Sunday, January 25, 2026

નવા વાડજની આ રેસ્ટોરન્ટના પીઝામાંથી નીકળ્યો વાળ, ચીતરી ચઢી જાય તેવો કિસ્સો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ શહેરમાં વધુ એકવાર ખાદ્ય પદાર્થમાં કંઈક એવું નીકળ્યું, જે જોઈને ચીતરી ચઢી જાય. અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં આવેલ પિઝા સેન્ટરના પિઝામાંથી વાળ નીકળ્યો હતો. આરપી પિઝેરિયામાં (RPS) ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. જાગૃત ગ્રાહકે AMCમાં ફરિયાદ નોંધાવી છે.

મીડિયા રિપોર્ટ મુજબ નવા વાડજ વિસ્તારમાં 132 ફૂટ રિંગ રોડ પર આવેલ શિવાલીક સ્ક્વેર કોમ્પલેક્ષમાં આરપી પિઝેરિયા નામની રેસ્ટોરન્ટમાં એક ગ્રાહક તેના પરિવાર સાથે જમવા માટે ગયો હતો. તેઓએ પીઝાનો ઓર્ડર આપ્યો હતો. તમામ લોકોએ પીઝા ખાધો હતો, જ્યારે છેલ્લો એક પીઝા આવ્યો ત્યારે તે પીઝામાં જોયું તો વાળ નીકળ્યો હતો. વાળ નીકળતા તેઓએ રેસ્ટોરન્ટમાં હાજર મેનેજરને બોલાવી અને બતાવ્યું હતું. ખાવાની વસ્તુમાં આ રીતે વાળ આવવાની ફરિયાદ કરતા મેનેજરે આ બાબતે પોતાની ભૂલ સ્વીકારી અને સોરી કહી દીધું હતું તેમને પણ ખ્યાલ નથી, આ વાળ ક્યાંથી આવ્યો. AMCના ફૂડ વિભાગની ટીમને પણ ફરિયાદ કરી હતી. આ બાબતે હજી સુધી કોઈરેસ્ટોરન્ટમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી હોય તેવું જાણવા મળ્યું નથી.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નિકોલ ખાતે આવેલા દેવી ઢોસાના સાંભારમાંથી ઉંદરનું બચ્ચું નીકળ્યું હોવાની ઘટના બાદ પાલડીમાં આવેલ દાસ ખમણમાંથી જીવાત નીકળી હતી, ત્યારબાદ ગ્રાહકે દાસ ખમણની દુકાને જઈ જીવાત મામલે ફરિયાદ કરી હતી. દુકાનમાલિકે આ બાબત સ્વીકારી ફરી આવું નહિ થાય કહી માફી માંગી લીધી હતી.ગ્રાહકે આ બાબતે AMCના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી હતી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...