Tuesday, January 20, 2026

નવા વાડજમાં જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ ત્રણ લોકો સોનાની 36 કાંટી લઈ ફરાર

spot_img
Share

અમદાવાદ : શહેરના નવા વાડજ વિસ્તારમાં શાકમાર્કેટમાં ગ્રાહક બનીને જ્વેલર્સમાં આવેલા બે યુવક અને એક યુવતીએ વેપારીની નજર ચુકવી સોનાની કાંટીનું પેકેટ લઇ રફુચક્કર બનતા વેપારીઓમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. દુકાનદારે સ્ટોકની ગણતરી કરતા એક પેકેટ ઓછું જણાયું હતું. જેથી દુકાનદારે CCTV ચેક કર્યા તો ત્રણ લોકો જ આ ચોરી કરતા હોવાનું દેખાયું હતું. જેથી દુકાનદારે ત્રણેય વિરુદ્ધમાં વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ નારણપુરામાં રહેતા અતુલ શાહને નવા વાડજ શાક માર્કેટમાં આભૂષણ જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાન ધરાવે છે. ગત 3 મેના રોજ સાંજે તા30-040-24 થી તા-03-05-024 સુધીનો દિન-4 નો દુકાનના સ્ટોકની ગણતરી કરતા હતા, ત્યારે સ્ટોકમાં સોનાની 36 કાંટી દેખાઈ નહોતી. જેથી તેમણે તેમના દીકરા અને દુકાનના કર્મચારીને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ દુકાનના CCTV ચેક કર્યા ત્યારે 30 એપ્રિલ રોજ સવારે દુકાનમાં બે યુવક અનેક યુવતી ખરીદી કરવા માટે આવ્યા હતા.

ત્રણે જણા દુકાનમાં સોનાની કાંટીની ખરીદી કરવા માટે આવ્યા હતા, ત્યારે તેમની દુકાનમાં નોકરી કરતા કલ્પેશ શાહ સોનાની કાંટી બતાવી રહ્યા હતા. આ સમયે કલ્પેશભાઈની નજર ચૂકવીને એક યુવકે 36 કાંટીનું પેકેટ ચોરી કરી લીધું હતું. ત્રણેય જણાએ ભેગા મળીને 29.430 ગ્રામ એટલે કે કુલ 1.47 લાખના સોનાની નજર ચૂકવીને ચોરી કરી હતી. ત્રણેય સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...