Monday, March 16, 2026

અમદાવાદમાં આ પોલીસ કર્મીએ જ પોલીસ સ્ટેશન સાથે કરી 53.65 લાખની ઉચાપત

spot_img
Share

અમદાવાદ: સામાન્ય રીતે પોલીસ સ્ટેશનમાં ચોરી કે ઉચાપતને લઈને ફરિયાદ નોંધાતી હોય છે, પરંતુ અમદાવાદનાં એક પોલીસ સ્ટેશન માંથી જ લાખો રૂપિયાની ઉચાપતનો કિસ્સો સામે આવ્યો છે અને આ ઉચાપત કરનાર કાયદાનો રક્ષક પોલીસ કર્મચારી જ છે. આ ઘટના સાબરમતી પોલીસ સ્ટેશનમાં સામે આવી છે.આ પોલીસ સ્ટેશનમાં ક્રાઇમ રાઈટર તરીકે ફરજ બજવત ASI જયેન્દ્રસિંહ પરમારે જુદા જુદા ગુનાઓનાં સરકારી મુદ્દામાલ એવા રોકડ નાણા 53.65 લાખની ઉચાપત કરી છે. 6 મહિના અગાઉ પ્રકાશમાં આવેલી ઉચાપતની ઘટના ઘર મેળે પતાવવાના પ્રયાસ કરી રહેલી સાબરમતી પોલીસને આખરે ફરિયાદ નોંધવાની ફરજ પડી.

નવેમ્બર-2023માં અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે 7 વર્ષથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરી હતી. સાબરમતી પોલીસ સ્ટેશનમાં ક્રાઈમ રાઈટર હેડના પદ પર ફરજ બજાવતા ASI જયેન્દ્રસિંહ પરમારની તારીખ 9 નવેમ્બર 2023ના રોજ વિશેષ શાખામાં બદલી થઈ ગઈ હતી. દરમિયાનમાં 23 નવેમ્બર 2023થી જયેન્દ્રસિંહ પરમાર બિમારીની રજા પર ચાલ્યા ગયા હતા. 25 નવેમ્બર 2023માં ઓઢવ પોલીસ સ્ટેશન ખાતેથી સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે આવેલા ASI વિનોદભાઇ ગોરાભાઇને માર્ચ-2024માં હંગામી ક્રાઈમ રાઈટર હેડ તરીકે નિમણૂક અપાઈ હતી.

એક રિપોર્ટ મુજબ પોલીસ સ્ટેશનમાં રહેલા મુદ્દામાલની ચકાસણી અને ગણતરી વખતે ASI વિનોદભાઇના સાથી કર્મચારી કોન્સ્ટેબલ મુકેશભાઇ હમીરભાઇએ જણાવ્યું હતું કે, મુદ્દામાલની તિજોરીઓની ચાવીઓ હંમેશા જયેન્દ્રસિંહ પોતાની પાસે જ રાખતા હતા. પ્રાથમિક તપાસમાં લાખો રૂપિયાનો રોકડ મુદ્દામાલ ગાયબ હોવાની જાણકારી મળતા વિનોદભાઇએ ઉચ્ચ અધિકારીઓને ઘટનાથી વાકેફ કર્યા હતા. આ મામલે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, વર્ષ 2016થી લઈને વર્ષ 2023 દરમિયાન કુલ 262 ગુનાના કામે કબજે લેવાયેલા લાખો રૂપિયા ગાયબ છે. આ ઉપરાંત હરાજી કરાયેલા મુદ્દામાલની રકમ પણ ASI જયેન્દ્રસિંહ ચાંઉ કરી ગયા છે.

આ ઘટના સામે આવતા જ પીઆઇ કક્ષાના અધિકારીઓની ઉંઘ હરામ થઈ ગઈ હતી પોલીસ સ્ટેશનમાં આટલી મોટી ઘટનાની અનેક વર્ષો સુધી એક પણ અધિકારીને જાણ ન થતાં ઉચ્ચ અધિકારીઓને આ મામલે જાણ કરીને આખરે પોતાના ના જ તાબાના ASI જયેન્દ્રસિંહ બાપાલાલ પરમાર સામે ઉચાપત નો ગુનો નોંધી તેની ધરપકડ કરી ને મુદામાલ રિકવર કરવા અને આખા કૌભાંડની તપાસ શરુ કરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...