Monday, February 16, 2026

અમદાવાદ ટ્રાફિક પોલીસની ઉમદા પહેલ, 7000 વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હેલમેટ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં અકસ્માતનું પ્રમાણ વધતા બાળકોની સુરક્ષા અને હેલ્મેટને લઈને જાગૃત કરવા શહેરની ટ્રાફિક પોલીસે મિશન હેલ્મેટ સંસ્કાર પ્રોજેક્ટ અંતર્ગત એક ઉમદા પહેલ શરૂ કરી છે. હેલ્મેટ પ્રત્યે બાળકો થકી વાલીઓને જાગૃત કરવા માટેનું એક અભિયાન પોલીસે શરૂ કર્યુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પોલીસે 7 હજાર બાળકોને હેલ્મેટનું વિતરણ કર્યુ હતુ અને વાલીઓમાં પણ હેલ્મેટ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસે વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાની અપીલ કરી છે.

ટ્રાફિક પોલીસ દ્વારા ઇસનપુરમાં આવેલી રોટરી કલબમાં સ્કૂલના વિધાર્થીઓને હેલ્મેટ વિતરણ કરીને ટ્રાફિકના નિયમનનું પાલન કરવાનું વચન લીધું છે.અમદાવાદ ટ્રાફિક પોલીસના પૂર્વ ઝોને વિવિધ ઔદ્યોગિક સંગઠનોની મદદથી મિશન હેલ્મેટ સંસ્કાર શરૂ કર્યુ છે.જેમાં વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન, કઠવાડા ઇન્ડસ્ટ્રી એસોસિયેશન, નરોડા ઇન્ડસ્ટ્રી એસોસિયેશન, ઝાયડસ ગ્રૂપ, કંકુબાગ ધ ફેમિલી મોલ, નારોલ ઇન્ડસ્ટ્રી એસોસિયેશન, ચીરીપાલ ગ્રૂપ, મંગલ ટેકસ્ટાઇલ જેવા ગ્રૂપે કુલ સાત હજારથી વધુ શાળાએ જતા બાળકો માટે હેલ્મેટ વિતરણ માટે યોગદાન આપ્યું હતું. રોટરી ક્લબ ઓફ કાંકરિયા ખાતે સરદાર પટેલ અને ઇસનપુર સ્વામી વિવેકાનંદ વિધ્યાલયના સહયોગથી મિશન હેલ્મેટ સંસ્કારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા બે અઠવાડીયા સુધી સ્કૂલની પાસે આવેલા જાહેર રોડ ઉપર હેલ્મેટ વિતરણ કરવામાં આવશે. આ મિશન હેલ્મેટ સંસ્કાર કાર્યક્રમ દેશમાં એક પ્રકારની નવીન પહેલ છે. જેમાં મોટા પ્રમાણમાં બાળકો હેલ્મેટના મહત્વ તેમજ તેના ફાયદાઓ વિશે શિક્ષિત બનશે. આ મિશન હેલ્મેટ સંસ્કાર કાર્યક્ર્મનો પ્રારંભ રોટરી ક્લબ ઓફ કાંકરીયા, હીરાભાઇ ટાવર રોડ ઇસનપુર અમદાવાદ ખાતે સરદાર પટેલ અને સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ઇસનપુરના સહયોગથી યોજાયો હતો.

શહેરમાં ટ્રાફિકની સાથે અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. તે ઉપરાંત વાલીઓ નાની ઉંમરથી જ તેમના સંતાનોને વાહનો ચલાવવાની મંજૂરી આપી દેતા હોય છે. જેમાં કેટલીક વાર અકસ્માતોમાં જ વાલીઓ તેમના વ્હાલસોયાને ખોઈ બેસતા હોય છે. ત્યારે 17માં સંસ્કાર એટલે કે, હેલ્મેટ સંસ્કારને પણ જોડવાનો નિર્ધાર કર્યો છે. જીવનની સલામતી વિના અન્ય 16 સંસ્કારો મદદરૂપ થશે નહીં. આથી દરેક બાળકને તેની સમજણના શરૂઆતના દિવસોથી જ હેલ્મેટનું મહત્વ શીખવવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક મિશન હાથ ધરવામાં આવ્યું છે. જેથી દરેક બાળક સમય જતાં પોતાની સલામતીની જવાબદારીનું પાલન કરી શકે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...