Thursday, March 26, 2026

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન ખાતે VIP લોન્જ બંધ કરવાનો નિર્ણય, જાણો કારણ ?

spot_img
Share

અમદાવાદ : ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC)ના એક્ઝિક્યુટિવ લોન્જની સુવિધા દેશનાં ઘણાં મોટાં રેલવે સ્ટેશનો પર ઉપલબ્ધ છે. રાજ્યના સૌથી વ્યસ્ત ગણાતા એવા અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર એક્ઝિક્યુટિવ લોન્જની સુવિધાને બંધ કરી દેવામાં આવી છે. કાલુપુર રેલવે સ્ટેશનને રિડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે હાલમાં આ એક્ઝિક્યુટિવ લોન્ચ બંધ કરવામાં આવ્યું હોવાનું મીડિયા રિપોર્ટ જણાવે છે. કાલુપુર રેલવે સ્ટેશન નવું બનતા હજી ત્રણ વર્ષ સુધી ચાલશે. જેથી ત્રણ વર્ષ સુધી હવે મુસાફરોને રેલવે સ્ટેશન પર કોઈ VIP સુવિધા મળશે નહીં.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર રિડેવલપમેન્ટને લઈને એક્ઝિક્યુટિવ લોન્જની સુવિધાને બંધ કરી દેવામાં આવી છે. IRCTC દ્વારા શરૂ કરવામાં આવેલા રેલવે લોન્જમાં મુસાફરોને ચા-કોફી, મેગેઝિન, વાઈ-ફાઈ, સમાચારપત્ર, ટ્રેનની માહિતી, ટોઈલેટ, બાથરૂમ વગેરેની સુવિધા મળે છે. જોકે, આ સુવિધાનો ઉપયોગ કરવા માટે ચાર્જ ચૂકવવો પડે છે. 1 કલાકનો ચાર્જ ચૂકવી સુવિધાનો મુસાફરો એક્ઝિક્યુટિવ લોન્જનો ઉપયોગ કરી શકતા હતા, પરંતુ હવે અમદાવાદના રેલવે સ્ટેશન ઉપર મુસાફરો અને પ્લેટફોર્મ ઉપર જ પોતાનો સમય પસાર કરવો પડશે. રિડેવલપમેન્ટને લઈને આ લોન્જ બંધ કરી દેવામાં આવ્યું છે.

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનને રિડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે, ત્યારે હજી પ્લેટફોર્મ પરની કામગીરી શરૂ કરવામાં આવી નથી. આ ઉપરાંત અનેક ટ્રેનો હજી કાલુપુર રેલવે સ્ટેશનથી જ ઊપડે છે અને ત્યાંથી જ અવરજવર થઈ રહી છે, ત્યારે જ્યાં સુધી સંપૂર્ણપણે કાલુપુર રેલવે સ્ટેશનને ઓપરેશન માટે બંધ ન કરવામાં આવે ત્યાં સુધી એક્ઝિક્યુટિવ લોન્ચ ચાલુ રાખવામાં આવ્યું હોત તો મુસાફરોને કોઈ તકલીફ ન પડે. જોકે છેલ્લા કેટલાય સમયથી IRCTC દ્વારા ચલાવવામાં આવતા એક્ઝિક્યુટિવ લોન્ચની ફરિયાદો પણ મળતી હતી. હવે રિડેવલપમેન્ટ થવાનું હોવાથી હાલમાં આ સુવિધા બંધ કરી દેવાતા મુસાફરોને અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર કોઈ VIP સુવિધા મળશે નહીં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...