Thursday, January 22, 2026

અમદાવાદની વધુ એક હોટલ વિવાદમાં, સંભારમાંથી નીકળ્યો મરેલો ઉંદર

spot_img
Share

અમદાવાદ : ખાદ્યચીજોમાં ભેળસેળની વાત ચિંતાજનક રીતે સામાન્ય બની ગઈ છે ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી ખાણીપીણીની વાનગીઓમાં જીવજંતુઓ નીકળવાની ઘટના લોકોને ચોંકાવી રહી છે.ત્યારે અમદાવાદના નિકોલનો વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જ્યાં સંભારમાંથી મરેલો ઉંદર નીકળ્યો છે. આ ઘટના ચોક્કસથી બહારનું જમવાના શોખીન લોકો માટે લાલબત્તી સમાન કહી શકાય તેમ છે.

 

View this post on Instagram

 

A post shared by mirchinews (@mirchinews)

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જોકે, આ વીડિયો અમદાવાદના નિકોલ વિસ્તારનો હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યાં ગ્રાહકે ઢોંસા ઓર્ડર કર્યા હતા. ઢોંસાની સાથે આપેલા સંભારમાંથી એક એવી વસ્તુ નીકળી હતી, જેની કલ્પના થઇ શકે નહીં. સંભારમાંથી મરેલો ઉંદર નીકળતાં ગ્રાહક ચોંકી ઊઠ્યો હતો અને રોષે ભરાયો હતો. દેવી ઢોસાના સંભારમાંથી મરેલો ઉંદર મળ્યાનો વીડિયો વાયરલ થતાં ભારે ચકચાર મચી છે. વીડિયો વાયરલ થતાં આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે.

જોકે, આ પહેલી વખત બનેલી ઘટના નથી. ખાવાપીવાની વસ્તુઓમાંથી જીવાત કે આ પ્રકારની વસ્તુ નીકળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ આવી જ એક ઘટના જામનગરમાંથી સામે આવી હતી. જ્યાં વેફરના પડીકામાંથી દેડકો નીકળ્યો હતો. પુષ્કરધામ સોસાયટીમાં રહેતા એક વ્યક્તિએ બાલાજી વેફર ખરીદી હતી, જેમાંથી મરેલો દેડકો નીકળતા ચકચાર મચી છે. આ મામલે ફૂડ વિભાગને જાણ કરતા ફુડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...