Thursday, January 15, 2026

અમદાવાદના આ વિસ્તારમાંથી કેફેની આડમાં ચાલતું હુક્કાબાર ઝડપાયું, 32 યુવક-યુવતીઓ હુક્કો પીતા પકડાયા

spot_img
Share

અમદાવાદ : છેલ્લા ઘણા સમયથી હુક્કાબાર પર કોર્ટે પ્રતિબંધ ફરમાવતા તમામ હુક્કાબાર બંધ કરી દેવામાં આવ્યા હતા.છતાં અમદાવાદના સિંધુભવનના લોંજ કાસાનોવા કેફેની આડમાં હુક્કાબાર ઝડપાયું છે. પોલીસે કરેલી કાર્યવાહીમાં માલિક, મેનેજર અને કર્મચારીઓ સહિત 32 જેટલા યુવક-યુવતીઓ હુક્કો પીતા ઝડપાયા છે. ઉલ્લેખનીય છે કે, કેફેમાંથી 6 હુક્કા, 75 અલગ અલગ ફલેવરના પેકેટ મળ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદમાં સરખેજ પોલીસે બાતમીના આધારે સિંધુભવન રોડ પર આવેલી તાજ હોટલ નજીક આવેલા લોંજ કાસાનોવા રેસ્ટોરન્ટની આડમાં ચાલતા હુક્કાબારને ઝડપી પાડ્યું છે. પોલીસની રેડ દરમિયાન માલિક, મેનેજર અને કર્મચારીઓને ઝડપી પાડ્યા હતા. આ ઉપરાંત 32 ગ્રાહકો અલગ અલગ ટેબલ પર બેઠા હતા. પોલીસે તમામ મુદ્દામાલ ઝડપી કાર્યવાહી શરૂ કરી છે.

હુક્કાબારમાં રેડ દરમિયાન માલિક પિંકેશ પટેલ અને મેનેજર ધર્મેશ બગડા સામે કાર્યવાહી કરી છે. આ ઉપરાંત પિંકેશ પટેલની તપાસમાં રાજદીપ સોની અને ધર્મેશ બગડા પણ પાર્ટનર હોવાનું જાણવા મળ્યું હતું. હુક્કાબારમાંથી પોલીસે હુક્કા, ફ્લેવરના પેકેટ, કોલસો, પાઇપ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

સરકારે હુક્કાબાર ઉપર પ્રતિબંધ લાદી દીધા બાદ કેટલાક હુક્કાબારના સંચાલકો હજુ પણ ગેરકાયદેસર હુક્કાબાર ચલાવી રહ્યાં છે. આ હુક્કાબાર પકડાયા બાદ એવી પણ ચર્ચા જાગી છે કે, શહેર હજુ પણ અનેક જગ્યાએ ગેરકાયદે રીતે હુક્કાબાર ધમધમી રહ્યાં છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...