Saturday, January 17, 2026

AMCના લાંચિયા અધિકારીના બેંક લોકરમાંથી મળી આવ્યા સોનાના બિસ્કીટ અને ચાંદીનીં ઈંટો

spot_img
Share

અમદાવાદ : AMCના 20 લાખની લાંચ લેતા પકડાયેલા આરોપી હર્ષદ ભોજકનો કેસ અત્યારે ખુબ જ ચર્ચામાં છે. જેમાં અત્યારે અનેક મોટી જાણકારી સામે આવી રહીં છે. આ અધિકારીના ઘરેથી 73 લાખ રોકડા અને 4.5 લાખની કિંમતના સોનાના બિસ્કીટ મળી આવ્યા છે. અત્યારે તેમાં મોટા વિગતો સામે આવી છે. જેમાં વાડજની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા શાખાના બેંક લોકરમાંથી પંચો રૂબરૂ જડતી તપાસ કરતા 30 લાખ રૂપિયાની કિંમતના સોનાના બિસ્કીટ અને ચાંદીના ચોરસા મળી આવ્યા છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, AMC ના 20 લાખની લાંચ લેતા પકડાયેલા આરોપી ભોજકના વાડજની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા શાખાના બેંક લોકરમાંથી પંચો રૂબરૂ જડતી તપાસ કરતા 30 લાખ રૂપિયાની કિંમતના સોનાના બિસ્કીટ અને ચાંદીના ચોરસા મળી આવ્યા છે. હર્ષદ ભોજકના બેંક લોકરમાંથી સોનાના બિસ્કીટ મળી આવ્યા તેને સીઝ કરવામાં આવ્યા છે. આ સાથે સાથે 40 લાખ રૂપિયા જેટલી રકમના સ્ત્રી પુરુષના ઘરેણા મળી આવ્યા હતા. જે લોકર તપાસ કામે સીઝ કરવામાં આવ્યા છે. જેથી કુલ મળી 70 લાખ જેટલી મતાના દર દાગીના અને સોનાના બિસ્કીટ મળી આવ્યા હતાં. નોંધનીય છે કે, અત્યારે તે તમામ મુદ્દા માલને કબ્જે કરવામાં આવ્યો છે. આ સાથે આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી ચાલી રહીં છે.

મીડિયા રિપોર્ટ મુજબ અમદાવાદ AMC ના આસિ TDO 20 લાખની લાંચ લેતા ઝડપાયેલા હર્ષદ ભોજકે જમાલપુર વોર્ડમાં 10 માળના બિલ્ડીંગનું ગેરકાયદેસર નિર્માણ થવા દીધું હોવાનો ચોંકાવનારો ઘટસ્ફોટ પણ થયો છે. જમાલપુર વોર્ડમાં સના એપાર્ટમેન્ટ નામનું 10 માળવનું બિલ્ડીંગ ઉભુ થઇ ગયું હોવા છતાં હર્ષદે કોઇ કાર્યવાહી કરી ન હતી અને તેથી ઓગષ્ટ 2023માં મ્યુનિ.કમિશનરે હર્ષદને શો કોઝ નોટિસ આપીને ખુલાસો પણ પુછ્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...