Thursday, January 22, 2026

અમદાવાદના આ વિસ્તારમાં સ્કૂલ વાન સાથે ત્રિપલ અકસ્માત, બે વિદ્યાર્થીઓને પહોંચી ઈજા

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં અવર નવાર અકસ્માતના કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. તેવામાં એસ પી રીંગ રોડ પાસેના ઓઢવ વિસ્તારના ગિરિવર રેસીડેન્સી નજીક ત્રિપલ અકસ્માતની ઘટના સર્જાઈ છે. જેમાં સ્કૂલવાન સહિત બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા વિદ્યાર્થીઓ હિબકી ઉઠ્યા હતા.અકસ્માતમાં સ્કૂલ વાનમાં બેઠેલા બે બાળકોને સામાન્ય ઈજા પહોંચી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદના ઓઢવ રીંગ રોડ ચાર રસ્તાથી ગિરિવર રેસિડેન્સી તરફ જવાના રસ્તે સ્કૂલ વાન જઈ રહી હતી. SIS સ્કૂલના બાળકો સ્કૂલ વાનમાં બેઠેલા હતા. સ્કૂલ વાનની આગળ અને પાછળ પણ ગાડી આવી રહી હતી. આગળની ગાડીએ બ્રેક મારતાં સ્કૂલ વાનના ડ્રાઈવરે પણ બ્રેક મારી હતી જેના કારણે પાછળથી આવી રહેલી ગાડીએ સ્કૂલ વાનને ટક્કર મારી હતી. સ્કૂલ વાનને ટક્કર મારતાં સ્કૂલ વાન આગળની ગાડીએ પણ અથડાઈ હતી. બંને ગાડીઓ વચ્ચે સ્કૂલ વાનનો અકસ્માત થયો હતો.

અકસ્માતમાં સ્કૂલ વાનમાં બેઠેલા બે બાળકોને સામાન્ય ઈજા થઈ છે જેમાંથી એક બાળકને માથામાં સામાન્ય ઈજા પહોંચી છે. જ્યારે એક બાળકીને મોઢાના ભાગે ઈજા થઈ છે. બંને બાળકોને સારવાર માટે મોકલવામાં આવ્યા છે. અક્સ્માત થતાં સ્કૂલ વાનમાં બેઠેલા અન્ય બાળકો ડરી ગયા હતા જેથી રડવા લાગ્યા છે. અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિક પણ સર્જાયો હતો. ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક દૂર કરી કાર્યવાહી શરૂ કરી હતી.

તમને જણાવી દઈએ કે સ્કૂલ વાન અને રીક્ષાઓમાં ઘેંટા બકરાની જેમ બાળકોને ભરવામાં આવે છે છતાં વાલીઓ પોતાના જ સંતાનોને લાચાર બનીને જોયા કરે છે. કારણકે કેટલાક કિસ્સામાં ઓછા બાળકોને બેસાડવા માટે વાન કે રીક્ષા ચાલકો જેટલા પૈસા માંગે છે તેટલા આપવાની વાલીઓની ત્રેવડ નથી હોતી અને ઘણી વખત વાલીઓ વધારે પૈસા આપવા તૈયાર હોય છે પણ તેમને સ્કૂલ વર્ધીના વાહનનો વિકલ્પ મળતો નથી.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...