Friday, March 13, 2026

જગતપુરમાં આવેલી અદાણી આર્કવે સહિત ચાર કન્સ્ટ્રક્શન સાઈટો સીલ કરાઈ

spot_img
Share

અમદાવાદ : શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વાદળછાયા અને વરસાદી માહોલને પગલે મચ્છરની ઉત્પત્તિ વધી જવાની શંકાને પગલે મ્યુનિ. આરોગ્ય વિભાગ દ્વારા સઘન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી, તેમાં ચાર બાંધકામ સાઇટને સીલ મારી દેવાયા હતા અને 48 જેટલી કન્સ્ટ્રક્શન સાઈટો પર ચેકિંગ હાથ ધરી 39 બાંધકામ સાઈટોને નોટિસ આપવામાં આવી છે. ઉત્તર પશ્ચિમ ઝોનમાં આવેલ જગતપુર વિસ્તારમાં આવેલી અદાણી આર્ક વે, ઓગણજ વિસ્તારમાં આવેલી સ્વોજસ પ્રાઈડ, બોડકદેવમાં આવેલી કેપિટલ વન અને સ્વાતી નામની બાંધકામ સાઇટને સીલ કરવામાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આરોગ્ય વિભાગના અધિકારીઓએ 48 જેટલી કન્સ્ટ્રક્શન સાઈટો પર ચેકિંગ હાથ ધરી 39 બાંધકામ સાઈટોને નોટિસ આપવામાં આવી છે અને 1.85 લાખનો દંડ કરવામાં આવ્યો છે.મચ્છરજન્ય રોગો અટકાવવા માટે ઉત્તર પશ્ચિમ ઝોનના આરોગ્ય વિભાગના અધિકારીએ 10 જેટલી અલગ-અલગ ટીમો બનાવીને ઝોનમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટો પર ચેકિંગ શરૂ કર્યું હતું. શહેરના જગતપુર વિસ્તારમાં આવેલી અદાણી આર્ક વે, ઓગણજ વિસ્તારમાં આવેલી સ્વોજસ પ્રાઈડ, બોડકદેવમાં આવેલી કેપિટલ વન અને સ્વાતી નામની બાંધકામ સાઇટને સીલ કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે ચોમાસાની શરૂઆત થતાની સાથે જ મચ્છરજન્ય રોગચાળાની પણ શરૂઆત થઈ જાય છે. ઘરે-ઘરે ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગો વધે છે. ખાસ કરીને વરસાદી પાણી ભરાઈ રહેતાં હોય એવા સ્થળ ઉપર મચ્છરોની ઉત્પત્તિ વધુ થતી હોય છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં આવેલી વિવિધ બાંધકામ સાઈટો પર ચેકિંગ કરવામાં આવે છે. આગામી દિવસોમાં આ કામગીરી ચાલુ રાખવામાં આવશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...