Friday, March 13, 2026

અમદાવાદ ગ્રામ્ય DEO કચેરીમાંથી નિર્દેશ, કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે શિક્ષણવિભાગ થયું સતર્ક

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ પોલીસ પ્રશાસનની સાથે શિક્ષણ વિભાગ પણ સતર્ક બન્યું છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર શિક્ષણ અધિકારી કચેરી દ્વારા તેના હસ્તકની તમામ શાળાઓને સતર્ક રહેવા સૂચના આપી અને કેટલીક મહત્વની બાબતોનું ધ્યાન રાખવા માટે કહેવામાં આવ્યું છે. કચેરી દ્વારા શાળાઓને સૂચના અપાઇ છે કે હાલ વેકેશનનો સમય છે, જેથી બાળકો શાળામાં નથી તેમ છતાં પરિસરમાં સુરક્ષાકર્મીઓની હાજરી સુનિશ્ચિત કરવામાં આવે. જેથી કરીને શાળામાં બનતી ગતિવિધિ અંગે ધ્યાન રાખી શકાય.

અમદાવાદ ગ્રામ્યના DEO કૃપા ઝાના જણાવ્યા મુજબ શાળાઓને સૂચના અપાઇ છે કે, હાલ વેકેશનનો સમય છે, જેથી બાળકો શાળામાં નથી. તેમ છતાં પરિસરમાં સુરક્ષાકર્મીઓની હાજરી સુનિશ્ચિત કરવામાં આવે. જેથી કરીને શાળામાં બનતી ગતિવિધિ અંગે ધ્યાન રાખી શકાય. સાથે સાથે સૌથી મોટી બાબતે છે કે છે કે અગાઉ 6 મેના રોજ ઈમેલથી ધમકી મળી હતી. જેથી શાળાના અધિકૃત મેઇલ પર આવતા તમામ મેઈલનું ધ્યાન રાખીને જો કોઈ શંકાસ્પદ મેઈલ કે સંદેશ જણાય તો તાત્કાલિક પોલીસ પ્રશાસન અને કચેરીને જાણ કરવા માટે પણ સૂચના અપાઇ છે.

શાળાના અધિકૃત મેઇલ પર આવતા તમામ મેઈલનું ધ્યાન રાખી જો કોઈ શંકાસ્પદ મેઈલ કે સંદેશ જણાય તો તાત્કાલિક પોલીસ પ્રશાસન અને કચેરીને જાણ કરવા માટે પણ સૂચના અપાઇ છે. મહત્વનું છે કે 6 મેએ અમદાવાદ શહેરની 30 થી વધારે શાળાઓને મેઇલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી.જેના પગલે પોલીસ કમિશનર જી એસ મલિક દ્વારા તાત્કાલિક ક્રાઇમબ્રાંચ, એસઓજી , સાયબર ક્રાઇમ અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ મામલે વિશેષ ટીમ બનાવીને તપાસ શરૂ કરવાની સુચના આપી હતી.

તમને જણાવી દઈએ કે અમદાવાદની શાળાઓને ધમકીભર્યા ઈ-મેઈલ મળવાના કેસને લઇને પોલીસે મોટાભાગની તપાસ પૂર્ણ થઇ હતી. પોલીસ તપાસમા સ્કૂલોમાંથી કોઈ પણ વાંધાજનક વસ્તુઓ મળી આવી નથી. આ અફવા સાબિત થઇ હતી. અફવા ફેલાવવા બદલ સાયબર ક્રાઇમ અમદાવાદ શહેર ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો.અમદાવાદ પોલીસ દ્ધારા અપીલ કરવામા આવે છે કે “કોઈએ આ બાબતે ગભરાવવાની જરુર નથી, કોઈ પણ પ્રકારની અફવાઓ સોશિયલ મીડીયા પર આવતા ખોટા મેસેજોથી દૂર રહેવુ, શાંતિ રાખવી અને સાવધાન રહેવું.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...