Friday, January 23, 2026

અમદાવાદમાં આત્મહત્યા કરનારી મહિલા પોલીસ કર્મચારીના પ્રેમીની આત્મહત્યા

spot_img
Share

અમદાવાદ: અમદાવાદમાં 29 ફેબ્રુઆરીએ પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે અંગે તપાસ કરતા મહિલા કોન્સ્ટેબલે પ્રેમીના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે પ્રેમી સામે આત્મહત્યા કરવા દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ત્યારે કોન્સ્ટેબલના પ્રેમીએ અમદાવાદની પાલડીની એક હોટેલમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જે મામલે એલીસબ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં પાલડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી અને વાસણામાં રહેતા મહિલા કર્મચારી લલિતા પરમારે તેના મિત્રના ત્રાસના કારણે આત્મહત્યા (Suicide) કરી તે કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. મહિલાના પરીણિત પ્રેમી જશુ રાઠોડે પણ હોટેલના રૂમમાં આત્મહત્યા કરી છે. પોલીસે મહિલા કર્મચારીની આત્મહત્યા પછી જશુ રાઠોડ સામે ગુનો નોંધ્યો હતો. બાદમાં આ કેસમાં પોલીસે તપાસ શરૂ કરી હતી. મહિલા પોલીસકર્મી લલિતા પરમારે સુસાઈડ નોટમાં લખ્યું હતું કે, ગામમાં રહેતા જશવંત નામનો પ્રેમી સતત વીડિયો કોલ અને ફોન કરતો હતો.તે અન્ય કોઈ સાથે વાત ન કરવા માટે સતત ધમકી આપતો હતો. પ્રેમી નોકરી છોડવા માટે પણ દબાણ કરતો હતો.

વાસણા પોલીસે મૃતક મહિલાના સુરેન્દ્રનગર જિલ્લાના સોલડી ગામમાં રહેતા જશવંત નામના પ્રેમી સામે ગુનો નોંધ્યો છે. પોલીસે તપાસ શરૂ કરી તે દરમિયાન જ જશવંત અમદાવાદ આવ્યો હતો. અમદાવાદમાં પાલડી ખાતેની સરગમ હોટેલ ખાતે રોકાયો હતો અને બીજા દિવસે જશવંતે હોટેલના રૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે મામલે એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...