Friday, March 13, 2026

અમદાવાદના આ વિસ્તારમાં સ્કૂલ વાન સાથે ત્રિપલ અકસ્માત, બે વિદ્યાર્થીઓને પહોંચી ઈજા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં અવર નવાર અકસ્માતના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. તેવામાં એસ પી રીંગ રોડ પાસેના ઓઢવ વિસ્તારના ગિરિવર રેસીડેન્સી નજીક ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ છે. જેમાં સ્કૂલવાન સહિત બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા વિદ્યાર્થીઓ હિબકી ઉઠ્યા હતા.અકસ્માતમાં સ્કૂલ વાનમાં બેઠેલા બે બાળકોને સામાન્ય ઈજા પહોંચી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના ઓઢવ રીંગ રોડ ચાર રસ્તાથી ગિરિવર રેસિડેન્સી તરફ જવાના રસ્તે સ્કૂલ વાન જઈ રહી હતી. SIS સ્કૂલના બાળકો સ્કૂલ વાનમાં બેઠેલા હતા. સ્કૂલ વાનની આગળ અને પાછળ પણ ગાડી આવી રહી હતી. આગળની ગાડીએ બ્રેક મારતાં સ્કૂલ વાનના ડ્રાઈવરે પણ બ્રેક મારી હતી જેના કારણે પાછળથી આવી રહેલી ગાડીએ સ્કૂલ વાનને ટક્કર મારી હતી. સ્કૂલ વાનને ટક્કર મારતાં સ્કૂલ વાન આગળની ગાડીએ પણ અથડાઈ હતી. બંને ગાડીઓ વચ્ચે સ્કૂલ વાનનો અકસ્માત થયો હતો.

અકસ્માતમાં સ્કૂલ વાનમાં બેઠેલા બે બાળકોને સામાન્ય ઈજા થઈ છે જેમાંથી એક બાળકને માથામાં સામાન્ય ઈજા પહોંચી છે. જ્યારે એક બાળકીને મોઢાના ભાગે ઈજા થઈ છે. બંને બાળકોને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. અક્સ્માત થતાં સ્કૂલ વાનમાં બેઠેલા અન્ય બાળકો ડરી ગયા હતા જેથી રડવા લાગ્યા છે. અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિક પણ સર્જાયો હતો. ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક દૂર કરી કાર્યવાહી શરૂ કરી હતી.

તમને જણાવી દઈએ કે સ્કૂલ વાન અને રીક્ષાઓમાં ઘેંટા બકરાની જેમ બાળકોને ભરવામાં આવે છે છતાં વાલીઓ પોતાના જ સંતાનોને લાચાર બનીને જોયા કરે છે. કારણકે કેટલાક કિસ્સામાં ઓછા બાળકોને બેસાડવા માટે વાન કે રીક્ષા ચાલકો જેટલા પૈસા માંગે છે તેટલા આપવાની વાલીઓની ત્રેવડ નથી હોતી અને ઘણી વખત વાલીઓ વધારે પૈસા આપવા તૈયાર હોય છે પણ તેમને સ્કૂલ વર્ધીના વાહનનો વિકલ્પ મળતો નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...