Thursday, September 18, 2025

અમદાવાદના રિવરફ્રન્ટ પર સામૂહિક આપઘાતનો પ્રયાસ, એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ

Share

Share

અમદાવાદ: શહેરના રિવરફ્રન્ટ ખાતે સોમવારે એક પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક જ પરિવારના વૃદ્ધ માતા, તેમની યુવાન દીકરી, દીકરો અને દીકરીના 6 વર્ષીય પુત્ર સાથે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. જમાઈના ત્રાસથી આખા પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યાનું સામે આવ્યુ છે. આ સમયે રિવરફ્રન્ટ વોકવે પર હાજર લોકો અને કિન્નર તથા ફાયરબ્રિગેડની ટીમે ચારેય લોકોને બચાવી લીધા હતા. આ મામલે હવે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે આગળની કાર્યવાહી કરીને તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરની સાબરમતી નદીમાં સોમવારે એક પરિવારે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. અમદાવાદના ભુદરપુરા વિસ્તારમાં વસવાટ કરતા એક જ પરિવારના ચાર સભ્યોએ નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જોકે તે સમયે રિવરફ્રન્ટ વોકવે પર હાજર લોકો અને કિન્નર તથા ફાયરબ્રિગેડની ટીમે ચારેય લોકોને બચાવી લીધા હતાં. પ્રાથમિક તબક્કે કોઈપણ સુસાઇડ નોટ પોલીસને મળી આવી નથી. જે મામલે હવે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે તપાસ હાથ ધરી છે.

સોમવારના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પર ચંદ્રનગર તરફના વોકવે પરથી બે મહિલા, એક પુરુષ અને છ વર્ષના બાળકે નદીમાં પડતું મુકીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ સમયે રિવરફ્રન્ટ વોકવે પર અનેક લોકો હાજર હોવાથી ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. આ અંગેની જાણ કરાતા ફાયરબ્રિગેડની ટીમ પણ ત્યાં આવી પહોંચી હતી. ફાયરની રેસ્ક્યૂ ટીમે અન્ય લોકોને બચાવી લઈ નદીમાંથી બહાર કાઢ્યા હતા. જેથી આખા પરિવારને લોકોની હિંમત અને ફાયર બ્રિગેડની ટીમે બચાવી લીધો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...