Friday, May 1, 2026

સુપ્રીમ કોર્ટનો આરક્ષણને લઈને મોટો ચુકાદો, SC-ST કોટામાં પછાત જાતિઓને મળી શકે છે અલગ ક્વોટા

spot_img
Share

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટની 7 જજોની બંધારણીય પીઠે ગુરુવારે બહુમતથી એક મહત્વનો ચુકાદો આપ્યો જે મુજબ હવે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં કોટામાં કોટાને મંજૂરી આપવામાં આવી છે. એટલે કે અનામત માટે હવે રાજ્ય સરકારો અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓમાં સબ કેટેગરી બનાવી શકે છે. બંધારણીય પીઠે 2004માં ઈવી ચિન્નૈયા કેસમાં અપાયેલા 5 જજોના ચુકાદાને પલટી નાખ્યો છે. આ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે SC/ST માં સબ કેટેગરી બનાવી શકાય નહીં.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં ક્વોટાને મંજૂરી આપી દીધી છે. કોર્ટનું કહેવું છે કે ક્વોટા અસમાનતાની વિરુદ્ધ નથી. સુપ્રીમ કોર્ટના સાત ન્યાયાધીશોની બેન્ચે કહ્યું છે કે રાજ્ય સરકાર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વચ્ચે પેટા કેટેગરીઓ બનાવી શકે છે, જેથી મૂળ અને જરૂરિયાતમંદ વર્ગોને અનામતનો વધુ લાભ મળે. કોર્ટે 6-1ની બહુમતી સાથે કહ્યું કે અમે માનીએ છીએ કે સબ કેટેગરની મંજૂરી છે પરંતુ જસ્ટિસ બેલા માધુર્ય ત્રિવેદીએ આ સાથે અસંમતી બતાવી હતી. આ સાથે કોર્ટે 2004માં ઈવી ચિન્નૈયા કેસમાં આપેલા સુપ્રીમ કોર્ટના પાંચ જજોના નિર્ણયને પણ રદ કરી દીધો છે. વર્તમાન બેન્ચે 2004માં આપેલા નિર્ણયને બાજુ પર રાખ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે SC/ST જનજાતિઓમાં પેટા-કેટેગરીઓ બનાવી શકાય નહીં.

વાસ્તવમાં, પંજાબમાં વાલ્મિકી અને ધાર્મિક શીખ જાતિઓને અનુસૂચિત જાતિ અનામતનો અડધો હિસ્સો આપવાનો કાયદો 2010 માં હાઇકોર્ટ દ્વારા રદ કરવામાં આવ્યો હતો. હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ગુરુવારે આ અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે અનામતને લઈને મોટો નિર્ણય લીધો હતો. એવું માનવામાં આવે છે કે SC/ST શ્રેણીમાં ઘણી બધી જાતિઓ છે જે ખૂબ જ પછાત છે. આ જાતિઓના સશક્તિકરણની સખત જરૂર છે.

સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે જે જાતિને અનામતમાં અલગથી હિસ્સો આપવામાં આવી રહ્યો છે તેના પછાત હોવાના પુરાવા હોવા જોઈએ. આનું કારણ શિક્ષણ અને રોજગારમાં તેનું ઓછું પ્રતિનિધિત્વ હોઈ શકે છે. આને માત્ર એક ચોક્કસ જ્ઞાતિની વધુ સંખ્યામાં હાજરી પર આધાર રાખવો ખોટું હશે. કોર્ટે કહ્યું કે અનુસૂચિત જાતિ શ્રેણી સમાન નથી. કેટલીક જાતિઓ વધુ પછાત છે. તેમને તક આપવી યોગ્ય છે. અમે ઈન્દિરા સાહનીના નિર્ણયમાં ઓબીસીના પેટા વર્ગીકરણને મંજૂરી આપી હતી. આ સિસ્ટમ અનુસૂચિત જાતિ માટે પણ લાગુ થઈ શકે છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...