Sunday, February 8, 2026

PM મોદી આવશે ગુજરાત, રૂપાલાનો વિરોધ શાંત કરવા પહેલી સભા આ શહેરમાં કરે એવી શક્યતા !

spot_img
Share

અમદાવાદ : લોકસભામાં ભાજપનો ગઢ ગણાતું ગુજરાતમાં ફરી ભગવો લહેરાય એ માટે ખુદ PM નરેન્દ્ર મોદી મેદાને ઊતરશે. ગુજરાતના ચારેય ઝોનમાં નરેન્દ્ર મોદી સભા કરશે એવું જાણવા મળ્યું છે. ગુજરાતમાં ચારથી વધુ સભા કરે એવી શક્યતા છે, જેમાં રૂપાલાનો વિરોધ શાંત કરવા પહેલી સભા રાજકોટમાં કરે એવી શક્યતા છે. સભાની સાથે રેલી, રોડ-શોનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

પ્રાપ્ત મીડિયા રિપોર્ટ મુજબ PM નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ ગોઠવાઈ ગયો છે.19 એપ્રિલ બાદ વડાપ્રધાન મોદી ગુજરાતમાં ઝાંઝાવતી પ્રવાસ શરુ કરશે. તેઓ ગુજરાતમા ચારેય જોનમાં પ્રવાસ કરશે આ દરમિયાન છ થી વધુ જાહેર સભાને સંબોધિત કરશે. એક દિવસમાં બે સભા તથા એક રોડ શો નું આયોજન કરવા બાબતે પ્લાનિંગ ચાલી રહ્યો હોવાની વિગતો સામે આવી છે. શહેરી વિસ્તારોમાં રોડ શો તથા ગ્રામ્ય વિસ્તારોમાં સભાનું આયોજન કરવામા આવી રહ્યુ છે.

ગુજરાતના ચારેય ઝોનમાં નરેન્દ્ર મોદી સભા કરી આખા રાજ્યને કવર કરશે. એમાં પહેલી સભા 22 એપ્રિલે રાજકોટમાં કરે એવું મીડિયા રિપોર્ટ જણાવી રહ્યા છે, કારણ કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ ગુજરાતભરના ક્ષત્રિયો વિરોધ કરી રૂપાલાની ટિકિટ રદ કરવા માગ કરી રહ્યા છે. ત્યારે નરેન્દ્ર મોદી આ વિરોધને શાંત કરવા મેદાને ઊતરશે.સભાની સાથે રેલી, રોડ-શોનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

તમને જણાવી દઈએ કે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિવાદાસ્પદ નિવેદનને લઈ ગુજરાતભરના ક્ષત્રિયો વિરોધ કરી રહ્યા છે અને રુપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી રહ્યા છે. ક્ષત્રિયોને મનાવવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. ત્યારે આ આંદોલન માત્ર રૂપાલા પુરતુ જ નહીં રહેતા હવે ભાજપ વિરુદ્ધ પણ બની ગયું છે. જેના કારણે ભાજપને લોકસભાની ચૂંટણીમાં નુકસાન થઈ શકે છે.ત્યારે PM મોદી રાજકોટની મુલાકાત આ વિવાદને ઠારવામા કેટલા સફળ થાય છે તે તો આવનારો સમય જ બતાવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...