Wednesday, February 18, 2026

અમદાવાદમાં વાહનચાલકોને ગરમીથી રાહત આપતો નવતર પ્રયોગ, આ વિસ્તારમાં ટ્રાફિક સિગ્નલમાં પાણીના ફુવારા લગાવાયા

spot_img
Share

અમદાવાદ : AMC તંત્ર દ્વારા ગરમીને લઈ હીટ એક્શન પ્લાન અમલમાં છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ટ્રાફિક સિગ્નલ જંકશન પર લાગેલા CCTV કેમેરાની બાજુમાં પાણીના છંટકાવ કરતા સ્પ્રિંકલર (ફુવારા) લગાવવામાં આવ્યા છે. શહેરના કાંકરિયા વિસ્તારમાં આવેલા પુષ્પકુંજ ચાર રસ્તા ઉપર સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે. જેના કારણે વાહનચાલકોને ઠંડકનો અહેસાસ થશે અને તે વિસ્તારમાં પણ ગરમીનું પ્રમાણ ઓછું રહેશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના DyHo ડો. તેજસ શાહે જણાવ્યું હતું કે, AMC તંત્ર દ્વારા પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમદાવાદના ગરમીમાં લોકોને રાહત મળે તેના માટે ટ્રાફિક જંકશન ઉપર આવેલા CCTV કેમેરાના નીચે ઓટોમેટિક સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા છે. બપોરે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી આ સ્પ્રિંકલર સિગ્નલના ટાઈમિંગ પ્રમાણે ચાલુ બંધ થશે. 60 સેકન્ડથી લઈ 120 સેકન્ડ સુધી ટાઈમર પ્રમાણે ચાલશે. જેના કારણે વાહનચાલકોને ઠંડકનો અહેસાસ થશે અને તે વિસ્તારમાં પણ ગરમીનું પ્રમાણ ઓછું રહેશે. જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળશે.

 

View this post on Instagram

 

A post shared by mirchinews (@mirchinews)


તેઓએ વધુમાં જણાવ્યું હતું કે AMC તંત્ર દ્વારા લગાવવામાં આવેલા આ સ્પ્રિંકલર પ્રોજેક્ટને બે દિવસમાં સારો પ્રતિસાદ મળશે તો શહેરના વિવિધ ટ્રાફિક જંક્શન ઉપર સીસીટીવી કેમેરાની નીચેના ભાગે સ્પ્રિંકલર લગાવવામાં આવશે. હિટ એક્શન પ્લાન અંતર્ગત શહેરના 305 જેટલા સીસીટીવી કેમેરામાંથી 120 જેટલા સીસીટીવી કેમેરા બપોરે 12 થી 5 વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે શહેરના વિવિધ ચાર રસ્તા ઉપર સ્પ્રિંકલર લગાવી અને ત્યાં પાણીનું ડ્રમ મૂકવામાં આવ્યું છે. એક વ્યક્તિ ત્યાં હાજર રહેશે. પાણી ખાલી થશે તરત જ તેને ટેન્કર દ્વારા ફરીથી ભરી દેવામાં આવશે. આ પાયલોટ પ્રોજેક્ટ હાલ શરૂ કરવામાં આવ્યો છે. આગામી દિવસોમાં શહેરના વિવિધ જંગલો ઉપર પણ સ્પ્રિંકલર લગાવવામાં આવશે, જેનાથી લોકોને ગરમીમાંથી રાહત મળશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...