Tuesday, July 28, 2026

અમદાવાદમાં હનુમાન જંયતીની ભવ્ય ઉજવણી, કેમ્પ હનુમાન મંદિરમાં 22મીએ હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા નિકળશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ રોડ પર આવેલ કેમ્પના હનુમાન મંદિર દ્વારા 23 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેના પગલે 22 એપ્રિલના રોજ મંદિર દ્વારા ભવ્ય રામમંદિરના ટેબ્લો તેમજ વિવિધ ટેબ્લો સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કેમ્પના હનુમાનથી નીકળીને વાસણા જશે અને ત્યારબાદ સાંજે નીજ મંદિર પરત પહોંચશે.23 એપ્રિલ મંગળવારે ચૈત્ર સુદ પુનમના દિવસે હનુમાનજી જન્મોત્સવ પ્રસંગે હનુમાનજી મંદિર–કેમ્પ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મંગળા આરતી, સુંદરકાંડ પાઠ, મારૂતિ યજ્ઞ, ધ્વજા રોહણ, મહાપ્રસાદી (ભંડારો), છપ્પનભોગ (અન્નકૂટ)નું આયોજન કરવામાં આવ્યું છે.

કેમ્પ હનુમાનના ટ્રસ્ટી સુધીર નાણાંવટીએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન હનુમાનજીના જન્મોત્સવના આગલા દિવસે એટલે કે 22 એપ્રિલને સોમવારના રોજ સવારે 7:30 વાગ્યે સુપ્રિમ કોર્ટના નિવૃત્ત જજ એમ.આર.શાહ તથા મેજર જનરલ ઓનરેબલ એસ.કે. વીર્ક તેમજ પ્રમુખ ટ્રસ્ટી સુધીર નાણાવટી તથા અન્ય ટ્રસ્ટીઓ દ્વારા ધાર્મિક વિધિ સંપન્ન થયા બાદ હનુમાનજી મંદિર-કેમ્પથી પરંપરાગત યાત્રાનું પ્રસ્થાન કરાવશે. આ વખતે યાત્રામાં ખાસ આકર્ષણ શ્રીરામ મંદિર અયોધ્યાની વિશાળ આબેહૂબ પ્રતિકૃતિ, ટેબ્લો સ્વરૂપે સમગ્ર યાત્રામાં સામેલ રહેશે. આ ઉપરાંત શોભાયાત્રામાં 11 ટેબ્લો કે જે ધાર્મિક, સામાજિક ઉદ્દેશને રજૂ કરતા હશે, 14 સુશોભિત ટ્રકો હશે, 5 નાના સુશોભિત વાહનો, ભજન મંડળીઓ, અખાડો, હનુમાનજીની વિશાળ ગદા ઉપરાંત 200 ટુ-વ્હીલર તેમજ 50થી 75 ફોર વ્હીલર યાત્રામાં જોડાશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સનાતન સંસ્કૃતિ પ્રમાણે આપણે ત્યાં પ્રણાલી છે કે, આપણા ઘરમાં કોઈપણ ઉત્સવ પ્રસંગે સૌપ્રથમ આપણાં વડીલોની અનુમતિ લઈએ છીએ. તેમના આશીર્વાદ મેળવીએ છીએ. એ જ પ્રણાલી મુજબ 23 એપ્રિલ મંગળવારના રોજ હનુમાનજી જન્મોત્સવની કેમ્પ-મંદિર ખાતે ઉજવણીની અનુમતિ તેમજ પિતાના આશીર્વાદ મેળવવા માટે આગલા દિવસે 22 એપ્રિલ સોમવારના રોજ હનુમાનજીના પિતા વાયુદેવતાના મંદિર વાસણા ખાતે શોભાયાત્રા સ્વરૂપે જઈ અને જન્મોત્સવ ઉજવવાની આશીર્વાદ સાથે અનુમતિ લઈને પરત આવીએ છીએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ધો-10માં અત્યાર સુધીનું સૌથી વધુ 83.86% પરિણામ, 9 લાખથી વધુ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત

ગાંધીનગર : ગુજરાત સેકન્ડરી અને હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા લેવાયેલ ધોરણ 10 (SSC) પરીક્ષાનું પરિણામ આજે 6 મે, 2026ના રોજ સવારે 8:00...

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...