Thursday, January 22, 2026

અમદાવાદીઓ આનંદો ! 13 માર્ચથી આ ત્રણ નવા રુટ પર દોડશે AMTSની ડબલ ડેકર બસ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં દોડતી AMTS બસ સર્વિસ અમદાવાદની ધોરી સમાન માનવામાં આવે છે. લાખો લોકો આ AMTS બસ સર્વિસનો લાભ લે છે. સસ્તી અને લોકોને પરવડે તેવી હોવાથી મોટાભાગના લોકો AMTS બસનો ઉપયોગ કરે છે. ત્યારે અમદાવાદ શહેરના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.આશરે 33 વર્ષ બાદ શહેરમાં શરૂ થયેલી ડબલ ડેકર બસ સેવાને મુસાફરોનો સારો પ્રતિસાદ મળ્યો છે. હવે શહેરમાં 3 નવા રુટ પર AMTS ડબલ ડેકર બસ દોડાવશે.

AMTS કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર, અમદાવાદ AMTS બસ સર્વિસ દ્વારા શહેરમાં ત્રણ રૂટમાં નવી ડબલડેકર બસ શરુ કરવામાં આવી રહી છે.આ ત્રણ નવા રૂટમાં ડબલડેકર બસ દોડાવવામાં આવશે, જેનાથી વધુ મુસાફરો સવારી કરી શકે અને લોકોને રાહત મળે. કમિટિમાં લેવાયેલા નિર્ણય અનુસાર લાલ દરવાજાથી શીલજ, સારંગપુરથી સિંગરવા પાટિયા અને નરોડાથી લાંભા ક્રોસ રોડ સુઘી રૂટમાં એસીવાળી ડબલડેકર બસ ઉમેરવામાં આવશે.

ત્રણેય નવા રુટમાં શરૂ કરવામાં આવેલી બસ ડબલડેકરની સાથે ઈલેક્ટ્રિસિટીથી કામ કરશે. AMTSની આ ત્રણેય નવા રુટ પર ઇ બસની શરૂઆત કરવામાં આવી છે. જેથી, પર્યાવરણને પણ નુકસાન થતું અટકાવી શકાય. 13 માર્ચથી અમદાવાદીઓ આ બસમાં મુસાફરીનો આનંદ લઈ શકશે.

તમને જણાવી દઈએ કે શહેરમાં હાલ વાસણાથી ચાંદખેડા રુટ પર AMTS દ્વારા ડબલ ડેકર બસ દોડાવવામાં આવી રહી છે. આશરે 33 વર્ષ બાદ શહેરમાં શરૂ થયેલી ડબલ ડેકર બસ સેવાને મુસાફરોનો સારો પ્રતિસાદ મળ્યો છે. હવે શહેરમાં 3 નવા રુટ પર AMTS ડબલ ડેકર બસ દોડાવશે.

અમદાવાદમાં શરુ થયેલી ડબલ ડેકર ઈલેક્ટ્રિક એસી બસની ખાસીયતની વાત કરવામાં આવે તો બસમાં USB ચાર્જ, વાઇફાઇ , રિડીગ લાઇટ અને કન્ફર્નટ સીટનો સમાવશે થાય છે. આ ડબલ ડેકર બસ ચાર્જ થયા બાદ 250 કિમી ચાલશે. બસને ચાર્જ થતાં દોઢ કલાકથી 3 કલાક લાગશે.

નરોડાથી લાંભા ક્રોસ રોડ
સારંગપુરથી સિંગરવા
લાલ દરવાજાથી શીલજ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...