Wednesday, April 29, 2026

અમદાવાદ ટ્રાફિક પોલીસની ઉમદા પહેલ, 7000 વિદ્યાર્થીઓને આપવામાં આવ્યા હેલમેટ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં અકસ્માતનું પ્રમાણ વધતા બાળકોની સુરક્ષા અને હેલ્મેટને લઈને જાગૃત કરવા શહેરની ટ્રાફિક પોલીસે મિશન હેલ્મેટ સંસ્કાર પ્રોજેક્ટ અંતર્ગત એક ઉમદા પહેલ શરૂ કરી છે. હેલ્મેટ પ્રત્યે બાળકો થકી વાલીઓને જાગૃત કરવા માટેનું એક અભિયાન પોલીસે શરૂ કર્યુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પોલીસે 7 હજાર બાળકોને હેલ્મેટનું વિતરણ કર્યુ હતુ અને વાલીઓમાં પણ હેલ્મેટ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.પોલીસે વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાની અપીલ કરી છે.

ટ્રાફિક પોલીસ દ્વારા ઇસનપુરમાં આવેલી રોટરી કલબમાં સ્કૂલના વિધાર્થીઓને હેલ્મેટ વિતરણ કરીને ટ્રાફિકના નિયમનનું પાલન કરવાનું વચન લીધું છે.અમદાવાદ ટ્રાફિક પોલીસના પૂર્વ ઝોને વિવિધ ઔદ્યોગિક સંગઠનોની મદદથી મિશન હેલ્મેટ સંસ્કાર શરૂ કર્યુ છે.જેમાં વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશન, કઠવાડા ઇન્ડસ્ટ્રી એસોસિયેશન, નરોડા ઇન્ડસ્ટ્રી એસોસિયેશન, ઝાયડસ ગ્રૂપ, કંકુબાગ ધ ફેમિલી મોલ, નારોલ ઇન્ડસ્ટ્રી એસોસિયેશન, ચીરીપાલ ગ્રૂપ, મંગલ ટેકસ્ટાઇલ જેવા ગ્રૂપે કુલ સાત હજારથી વધુ શાળાએ જતા બાળકો માટે હેલ્મેટ વિતરણ માટે યોગદાન આપ્યું હતું. રોટરી ક્લબ ઓફ કાંકરિયા ખાતે સરદાર પટેલ અને ઇસનપુર સ્વામી વિવેકાનંદ વિધ્યાલયના સહયોગથી મિશન હેલ્મેટ સંસ્કારનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા બે અઠવાડીયા સુધી સ્કૂલની પાસે આવેલા જાહેર રોડ ઉપર હેલ્મેટ વિતરણ કરવામાં આવશે. આ મિશન હેલ્મેટ સંસ્કાર કાર્યક્રમ દેશમાં એક પ્રકારની નવીન પહેલ છે. જેમાં મોટા પ્રમાણમાં બાળકો હેલ્મેટના મહત્વ તેમજ તેના ફાયદાઓ વિશે શિક્ષિત બનશે. આ મિશન હેલ્મેટ સંસ્કાર કાર્યક્ર્મનો પ્રારંભ રોટરી ક્લબ ઓફ કાંકરીયા, હીરાભાઇ ટાવર રોડ ઇસનપુર અમદાવાદ ખાતે સરદાર પટેલ અને સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ઇસનપુરના સહયોગથી યોજાયો હતો.

શહેરમાં ટ્રાફિકની સાથે અકસ્માતોની સંખ્યા પણ વધી રહી છે. તે ઉપરાંત વાલીઓ નાની ઉંમરથી જ તેમના સંતાનોને વાહનો ચલાવવાની મંજૂરી આપી દેતા હોય છે. જેમાં કેટલીક વાર અકસ્માતોમાં જ વાલીઓ તેમના વ્હાલસોયાને ખોઈ બેસતા હોય છે. ત્યારે 17માં સંસ્કાર એટલે કે, હેલ્મેટ સંસ્કારને પણ જોડવાનો નિર્ધાર કર્યો છે. જીવનની સલામતી વિના અન્ય 16 સંસ્કારો મદદરૂપ થશે નહીં. આથી દરેક બાળકને તેની સમજણના શરૂઆતના દિવસોથી જ હેલ્મેટનું મહત્વ શીખવવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા એક મિશન હાથ ધરવામાં આવ્યું છે. જેથી દરેક બાળક સમય જતાં પોતાની સલામતીની જવાબદારીનું પાલન કરી શકે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...