Thursday, January 15, 2026

અમદાવાદના આ વિસ્તારમાં PCB ની રેડ, વિદેશી દારૂની 272 બોટલ સાથે 3.28 લાખનો મુદ્દામાલ કબજે

spot_img
Share

અમદાવાદ : લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે અમદાવાદમાં PCBએ ગોમતીપુર વિસ્તારમાંથી વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલો ઝડપી પાડી છે. આ બોટલોની હેરાફેરી કરનારા ત્રણ આરોપીઓ પોલીસ પકડથી દૂર હોવાથી તેમને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ PCBના કર્મચારીઓ પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન બાતમી મુજબ ગોમતીપુર કાળીદાસ મીલની અંદર ક્રિયા શક્તિ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં પોલીસે મીલમાં રેડ કરતાં ત્યાંથી વિદેશી દારૂની બ્રાન્ડેડ બોટલો નંગ 272નો મુદ્દામાલ પકડી લઈ કાયદેસરની કાર્યવાહી કરી છે. આ દારૂની હેરાફેરી કરતાં શિવ મોટર્સનો સંચાલક, જયદીપ મોટર્સ તેમજ ક્રિષ્નાશ્રેય ઓટોમોબાઈલ વડોદરાના માણસને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યાં છે. પોલીસે આ રેડ દરમિયાન 3.28 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો તથા તે કોને મોકલવામાં આવ્યો હતો તેની તપાસ કરતા દારૂનો જથ્થો દિલ્લીથી શિવ મોર્ટસ ઓટો પાર્ટના પુઠાના બોક્સમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ આવ્યો છે. આ જથ્થો અમદાવાદ શહેર નવરંગપુરા જયદીપ મોર્ટસ ખાતે તેમજ બરોડા ખાતે મોકલવા માટેનું બુકિંગ કરાવેલ હોવાનું રિપોર્ટ જણાવી રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...