Friday, March 13, 2026

જુના વાડજ સર્કલ પાસે અકસ્માત, કાર લઈને નીકળેલા વૃદ્ધે કાબૂ ગુમાવતા 3 વાહનોને અડફેટે લીધા, 1નું મોત

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં અકસ્માતની એક ગોઝારી ઘટના બની છે. શહેરનાં જુના વાડજ સર્કલ તરફ જતાં રોડ પર એક કારચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 6 લોકોને ઇજા થઈ હતી. અકસ્માતને પગલે લોકોનું ટોળું ભેગું થયું હતું અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં એક શખ્સનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય લોકોની સારવાર ચાલુ છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ થલતેજની મણિચંદ્ર સોસાયટીમાં રહેતા 73 વર્ષીય રમણ પટેલ પોતાની MG એસ્ટર કાર લઇને સોરાબજી કમ્પાઉન્ડથી જુના વાડજ સર્કલ દશા માતાના મંદિર પાસે સાંજે ઓ‌વરસ્પીડમાં આવતા હતા ત્યારે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા 3 ટુ-વ્હીલર અને એક રિક્ષાને અડફેટે લીધી હતી. જેમાં ત્રણ મહિલા સહિત છ લોકોને અડફેટે લીધા હતા. ત્યારે તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે અસારવા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. જેમાં 55 વર્ષીય ભોગીલાલને માથામાં ગંભીર ઈજા થતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. જ્યારે 45 વર્ષીય અલકાબેન પરમાર, 80 વર્ષીય નર્મદાબેન સવદરિયા અને 40 વર્ષીય જાનકીબેન પરમાર આ ઉપરાંત અન્ય બે અજાણ્યા પુરુષો હાલ સારવાર હેઠળ છે. જો કે, બનાવ સ્થળે ટ્રાફિક ACP સહિતની ટીમ પહોંચી હતી અને કાર ચાલક રમણ પટેલની અટકાયત કરવામાં આવી હતી.

તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ભોગીલાલ પરમાર નામના શખ્સનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય લોકોની સારવાર ચાલુ છે. આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને અકસ્માત સર્જનાર કારચાલકની અટકાયત કરી હતી. પોલીસ તપાસ મુજબ, કારચાલકની ઓળખ થલતેજમાં રહેતા 73 વર્ષિય રમણ પટેલ તરીકે થઈ છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...