Friday, March 13, 2026

ટૂંક સમયમાં અમદાવાદમાં રાજ્યની પ્રથમ હરતી ફરતી પાસપોર્ટ સેવા વાન ખુલ્લી મૂકાશે

spot_img
Share

અમદાવાદ : શહેરમાં હવે રસ્તા પર પાસપોર્ટ સેવા વાન હરતી ફરતી જોવા મળશે. રાજ્યની પ્રથમ અમદાવાદ શહેરમાં થોડા જ દિવસોમાં પાસપોર્ટ વાન સેવા શરૂૂ થશે. રાજ્યમાં પ્રથમ વખત આજે અમદાવાદ શહેરમાં પાસપોર્ટ વાનને ગુલબાઈ ટેકરા ખાતે આવેલા રિજનલ પાસપોર્ટ કચેરી ખાતે ખુલ્લી મૂકાશે. અરજદારોને ઓનલાઈન અપોઈન્ટમેન્ટ માટે ઓનલાઈન પાસપોર્ટ સેવા વાનનો વિકલ્પ આપવામાં આવશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ રાજ્યની પ્રથમ અમદાવાદ શહેરમાં થોડા જ દિવસોમાં પાસપોર્ટ વાન સેવા શરૂૂ થશે. આ પાસપોર્ટ સર્વિસ વાનમાં 2 ટેબલો લગાવામાં આવ્યા છે. જે ફૂલ્લી એસીથી સજ્જ વાન રહેશએ અને અહીં 2 કમ્પ્યુટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે અહીં 2 કર્મીઓ અંદર બેસી શકશે અને કામ કરશે. હજુ આ ટ્રાયલ રન પર પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. ચંદીગઢમાં તે સફળથા પૂર્વક ચાલ્યો હતો જેથી કરીને હવે ગુજરાતમાં આને શરૂ કરાયો અને બાદમાં એવા પણ પ્લાનિંગ છે કે અમદાવાદ સિવાય અન્ય 3 સ્થળે પણ આને ખુલ્લો મુકાશે.

શહેરના વિવિધ લોકેશન પર પણ આ વાનને તૈનાત કરાય એવી કામગીરી પણ ચાલશે. એટલું જ નહીં જ્યારે કોઈપણ વ્યક્તિ પાસપોર્ટને લગતી અરજી કરે તો તેને એપોઈન્ટમેન્ટ માટે ઓનલાઈન પાસપોર્ટ સર્વિસ વેનનો પણ વિકલ્પ આપવામાં આવશે. અત્યારે આ પહેલી વાનને તો રિજનલ પાસપોર્ટ કચેરી ખાતે ખુલ્લી મુકાશે ત્યારબાદ અમદાવાદની આસપાસના ગામડામાં એવા ઘણા વિસ્તારો છે જ્યાં પોસ્ટ પાસપોર્ટ સેવા કેન્દ્રની સુવિધા મળવી મુશ્કેલ છે તેવી જગ્યા પર આ વેન કાર્યરત રહેશે.

આ સુવિધાને પગલે વેઈટિંગ પિરિયડ જે પ્રમાણે વધી રહ્યો છે તે પણ ઘટશે અને આ વાનનું સમયાંતરે લોકેશન શહેરભરમાં ચેન્જ થશે જેથી કરીને બધા જ સ્થળે આ ફરે. અહીં પાસપોર્ટને લગતા તમામ નાના મોટા કામ કરાશે એવી પ્રાથમિક માહિતી પણ મળી રહી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...