Wednesday, January 21, 2026

ન્યુ રાણીપના ચાર મિત્રોને વિદેશ જવાનો અભરખો પડ્યો ભારે, એજન્ટોએ 1.60 કરોડ ખંખેરી લીધા

spot_img
Share

અમદાવાદ: આજકાલ લોકો એમાંય ખાસ કરીને યુવાનો વિદેશ જવાની ઘેલછા રાખતા હોય છે. હવે તેમના આ સપનાને વઘારે વેગ આપી એજન્ટો કરોડો રૂપિયાનો ચૂનો ચોપડી દેતા હોય છે. આવો જ વધુ એક કિસ્સો અમદાવાદના ન્યુ રાણીપના ચાર મિત્રો સાથે બન્યો છે. ન્યુ રાણીપમાં ચાર મિત્રો સાથે વડોદરામાં આવેલી વિઝા કન્સલટન્સીના ત્રણ કર્મચારીઓએ રૂ1.60 કરોડની ઠગાઈ આચરી હોવાનો બનાવ બન્યો છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, શહેરનાં ન્યુ રાણીપમાં આવેલા શિવાદર્શન સોસાયટીમાં રહેતા 38 વર્ષીય હાર્દિક પટેલ સહિત ત્રણ મિત્રો સાથે બની છે. હાર્દિક પટેલ એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી કરતો હતો અને તેને કેનેડા જવા માટેનું પ્લાનિંગ શરૂ કરી દીધું હતુ. આ અંગે તેને પોતાના મિત્રોને પણ જાણ કરી તો પછી ત્રણ મિત્રો સાથે મળીને તેણે એક સારી વિઝા કન્સલ્ટન્સી ફર્મ ક્યાં આવી એની તપાસ ગૂગલ પર શરૂ કરી દીધી હતી.

શિવા દર્શન સોસાયટીમાં રહેતા 38 વર્ષીય હાર્દિક પટેલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. વર્ષ 2021માં હાર્દિક ભાઈ અને તેમના ચાર મિત્રોએ કેનેડામાં ડાયરેકટ PR વિઝા અને વર્ક પરમિટ મેળવીને સ્થાયી થવાનું નક્કી કર્યું હતું. તેમણે ગુગલ પર સર્ચ કરીને વડોદરાના વિઝા કન્સલટન્સીનો સંપર્ક કર્યો હતો. ઋષિકેશ પુરોહિત નામના એજન્ટે એક વ્યક્તિના રૂ. 40 લાખ માંગ્યા હતા. જેથી ચારેય મિત્રોએ ટુકડે ટુકડે કરીને વર્ષ 2021થી 2023 સુધીમાં રૂ.1.60 કરોડ ચૂકવી આપ્યા હતા.

વર્ષ 2021 થી 2023 સુધીમાં એજન્ટ અને તેમની ટોળકીના સભ્યોએ ચારેય મિત્રો પાસેથી કેનેડાના ડાયરેકટ PR વિઝા અને વર્ક પરમિટ આપવાની લાલચ આપતા હતા. વિઝા રીજેક્ટ થયા છે કેનેડામાં બીજા રાજ્ય માટે વિઝા મુકવા પડશે તેમ કહીને પણ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. બાદમાં પણ વિઝા નહી આવતા એજન્ટે મોબાઈલ અને ઓફીસ બંધ કરીને ફરાર થઈ ગયો હતો.

આ મામલે યુવકે સીઆઈડી ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ઋષિકેશ વિનાયક પુરોહિત (રહે, વડોદરા) બિશ્વદીપ બિનોય દેય (રહે, દેહરાદુન) તથા સુજાતા વાધવા (રહે, મણિનગર) ત્રણ વિરુદ્ધ છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ શરુ કરવામાં આવી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...