Friday, March 13, 2026

અમદાવાદીઓ આનંદો ! 13 માર્ચથી આ ત્રણ નવા રુટ પર દોડશે AMTSની ડબલ ડેકર બસ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં દોડતી AMTS બસ સર્વિસ અમદાવાદની ધોરી સમાન માનવામાં આવે છે. લાખો લોકો આ AMTS બસ સર્વિસનો લાભ લે છે. સસ્તી અને લોકોને પરવડે તેવી હોવાથી મોટાભાગના લોકો AMTS બસનો ઉપયોગ કરે છે. ત્યારે અમદાવાદ શહેરના લોકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.આશરે 33 વર્ષ બાદ શહેરમાં શરૂ થયેલી ડબલ ડેકર બસ સેવાને મુસાફરોનો સારો પ્રતિસાદ મળ્યો છે. હવે શહેરમાં 3 નવા રુટ પર AMTS ડબલ ડેકર બસ દોડાવશે.

AMTS કમિટીમાં લેવાયેલા નિર્ણય અનુસાર, અમદાવાદ AMTS બસ સર્વિસ દ્વારા શહેરમાં ત્રણ રૂટમાં નવી ડબલડેકર બસ શરુ કરવામાં આવી રહી છે.આ ત્રણ નવા રૂટમાં ડબલડેકર બસ દોડાવવામાં આવશે, જેનાથી વધુ મુસાફરો સવારી કરી શકે અને લોકોને રાહત મળે. કમિટિમાં લેવાયેલા નિર્ણય અનુસાર લાલ દરવાજાથી શીલજ, સારંગપુરથી સિંગરવા પાટિયા અને નરોડાથી લાંભા ક્રોસ રોડ સુઘી રૂટમાં એસીવાળી ડબલડેકર બસ ઉમેરવામાં આવશે.

ત્રણેય નવા રુટમાં શરૂ કરવામાં આવેલી બસ ડબલડેકરની સાથે ઈલેક્ટ્રિસિટીથી કામ કરશે. AMTSની આ ત્રણેય નવા રુટ પર ઇ બસની શરૂઆત કરવામાં આવી છે. જેથી, પર્યાવરણને પણ નુકસાન થતું અટકાવી શકાય. 13 માર્ચથી અમદાવાદીઓ આ બસમાં મુસાફરીનો આનંદ લઈ શકશે.

તમને જણાવી દઈએ કે શહેરમાં હાલ વાસણાથી ચાંદખેડા રુટ પર AMTS દ્વારા ડબલ ડેકર બસ દોડાવવામાં આવી રહી છે. આશરે 33 વર્ષ બાદ શહેરમાં શરૂ થયેલી ડબલ ડેકર બસ સેવાને મુસાફરોનો સારો પ્રતિસાદ મળ્યો છે. હવે શહેરમાં 3 નવા રુટ પર AMTS ડબલ ડેકર બસ દોડાવશે.

અમદાવાદમાં શરુ થયેલી ડબલ ડેકર ઈલેક્ટ્રિક એસી બસની ખાસીયતની વાત કરવામાં આવે તો બસમાં USB ચાર્જ, વાઇફાઇ , રિડીગ લાઇટ અને કન્ફર્નટ સીટનો સમાવશે થાય છે. આ ડબલ ડેકર બસ ચાર્જ થયા બાદ 250 કિમી ચાલશે. બસને ચાર્જ થતાં દોઢ કલાકથી 3 કલાક લાગશે.

નરોડાથી લાંભા ક્રોસ રોડ
સારંગપુરથી સિંગરવા
લાલ દરવાજાથી શીલજ

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...