Tuesday, January 13, 2026

ઘાટલોડીયામાં દારૂની મહેફિલમાં પોલીસનો ભંગ, અમેરિકાથી આવીને ઘરમાં મહેફિલ માણતા શખસોને પોલીસે ઝડપ્યા

spot_img
Share

અમદાવાદ : રાજ્યમાં કડક દારૂબંધીના દાવા વચ્ચે લગભગ મોટાપાયે દારૂ પકડાઈ રહ્યો છે. ઘણી જગ્યાએ લોકો પાર્ટી કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં વિદેશી દારૂની મહેફિલો માણતા લોકોને પોલીસ અવારનવાર પકડી પાડતી હોય છે ત્યારે શહેરમાં ઘરમાં બેસીને દારૂની મહેફિલ માણતા લોકોને પોલીસે પકડી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં પોલીસે 6 નંગ વિદેશી દારૂની બોટલો કબજે કરીને ત્રણ લોકો સામે કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત રોજ ઘાટલોડિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે, ગુરૂકુળ રોડ વિશ્રામનગર પાસે શ્યામનગર સોસાયટીમાં એક બંગલામાં કેટલાક ઈસમો દારૂની મહેફિલ માણી રહ્યાં છે. બાતમીને આધારે પોલીસે મહેફિલ વાળા સ્થળે શ્યામનગર સોસાયટીમાં બાતમીવાળા બંગલામાં રેડ કરી હતી. અને મહેફિલમાં ભંગ પાડ્યો હતો. આ દરમિયાન મકાનના બેઠક રૂમમાં મોટે મોટેથી લવારીઓ કરતાં લોકોનો અવાજ આવતો હતો.પોલીસે ઘરમાં જઈને જોયું તો સોફા પર ત્રણ લોકો બેઠા હતાં અને ટેબલ પર ગ્લાસમાં દારૂ ભરેલો હતો.

પોલીસે ત્યાં હાજર લોકોનું નામ પુછતાં તેમણે અશ્વિનકુમાર નટવરલાલ ઠાકર, ઈન્દ્રજિતસિંગ ગુલઝારસિંગ ગીલ અને રાજેન્દ્ર કિશનભાઈ પદ્મશાળી હોવાનું જણાવ્યું હતું. પોલીસે દારૂની મહેફિલ પાછળનું કારણ જણાવતાં અશ્વિન ઠાકરે જણાવ્યું હતું કે, તે અમેરિકાથી લાંબા સમય બાદ ભારત આવ્યા છે અને તેથી જ મિત્રો સાથે પાર્ટી કરી રહ્યાં હતાં.પોલીસે 8370નો મુદ્દામાલ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...

અંબાજી શક્તિપીઠમાં ઈતિહાસ બદલાયો: હવે આઠમની મહાપૂજાના દર્શન તમામ ભક્તો કરી શકશે!

અંબાજી : શક્તિપીઠ અંબાજી મંદિરને લઇ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. અંબાજી મંદિર સ્થાપના બાદનો અત્યાર સુધીનો સૌથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે....