Wednesday, January 7, 2026

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે VIP લોન્જ બંધ કરવાનો નિર્ણય, જાણો કારણ ?

spot_img
Share

અમદાવાદ : ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ના એક્ઝિક્યુટિવ લોન્જની સુવિધા દેશનાં ઘણાં મોટાં રેલવે સ્ટેશનો પર ઉપલબ્ધ છે. રાજ્યના સૌથી વ્યસ્ત ગણાતા એવા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર એક્ઝિક્યુટિવ લોન્જની સુવિધાને બંધ કરી દેવામાં આવી છે. કાલુપુર રેલવે સ્ટેશનને રિડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે હાલમાં આ એક્ઝિક્યુટિવ લોન્ચ બંધ કરવામાં આવ્યું હોવાનું મીડિયા રિપોર્ટ જણાવે છે. કાલુપુર રેલવે સ્ટેશન નવું બનતા હજી ત્રણ વર્ષ સુધી ચાલશે. જેથી ત્રણ વર્ષ સુધી હવે મુસાફરોને રેલવે સ્ટેશન પર કોઈ VIP સુવિધા મળશે નહીં.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રિડેવલપમેન્ટને લઈને એક્ઝિક્યુટિવ લોન્જની સુવિધાને બંધ કરી દેવામાં આવી છે. IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલા રેલવે લોન્જમાં મુસાફરોને ચા-કોફી, મેગેઝિન, વાઈ-ફાઈ, સમાચારપત્ર, ટ્રેનની માહિતી, ટોઈલેટ, બાથરૂમ વગેરેની સુવિધા મળે છે. જોકે, આ સુવિધાનો ઉપયોગ કરવા માટે ચાર્જ ચૂકવવો પડે છે. 1 કલાકનો ચાર્જ ચૂકવી સુવિધાનો મુસાફરો એક્ઝિક્યુટિવ લોન્જનો ઉપયોગ કરી શકતા હતા, પરંતુ હવે અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર મુસાફરો અને પ્લેટફોર્મ ઉપર જ પોતાનો સમય પસાર કરવો પડશે. રિડેવલપમેન્ટને લઈને આ લોન્જ બંધ કરી દેવામાં આવ્યું છે.

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનને રિડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે, ત્યારે હજી પ્લેટફોર્મ પરની કામગીરી શરૂ કરવામાં આવી નથી. આ ઉપરાંત અનેક ટ્રેનો હજી કાલુપુર રેલવે સ્ટેશનથી જ ઊપડે છે અને ત્યાંથી જ અવરજવર થઈ રહી છે, ત્યારે જ્યાં સુધી સંપૂર્ણપણે કાલુપુર રેલવે સ્ટેશનને ઓપરેશન માટે બંધ ન કરવામાં આવે ત્યાં સુધી એક્ઝિક્યુટિવ લોન્ચ ચાલુ રાખવામાં આવ્યું હોત તો મુસાફરોને કોઈ તકલીફ ન પડે. જોકે છેલ્લા કેટલાય સમયથી IRCTC દ્વારા ચલાવવામાં આવતા એક્ઝિક્યુટિવ લોન્ચની ફરિયાદો પણ મળતી હતી. હવે રિડેવલપમેન્ટ થવાનું હોવાથી હાલમાં આ સુવિધા બંધ કરી દેવાતા મુસાફરોને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર કોઈ VIP સુવિધા મળશે નહીં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....

ગિફ્ટ સિટીમાં દારૂના નિયમોમાં મોટો ફેરફાર, વિદેશી પ્રવાસીઓ તથા અન્ય રાજ્યના ઓળખપત્ર બતાવી મેળવી શકશે દારૂ

ગાંધીનગર : ગિફ્ટ સિટીના મુલાકાતીઓ અને કર્મચારીઓને ક્રિસમસ અને નવા વર્ષની શાનદાર ભેટ સમાન નિર્ણયમાં રાજ્ય સરકારે દારૂબંધીના નિયમમાં વધુ રાહત આપતું જાહેરનામું બહાર...

GSRTCની નવી પહેલ, હવે ST બસમાં મુસાફરી દરમિયાન મળશે ગરમાગરમ ભોજન, જાણો કઈ રીતે કરશો ઓર્ડર

ગાંધીનગર : ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) દ્વારા મુસાફરોની સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. હાઈ-ટેક બસો બાદ હવે નિગમે મુસાફરોની જઠરાગ્નિ...

ઇમ્પેક્ટ ફીની મુદતમાં પાંચમી વખત છ માસનો વધારો, ગેરકાયદેસર બાંધકામ થઈ જશે કાયદેસર

ગાંધીનગર : ગુજરાત અનધિકૃત વિકાસ નિયમિત કાયદા 2022 હેઠળ રાજ્ય સરકાર દ્વારા ઇમ્પેક્ટ ફી ભરીને ગેરકાયદેસર બાંધકામને કાયદેસર કરવા માટેની સમયમર્યાદા આગામી 6 મહિના...

મોંઘવારીનો વધુ એક માર, વાહનોનું PUC કઢાવવું હવે મોંઘું થશે ! ટુ-વ્હીલર, ફોર-વ્હીલરના નવા ભાવ જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકારે વાહનો માટે પીયુસીના દરમાં વધારો કર્યો છે. વાહનો માટે ફરજિયાત પોલ્યુશન અન્ડર કંટ્રોલ સર્ટિફિકેટ (પીયુસી) મેળવવા હવે વાહન માલિકોને વધુ...