Wednesday, January 21, 2026

અમદાવાદના આ બ્રિજ પર ડામર ઉખડતા દેખાયું ગાબડું, ફોટા-વીડિયો વાઈરલ થતાં AMCએ માર્યું થીગડું

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં પહેલા જ વરસાદે AMCની વિકાસની વાતોની આબરૂના લીરેલીરા ઉડાડી દીધા છે. AMCની વિકાસની મોટી મોટી વાતોની વચ્ચે નાના મોટા ગાબડાં પડ્યા છે. ઘાટલોડિયામાં આવેલ 17 વર્ષ જૂના ચાણક્યપુરી ઓવરબ્રિજમાં ગાબડું પડ્યાના ફોટો-વીડિયો વાઈરલ થતાં AMC દોડતું થયું હતું. બ્રિજની ઉપરની ભાગે ડામર ઉખડી ગયો, સળિયા પણ દેખાવા લાગ્યા છતાં પણ બ્રિજ પ્રોજેક્ટના અધિકારીઓના ધ્યાને આ ખાડો આવ્યો નહોતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા 17 વર્ષ જૂના ચાણક્યપુરી ઓવરબ્રિજ પર થોડા દિવસ પહેલા ડામર ઉખડી ગયો અને ખાડો પડ્યો હતો. જે ખાડો ધીમે-ધીમે મોટો થતો ગયો હતો અને બ્રિજના સળિયા દેખાવા લાગે એવા ખાડામાં પરિવર્તિત થઈ ગયો હતો. આ ખાડાના કારણે અનેક વાહનચાલકોને અવરજવરમાં તકલીફ પડી રહી હતી. બ્રિજ પરના ખાડાના આ ફોટો-વીડિયો વાઈરલ થતાં મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના ધ્યાને આ વાત આવી અને તુરંત જ ખાડાને પુરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઘાટલોડીયાના કોર્પોરેટર અને ડેપ્યુટી મેયર જતીન પટેલના ધ્યાને બ્રિજ પર ખાડો પડ્યો હોવાનું આવતા બ્રિજ પ્રોજેક્ટના અધિકારીઓનું દોરવામાં આવ્યું હતું. જોકે, આજે ફરી એકવાર આ ખાડાના ફોટા-વીડિયો વાઈરલ થતા મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ અને ઇજનેર વિભાગના અધિકારીઓ દોડતા થયા હતા અને ખાડો પૂરવાની કામગીરી હાથ ધરી હતી. જોકે, આ બાબતે બ્રિજ પ્રોજેક્ટ અને ઇજનેર વિભાગના અધિકારીઓની કામગીરી સામે પણ સવાલ ઉભા થઈ રહ્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...