Sunday, January 18, 2026

એસ જી હાઇવે પર રોંગ સાઈડમાં જઈ રહેલ લક્ઝરી બસચાલક સામે કડક કાર્યવાહી, ડ્રાઈવરની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના એસ.જી હાઈવે પર છાસવારે અકસ્માતની ઘટનાઓ બની રહી છે. ત્યારે એસ જી હાઇવે પર લોકોના જીવના જોખમમાં મૂકીને બસ ચલાવનાર ડ્રાઈવરનો વીડિયો સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થતાં SG-2 ટ્રાફિક પોલીસે વીડિયોના આધારે લકઝરીના ડ્રાઇવર સામે ગુનો નોંધી ધરપકડ કરી છે. આ વીડિયો મુજબ શ્રી રામ ટ્રાવેલ્સની લક્ઝરી બસનો ચાલક પકવાન બ્રિજ પાસેથી રોંગ સાઈડમાં યુ ટર્ન લઇને લોકોના જીવને જોખમમાં મૂકી લક્ઝરી બસ ચલાવી રહ્યો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં સફેદ કલરની શ્રી રામ લખેલી ટ્રાવેલ્સની લક્ઝરી બસ પકવાન બ્રિજના છેડાથી યૂ ટર્ન લઈ રોંગ સાઈડમાં આવી રહી હતી. ડ્રાઇવરે રોંગ સાઈડ પર યૂ ટર્ન લઈને રસ્તા પર જતા લોકોના તથા બસના મુસાફરોનો જીવ જોખમમાં મૂકીને બસ ચલાવતો હોવાનો વીડિયો વાઈરલ થતા SG-2 ટ્રાફિક પોલીસ દ્વારા બસના નંબરના આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી. જેમાં બસના ડ્રાઇવર સામે પોલીસે ગુનો નોંધી ડ્રાઇવરની ધરપકડ કરી છે, જ્યારે લક્ઝરી બસને ડિટેઇન કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં વાહન ચાલકો વિવિધ નિયમોનું પાલન કરે તેમજ બેદરકારીના કારણે અકસ્માત ન સર્જાય તે માટે અમદાવાદ શહેર કમિશ્નર દ્વારા ટ્રાફિક પોલીસ તેમજ સ્થાનિક પોલીસને કડક હાથે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...