Friday, January 23, 2026

સિંધુભવન રોડ પર ફરી પોલીસની ડ્રાઈવ, ડ્રગ્સ-દારૂ પી ફરતા લોકોને પકડવા પોલીસની ડ્રાઈવ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદના સિંધુભવન રોડ પર ફરી ડ્રગ્સ-દારૂ પી ફરતા લોકોને પકડવા પોલીસની ડ્રાઈવ શરુ કરવામાં આવી છે, સિંધુભવન રોડ પર ડ્રગ્સ – દારૂનુંં દૂષણ દૂર કરવા તેમજ રેસ, સ્ટંટ કરતા નબીરાઓ સામે પોલીસે ફરી સોમવાર રાતથી ડ્રાઈવ શરૂ કરી છે. આ વખતની ડ્રાઈવમાં સ્થાનિક પોલીસની સાથે બહારના પોલીસ સ્ટેશનના સ્ટાફની મદદ લેવાશે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ સેકટર-1ના અધિક પોલીસ કમિશનર નિરજ બડગુજરે જણાવ્યું કે, સિંધુભવન રોડ તેમજ આસપાસના વિસ્તારમાં ડ્રગ્સ-દારૂનું દૂષણ વધ્યું છે. જો કે ભૂતકાળમાં પોલીસ 2-4 દિવસની ડ્રાઈવ આપતી હતી. પરંતુ સોમવારથી દારૂ, ડ્રગ્સ, રેસ અને સ્ટંટ કરતા નબીરાઓ સામે લાંબી ડ્રાઈવ શરૂ કરવામાં આવી રહી છે.સ્થાનિક પોલીસ પાસે રોજિંદુ કામ હોવાથી તેઓ રોજ નાકાબંધી કરીને વાહનચેકિંગ તેમજ કેફેમાં તપાસ કરી શકતી નથી. જેથી હવેથી અન્ય પોલીસ સ્ટેશનના સ્ટાફની પણ મદદ લેવામાં આવશે.

સિંધુભવન રોડ ખાણી-પીણીનું પણ મોટું બજાર બની ગયું છે. લોકો વૈભવી ગાડીઓમાં રસોડા બનાવીને ફૂટપાથ ઉપર ટેબલ-ખુરશી ગોઠવીને જમવાનું પીરસી રહ્યા છે. જેના કારણે લોકો મોડી રાત સુધી અહીં બેસી રહે છે. જો કે સોમવારથી શરૂ કરાયેલી ડ્રાઈવના ભાગરૂપે રાત્રેે 12 વાગ્યા પછી સિંધુભવન રોડ ઉપર કોઈને બેસવા દેવામાં આવશે નહીં.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...