Friday, May 1, 2026

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 3-ડી લેપ્રોસ્કોપી સિસ્ટમની સુવિધા કાર્યરત કરાઈ, આ રોગોની સારવાર બનશે સરળ

spot_img
Share

અમદાવાદ : અમદાવાદ: સિવિલ હોસ્પિટલ એ દર્દીઓની સારવાર માટે અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે. ત્યારે દર્દીઓની સારવાર વધુ સરળ બને તે માટે રાજ્ય સરકારના સહયોગથી અમદાવાદ સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગમાં 3-ડી લેપ્રોસ્કોપી સિસ્ટમની સુવિધા શરૂ કરવામાં આવી છે. જે પ્રોસ્ટેટ, મૂત્રાશયના કેન્સર, કિડની કેન્સર જેવી જટિલ સર્જરીની સારવાર માટે ઉપયોગી સાબિત થશે. આ સુવિધા ઉપલબ્ધ કરાવનાર રાજ્યની પ્રથમ સરકારી હોસ્પિટલ બની છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 3-ડી લેપ્રોસ્કોપી સિસ્ટમની સુવિધા કાર્યરત કરાઈ છે. એડિશનલ ડાયરેક્ટર ડૉ. રાઘવેન્દ્ર દિક્ષીત, સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશી સહિતના તબીબોના હસ્તે આ સેવાનો શુભારંભ કરવામાં આવ્યો હતો. યુરોલોજી વિભાગને લેપ્રોસ્કોપિક સર્જરી માટે 3-ડી લેપ્રોસ્કોપી સિસ્ટમ પ્રાપ્ત થઈ છે,સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગ હેઠળ વર્ષ 2002થી અત્યાર સુધીમાં 2130 કરતા વધું 2-ડી લેપ્રોસ્કોપિક સર્જરીઓ કરવામાં આવી છે.

આધુનિક તબીબી વિજ્ઞાનના સમયમાં સર્જરી કરવામાં 3- ડી લેપ્રોસ્કોપીની મોટી ભૂમિકા છે. જટિલ શસ્ત્રક્રિયાના કેસોમાં, 3D લેપ્રોસ્કોપી શરીર ના અંદર નાં અવયવો અને ભાગોનું સચોટ અનુમાન અને ત્રીપારીમાણીક વિઝન આપે છે . જે પ્રોસ્ટેટ, મૂત્રાશયના કેન્સર, કિડની કેન્સર, વગેરેનાં ઓપેરેશન દરમિયાન જટિલ શરીર રચનાને નેવિગેટ કરવા માટે નિર્ણાયક હોય છે.

આ ઉત્તમ ત્રીપારીમાનિક વિઝન નાજુક પ્રોસિઝરો માટે જરૂરી સચોટ ચીરફાડ અને ટાંકા લેવાંમાં મદદ કરે છે. વિવિધ ગાંઠની સર્જરીમાં ચોકસાઈ સુધારે છે અને સર્જરી દરમ્યાન લોહી ઓછું વહે છે. 3ડી લેપ્રોસ્કોપી નાં કારણે ઓપન સર્જરી નો દર ઘટાડી શકાય છે અને ઓછા માં ઓછી કાપકૂપથી જટિલ સર્જરી કરી સર્જિકલ પરિણામોમાં સુધારો કરી શકાય છે. આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના યુરોલોજી વિભાગમાં 3-ડી લેપ્રોસ્કોપી સિસ્ટમની સુવિધા કાર્યરત કરાવી છે.

સિવિલ હોસ્પિટલના યૂરોલોજી વિભાગ દ્વારા રેડિકલ પ્રોસ્ટેટેક્ટોમી (પ્રોસ્ટેટ કેન્સર), રેડિકલ સિસ્ટેક્ટોમી (મૂત્રાશયનું કેન્સર), કોમ્પ્લેક્સ આંશિક નેફ્રેક્ટોમી, આંશિક સિસ્ટેક્ટોમી, રેડિકલ નેફ્રેક્ટોમી (કિડની કેન્સર), પાયલોપ્લાસ્ટી, વેસીકોવેજીનલ ફિસ્ટ્યુલા, વગેરે જેવી 2100 થી વધુ લેપ્રોસ્કોપી સર્જરીઓ કરવામાં આવી છે.

ડો. રાકેશ જોષી એ જણાવ્યુ હતું કે, 3D લેપ્રોસ્કોપી સિસ્ટમ સિવિલ હોસ્પિટલના તમામ સર્જિકલ વિભાગો જેવા કે પીડિયાટ્રિક સર્જરી, ગાયનેકોલોજી, જનરલ સર્જરી વગેરે દ્વારા ઉપયોગમાં લેવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. 3D લેપ્રોસ્કોપી સિસ્ટમ્ ડોકટરોને સર્જીકલ તાલીમમાં પણ ખૂબ જ મૂલ્યવાન સાબિત થશે. જે તાલીમાર્થીઓને વધુ સચોટ અને ઊંડાણપૂર્વક શીખવાનો અનુભવ પ્રદાન કરશે જે દર્દીઓ અને સર્જીકલ ડોકટરો ની ટીમ બંને માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...