Thursday, February 19, 2026

અમદાવાદના પશ્ચિમ વિસ્તારના આ વિસ્તારોમાં આજે સાંજે પાણીકાપ, કાલે સવારે પણ ઓછું મળશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં પાણી કાપ આપવામાં આવ્યો છે. જેમાં જાહેર નોટિસ મારફતે શહેરીજનોને જાણ કરાઈ છે.જેમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં આજે શુક્રવારે સાંજે અને શનિવારે સવારે પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી ઓવરહેડ પાણીની ટાંકીના કમ્પાઉન્ડમાં પાણીની લાઈનના રિપેરિંગ કરવાને કારણે પાણી સપ્લાય બંધ કરવાનો હોવાથી શુક્રવારે સાંજે પશ્ચિમ વિસ્તારમાં પાણી પૂરું પાડી શકાશે નહીં. શનિવારે સવારે પણ ઉપલબ્ધ જથ્થા મુજબ પાણી મળી શકશે.

AMCના ઇજનેર ખાતાના જણાવ્યા મુજબ વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી ઓવરહેડ પાણીની લાઈનના રિપેરિંગ કરવાને કારણે જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવતા નવાવાડજ, સરખેજ, થલતેજ, બોડકદેવ, એસજી હાઈવે વગેરે વિસ્તારમાં અસર થશે. આથી ગોતા, ચાંદલોડિયા, ઘાટલોડિયા, નારણપુરા, બોપલ, ઘુમા, જોધપુર, સેટેલાઈટ, સરખેજ, મકતમપુરા, ફતેવાડી, જુહાપુરા, આનંદનગર, પ્રહલાદનગર સહિતના વિસ્તારોમાં આજે સાંજે સંપૂર્ણ પાણીકાપ અને કાલે શનિવારે સવારે પણ ઓછું પાણી આપવામાં આવશે.

વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી ઓવરહેડ પાણીની ટાંકીના કમ્પાઉન્ડમાં એસજી હાઇવે તરફ જતી 2200 એમએમની મુખ્ય ટ્રંકલાઈનનો ફ્લાય વાલ્વનું ગિયર બોક્સ ખરાબ થઈ ગયું હોવાથી આજે શુક્રવારે સવારે પાણી સપ્લાય બાદ તેને રિપેરિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. રમજાન મહિનો અને ઉનાળાનો સમય હોવાથી સાંજના સમયે પાણીકાપના કારણે પશ્ચિમ વિસ્તારના નાગરિકોએ થોડી તકલીફનો સામનો કરવો પડશે. જ્યારે પૂર્વ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી વોટર સપ્લાયમાં ધાંધિયા ચાલતા હોવાથી લોકો એકત્ર થઈ સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...