Tuesday, September 16, 2025

કાંકરિયા વિસ્તારમાં AMC ડમ્પરની ટક્કરથી દિવાલ પડી, 5 લોકોને સામાન્ય ઇજા

Share

Share

અમદાવાદ : અમદાવાદમાં કાંકરિયા ખાતે BJP મહિલા મોરચા સંમેલનમાં મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના AMC ડમ્પરની ટક્કરને કારણે અકસ્માત નોંધાયો હતો. જોકે આ ઘટનામાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ નથી.જેમાં 5થી વધુ મહિલાઓને ઇજા થઇ હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ કાંકરિયા પિકનિક હાઉસ ખાતે લોકસભા ચૂંટણી પ્રચારના ભાગરૂપે અમદાવાદ પશ્ચિમ બેઠકના ઉમેદવાર દિનેશ મકવાણાના સમર્થનમાં BJPનું મહિલા સંમેલન યોજાયું હતું. સંમેલન પૂર્ણ થયા બાદ મહિલાઓ બસની રાહ જોઈ બહાર ફૂટપાથ ઉપર ઉભી હતી. જે દરમિયાન ડમ્પરની ટક્કરથી દિવાલ પડતા 5 થી વધુ મહિલાઓને ઇજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત લોકોને પ્રાથમિક સારવાર માટે એમ્બ્યુલન્સથી LG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.

AMCનું ટેન્કર દીવાલને અથડાતા દિવાલ પડી ગઈ હતી અને બહાર ફૂટપાથ ઉપર ઉભેલી મહિલાઓ ઉપર દિવાલ પડતા મહિલા કાર્યકર્તાઓને નાની-મોટી ઇજાઓ થઈ હતી. આ ઘટના બનતાની સાથે જ તાત્કાલિક શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તાત્કાલિક ધોરણે ત્યાં દોડી ગયા હતા. ઇજાગ્રસ્ત મહિલાઓને 108 મારફતે સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઇજાગ્રસ્ત મહિલાઓની હાલત સામાન્ય છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...