Friday, March 13, 2026

ન્યુ રાણીપના ચાર મિત્રોને વિદેશ જવાનો અભરખો પડ્યો ભારે, એજન્ટોએ 1.60 કરોડ ખંખેરી લીધા

spot_img
Share

અમદાવાદ: આજકાલ લોકો એમાંય ખાસ કરીને યુવાનો વિદેશ જવાની ઘેલછા રાખતા હોય છે. હવે તેમના આ સપનાને વઘારે વેગ આપી એજન્ટો કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી દેતા હોય છે. આવો જ વધુ એક કિસ્સો અમદાવાદના ન્યુ રાણીપના ચાર મિત્રો સાથે બન્યો છે. ન્યુ રાણીપમાં ચાર મિત્રો સાથે વડોદરામાં આવેલી વિઝા કન્સલટન્સીના ત્રણ કર્મચારીઓએ રૂ1.60 કરોડની ઠગાઈ આચરી હોવાનો બનાવ બન્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરનાં ન્યુ રાણીપમાં આવેલા શિવાદર્શન સોસાયટીમાં રહેતા 38 વર્ષીય હાર્દિક પટેલ સહિત ત્રણ મિત્રો સાથે બની છે. હાર્દિક પટેલ એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો હતો અને તેને કેનેડા જવા માટેનું પ્લાનિંગ શરૂ કરી દીધું હતુ. આ અંગે તેને પોતાના મિત્રોને પણ જાણ કરી તો પછી ત્રણ મિત્રો સાથે મળીને તેણે એક સારી વિઝા કન્સલ્ટન્સી ફર્મ ક્યાં આવી એની તપાસ ગૂગલ પર શરૂ કરી દીધી હતી.

શિવા દર્શન સોસાયટીમાં રહેતા 38 વર્ષીય હાર્દિક પટેલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2021માં હાર્દિક ભાઈ અને તેમના ચાર મિત્રોએ કેનેડામાં ડાયરેકટ PR વિઝા અને વર્ક પરમિટ મેળવીને સ્થાયી થવાનું નક્કી કર્યું હતું. તેમણે ગુગલ પર સર્ચ કરીને વડોદરાના વિઝા કન્સલટન્સીનો સંપર્ક કર્યો હતો. ઋષિકેશ પુરોહિત નામના એજન્ટે એક વ્યક્તિના રૂ. 40 લાખ માંગ્યા હતા. જેથી ચારેય મિત્રોએ ટુકડે ટુકડે કરીને વર્ષ 2021થી 2023 સુધીમાં રૂ.1.60 કરોડ ચૂકવી આપ્યા હતા.

વર્ષ 2021 થી 2023 સુધીમાં એજન્ટ અને તેમની ટોળકીના સભ્યોએ ચારેય મિત્રો પાસેથી કેનેડાના ડાયરેકટ PR વિઝા અને વર્ક પરમિટ આપવાની લાલચ આપતા હતા. વિઝા રીજેક્ટ થયા છે કેનેડામાં બીજા રાજ્ય માટે વિઝા મુકવા પડશે તેમ કહીને પણ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. બાદમાં પણ વિઝા નહી આવતા એજન્ટે મોબાઈલ અને ઓફીસ બંધ કરીને ફરાર થઈ ગયો હતો.

આ મામલે યુવકે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઋષિકેશ વિનાયક પુરોહિત (રહે, વડોદરા) બિશ્વદીપ બિનોય દેય (રહે, દેહરાદુન) તથા સુજાતા વાધવા (રહે, મણિનગર) ત્રણ વિરુદ્ધ છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...