Tuesday, February 17, 2026

અમદાવાદમાં હનુમાન જંયતીની ભવ્ય ઉજવણી, કેમ્પ હનુમાન મંદિરમાં 22મીએ હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા નિકળશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ એરપોર્ટ રોડ પર આવેલ કેમ્પના હનુમાન મંદિર દ્વારા 23 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. જેના પગલે 22 એપ્રિલના રોજ મંદિર દ્વારા ભવ્ય રામમંદિરના ટેબ્લો તેમજ વિવિધ ટેબ્લો સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જે કેમ્પના હનુમાનથી નીકળીને વાસણા જશે અને ત્યારબાદ સાંજે નીજ મંદિર પરત પહોંચશે.23 એપ્રિલ મંગળવારે ચૈત્ર સુદ પુનમના દિવસે હનુમાનજી જન્મોત્સવ પ્રસંગે હનુમાનજી મંદિર–કેમ્પ ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં મંગળા આરતી, સુંદરકાંડ પાઠ, મારૂતિ યજ્ઞ, ધ્વજા રોહણ, મહાપ્રસાદી (ભંડારો), છપ્પનભોગ (અન્નકૂટ)નું આયોજન કરવામાં આવ્યું છે.

કેમ્પ હનુમાનના ટ્રસ્ટી સુધીર નાણાંવટીએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ શોભાયાત્રાનું આયોજન હનુમાનજીના જન્મોત્સવના આગલા દિવસે એટલે કે 22 એપ્રિલને સોમવારના રોજ સવારે 7:30 વાગ્યે સુપ્રિમ કોર્ટના નિવૃત્ત જજ એમ.આર.શાહ તથા મેજર જનરલ ઓનરેબલ એસ.કે. વીર્ક તેમજ પ્રમુખ ટ્રસ્ટી સુધીર નાણાવટી તથા અન્ય ટ્રસ્ટીઓ દ્વારા ધાર્મિક વિધિ સંપન્ન થયા બાદ હનુમાનજી મંદિર-કેમ્પથી પરંપરાગત યાત્રાનું પ્રસ્થાન કરાવશે. આ વખતે યાત્રામાં ખાસ આકર્ષણ શ્રીરામ મંદિર અયોધ્યાની વિશાળ આબેહૂબ પ્રતિકૃતિ, ટેબ્લો સ્વરૂપે સમગ્ર યાત્રામાં સામેલ રહેશે. આ ઉપરાંત શોભાયાત્રામાં 11 ટેબ્લો કે જે ધાર્મિક, સામાજિક ઉદ્દેશને રજૂ કરતા હશે, 14 સુશોભિત ટ્રકો હશે, 5 નાના સુશોભિત વાહનો, ભજન મંડળીઓ, અખાડો, હનુમાનજીની વિશાળ ગદા ઉપરાંત 200 ટુ-વ્હીલર તેમજ 50થી 75 ફોર વ્હીલર યાત્રામાં જોડાશે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સનાતન સંસ્કૃતિ પ્રમાણે આપણે ત્યાં પ્રણાલી છે કે, આપણા ઘરમાં કોઈપણ ઉત્સવ પ્રસંગે સૌપ્રથમ આપણાં વડીલોની અનુમતિ લઈએ છીએ. તેમના આશીર્વાદ મેળવીએ છીએ. એ જ પ્રણાલી મુજબ 23 એપ્રિલ મંગળવારના રોજ હનુમાનજી જન્મોત્સવની કેમ્પ-મંદિર ખાતે ઉજવણીની અનુમતિ તેમજ પિતાના આશીર્વાદ મેળવવા માટે આગલા દિવસે 22 એપ્રિલ સોમવારના રોજ હનુમાનજીના પિતા વાયુદેવતાના મંદિર વાસણા ખાતે શોભાયાત્રા સ્વરૂપે જઈ અને જન્મોત્સવ ઉજવવાની આશીર્વાદ સાથે અનુમતિ લઈને પરત આવીએ છીએ.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...