝડપી પાડ્યો હતો. બીજી તરફ સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઈ હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...