Friday, March 13, 2026

અમદાવાદીઓ આ નંબરો save કરી લો, ચોમાસામાં પાણી ભરાવા સહિતની આ સમસ્યાઓને લઈને વોટ્સએપ નંબર પર ફરિયાદ કરી શકશો

spot_img
Share

અમદાવાદ : ચોમાસા દરમિયાન વરસાદને કારણે ઉદ્ભવતી સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ થઇ શકે તે માટે શહેરીજનો સાત ઝોનમાં શરૂ કરવામાં આવેલા કંટ્રોલ રૂમમાં વ્હોટસઅપ નંબરના માધ્યમથી વરસાદ સંબંધિત ફરિયાદો નોંધાવી શકશે. અમદાવાદ મહાનગર પાલિકાની પ્રિ મોન્સુન પ્લાન અંતર્ગત મેયર પ્રતિભાબહેન જૈનની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં ચોમાસા દરમિયાન ઉભી થતી પરિસ્થિતિઓ અંગે સમીક્ષા કરવામાં આવી હતી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પાલડી સંસ્કાર કેન્દ્ર ખાતે મોનસુન મુખ્ય કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. ભારે કે અતિભારે વરસાદ કે ભારે પવન તેમજ વાવાઝોડા સાથે વરસતા વરસાદના સંજોગોમાં ઝાડ પડવાના, રસ્તા બેસી જવાના, બ્રેક ડાઉન, ભયજનક મકાનો પડી જવાના, હોર્ડિંગ્સ પડી જવાના, નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવવા જેવી સમસ્યાઓના નિરાકરણ માટે મુખ્ય કંટ્રોલ રૂમ સહિત જુદાં જુદાં ઝોનમાં ઈજનેર, એસ.ટી.પી., બગીચા ખાતે તેમજ એસ્ટેટ વિભાગની ફરિયાદોના નિવારણ માટે મ્યુનિસિપલ કોર્પોરશનના સાત ઝોનમાં ત્રણેય શિફ્ટમાં મોન્સૂન કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યો છે.

ચોમાસાના આગમનને લઈને એએમસીની પ્રી-મોન્સૂન પ્લાન રિવ્યુ બેઠક મળી હતી. જેમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના પદાધિકારીઓ અને કમિશનર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ચોમાસાને લઇને કરવાની થતી અને ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરાઈ હતી. પ્રેઝન્ટેશન દ્વારા તંત્રે આંકડાકીય માહિતી રજૂ કરી હતી.

અલગ અલગ ઝોન વોટ્સએપ નંબરો
મુખ્ય કંટ્રોલરૂમ – 9978355303
મધ્ય ઝોન – 9724615846
પૂર્વ ઝોન – 9099063856
પશ્ચિમ ઝોન – 6359980916
ઉત્તર પશ્ચિમ ઝોન – 9726416113
દક્ષિણ પશ્ચિમ ઝોન – 6359980913
ઉત્તર ઝોન – 9726415552
દક્ષિણ ઝોન – 9099063239

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...