Sunday, March 1, 2026

અમદાવાદમાં અસામાજિક તત્વોનો વધ્યો ત્રાસ, એક જ દિવસમાં બે જીવલેણ હુમલાની ઘટનાઓ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો ડર જ નથી તે રીતે ત્રાસ વધારી રહ્યા છે. આજે એક સાથે બે ઘટનાઓ સામે આવી છે, મીડિયા રિપોર્ટ મુજબ અમરાઈવાડીમાં ઈંડાની લારી પર જમવા આવેલા બે મિત્રો અંદરો અંદર ઝઘડવા લાગ્યા હતાં, જેથી યુવકે કહ્યું કે અહિયાં ઝઘડો કરશો નહીં. જ્યારબાદ ઝઘડી રહેલા બંને શખ્સોમાંથી એક તેની પાસે રહેલી ચાકુ કાઢીને ઝઘડો શાંત કરવા વચ્ચે પડેલા યુવકના પેટમાં તથા કમરના ભાગે એમ ચાકુના બે ઘા મારી દીધા હતાં.આ સમયે બૂમાબૂમ થતાં આસપાસના લોકો ભેગા થઈ જતા બે શખ્સો ફરાર થઈ ગયા હતાં અને ઘાયલ યુવકને સારવાર માટે ખસેડ્યો હતો. સારવાર લીધા બાદ યુવકે બે શખ્શો વિરુદ્ધ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

બીજી ઘટનામાં અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં નજીવી બાબતે તલવારો લઈને લારી ગલ્લા ચલાવતા ગરીબ લોકો પર હુમલો કરવો તે હવે સામાન્ય બની ગયું છે. ગત રોજ લારી પર જમવાનું લેવા આવેલા બે શખ્સોએ ઓર્ડર આપ્યા બાદ લારી પર ઉભા રહીને ગાળો બોલતા હતાં, જેથી વેપારીએ ગાળો નહી બોલવાનું કહેતા બંને શખ્સો જતા રહ્યા હતા. બાદમાં રીક્ષામાં ચાર શખ્સો તલવારો અને ઘાતક હથિયારો લઈને આવ્યા અને ફેરીયાને તલવારના ઘા માર્યા ઉપરાંત રોડ પર પાર્ક કરેલી રીક્ષાના કાચ પણ ફોડી નાંખ્યા હતાં. આ મામલે ફરિયાદ નોંધાવતા કૃષ્ણનગર પોલીસે ચાર અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી રાહતનો શ્વાસ લીધો છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...