Tuesday, September 16, 2025

નવા વાડજમાં જ્વેલર્સની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલ ત્રણ લોકો સોનાની 36 કાંટી લઈ ફરાર

Share

Share

અમદાવાદ : શહેરના નવા વાડજ વિસ્તારમાં શાકમાર્કેટમાં ગ્રાહક બનીને જ્વેલર્સમાં આવેલા બે યુવક અને એક યુવતીએ વેપારીની નજર ચુકવી સોનાની કાંટીનું પેકેટ લઇ રફુચક્કર બનતા વેપારીઓમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. દુકાનદારે સ્ટોકની ગણતરી કરતા એક પેકેટ ઓછું જણાયું હતું. જેથી દુકાનદારે CCTV ચેક કર્યા તો ત્રણ લોકો જ આ ચોરી કરતા હોવાનું દેખાયું હતું. જેથી દુકાનદારે ત્રણેય વિરુદ્ધમાં વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ મુજબ નારણપુરામાં રહેતા અતુલ શાહને નવા વાડજ શાક માર્કેટમાં આભૂષણ જ્વેલર્સ નામની સોના ચાંદીની દુકાન ધરાવે છે. ગત 3 મેના રોજ સાંજે તા30-040-24 થી તા-03-05-024 સુધીનો દિન-4 નો દુકાનના સ્ટોકની ગણતરી કરતા હતા, ત્યારે સ્ટોકમાં સોનાની 36 કાંટી દેખાઈ નહોતી. જેથી તેમણે તેમના દીકરા અને દુકાનના કર્મચારીને આ અંગે જાણ કરી હતી. ત્યારબાદ દુકાનના CCTV ચેક કર્યા ત્યારે 30 એપ્રિલ રોજ સવારે દુકાનમાં બે યુવક અનેક યુવતી ખરીદી કરવા માટે આવ્યા હતા.

ત્રણે જણા દુકાનમાં સોનાની કાંટીની ખરીદી કરવા માટે આવ્યા હતા, ત્યારે તેમની દુકાનમાં નોકરી કરતા કલ્પેશ શાહ સોનાની કાંટી બતાવી રહ્યા હતા. આ સમયે કલ્પેશભાઈની નજર ચૂકવીને એક યુવકે 36 કાંટીનું પેકેટ ચોરી કરી લીધું હતું. ત્રણેય જણાએ ભેગા મળીને 29.430 ગ્રામ એટલે કે કુલ 1.47 લાખના સોનાની નજર ચૂકવીને ચોરી કરી હતી. ત્રણેય સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવતા પોલીસ તપાસ શરૂ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

શિક્ષણ બોર્ડનો વિદ્યાર્થીલક્ષી નિર્ણય, માર્કશીટ-સર્ટિફિકેટમાં ઓનલાઈન સુધારા શક્ય, હવે QR કોડ-UPIથી થશે ફી ભરવાની પ્રક્રિયા

ગાંધીનગર : ગુજરાત શિક્ષણ બોર્ડે વિદ્યાર્થીઓના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે અંતર્ગત હવે વિદ્યાર્થીઓ માર્કશીટ અને પ્રમાણપત્રોમાં ઓનલાઈન સુધારા કરી શકશે. આ...

શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવનારા શિક્ષકોને મોટી ભેટ, STની બસોમાં આજીવન નિઃશુલ્ક મુસાફરીનો મળશે લાભ

ગાંધીનગર : ગુજરાતમાં જે શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળ્યો છે, તેમના માટે રાજ્ય સરકાર મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નિર્ણય...

ગુજરાતમાં ઈમરજન્સીમાં ડાયલ–112 સેવાનો પ્રારંભ, ‘એક નંબર, અનેક સેવાઓ’

ગાંધીનગર : ગુજરાત સરકારના ‘ડાયલ 112’ પ્રોજેક્ટનો કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે શુભારંભ કર્યો હતો. જેમાં રાજ્યમાં બનતા અપરાધિક બનાવો, માર્ગ અકસ્માતો અને અન્ય...

અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ, વ્યાસવાડી પગપાળા સંઘે મંદિરના શિખર પર ધજા અર્પણ કરી

અંબાજી : ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર સ્થિત શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભની પૂર્વ સંધ્યાએ ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. 51 શક્તિપીઠમાંનું એક એવા આ...

ભાદરવી પૂનમ મહામેળો 2025,અંબાજી મહા મેળામાં પાર્કિંગની ચિંતા હવે દૂર-ઓનલાઇન નિઃશુલ્ક પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ

અંબાજી : શક્તિ, ભક્તિ અને આસ્થાનાં કેન્દ્ર એવા અંબાજી ખાતે આગામી તા.1 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો 2025નું આયોજન કરાશે. જિલ્લા...

ગણેશ મહોત્સવમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ યોજાશે, વિજેતાને મળશે આટલા લાખ, જાણો શરતો

ગાંધીનગર : રાજ્યમાં સાંસ્કૃતિક વારસા અને પરંપરાગત લોક સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-2025’ની જાહેરાત યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના...

ગાંધીનગરમાં નશામાં ધૂત કાર ચાલકે અનેક લોકોને અડફેટે લીધા, એક મહિલા સહિત ત્રણના મોત

ગાંધીનગર : ગાંધીનગરના રાંદેસણ વિસ્તારમાં આજે (25 જુલાઈ, 2025) સવારે અકસ્માતની એક ગંભીર ઘટના સામે આવી છે. ભાઇજીપુરાથી સિટી પલ્સવાળા સર્વિસ રોડ પર ટાટા...

અમદાવાદ-ગાંધીનગરમાં રહેનારા ખાસ વાંચે, ગાંધીનગરની આ 15 જગ્યાઓ આસપાસ જવા પર પ્રતિબંધ

ગાંધીનગર : ગાંધીનગરમાં કેનાલમાં ડૂબી જવાથી એકનું મોત થયું છે. એકના મોત બાદ વહીવટી તંત્ર સફાળુ જાગ્યું છે. જળાશયો આસપાસ પ્રવેશ કરવા પર મનાઇ...