Friday, March 13, 2026

અમદાવાદીઓ માટે નવું નજરાણું ! આશ્રમ રોડ સહિત આ વિસ્તારમાં બનનાર 9 આઈકોનિક રોડ શહેરની કાયાપલટ કરશે

spot_img
Share

અમદાવાદ : અમદાવાદીઓ માટે સૌથી મોટી ખુશખબર છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા સરખેજ થી ગાંધીનગર હાઇવે સહિત કુલ 26 કિલોમીટરની લંબાઈના 9 આઈકોનિક રોડના રૂપિયા 700 કરોડના ખર્ચે વિકાસ કરાશે. એસજી હાઇવેના 19 કિલોમીટરના રોડને 350 કરોડના ખર્ચે વિકસાવાશે.આગામી પાંચ વર્ષનો સંપૂર્ણ કામ પૂર્ણ થઈ જવાની AMC આશા એવી રહ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં એસ.જી.હાઈ વેના 19 કિ.મી.ના રોડને 350 કરોડના ખર્ચ વિકાસાવાશે. પાંચ વર્ષમાં સંપૂર્ણ કામ પૂર્ણ થઈ જવાની મ્યુનિ.ને આશા છે. જ્યારે એસ.જી. હાઈવેના ઈસ્કોન સર્કલથી પકવાન સુધીના સર્વિસ રોડ અને બફરઝોન સહિત નવ આઈકોનિક રોડના વિકાસ માટે ૩૫૦ કરોડનું ટેન્ડર જાહેર કરાયું છે. આઈકોનીક રોડ રોડનું આયુષ્ય પાંચ વર્ષનું રહેશે. રોડની ડિઝાઈનથી લઈ વિવિધ થીમ વિદેશમાં ફરતા હોય તેવી રહેશે.આ આઈકોનિક રોડ પર ફૂડ સ્ટોર, જુદા જુદા સ્કલ્પચર તથા વોટરબોડી ફાઉન્ટેન લગાવેલા હશે. વિકલાંગો માટે સરળ અને આધુનિક વ્યવસ્થા હશે.

સમગ્ર રોડના વિસ્તારને વિવિધ પ્રકારના લેન્ડસ્કેપીંગ કરી સુશોભીત કરાશે. શીમ બેઇઝ પ્લાન્ટેશન કરી સ્ટી બ્યુટીફિકેશન કરાશે. આ સાથે વાહનચાલકોને કોઈ અગવડ ના પડે એ માટે અહીં પેરેલલ પાર્કિંગ ફેસીલીટી તથા ટોઇલેટ અને બસ સ્ટેન્ડની ફેસિલિટીનું આયોજન કરાશે. આ આઈકોનિક રોડ પર ડિજિટલ સાઇન બોર્ડ તથા એલ.ઈ.ડી.ડિસ્પેલનું આયોજન કરાશે. લેન્ડસ્કેપીંગ પાસે જુદી જુદી ટાઇપની લાઇટીંગનું રહેશે. લાઇટિંગ, રિકિએશન એક્ટિવિટી, હોર્ટીકલ્ચર પ્લાન્ટેશન, સેલ્ફી પોઇન્ટ વગેરે જેવું સુવિધાનું આયોજન કરાશે

YMCAથી એસ.પી રીંગરોડ
પાલડીથી વાડજ (આશ્રમરોડ)
ડફનાળા જંક્શનથી એરપોર્ટ સકલ
કેશવબાગ પાર્ટીપ્લોટથી પકવાન જંકશન
કેનયુગ ચાર રસ્તાથી પ્રહલાદનગર જંકશન
નરોડથી દહેગામ જવાનો રોડ
વિસત સર્કલથી તપોવન
ઇસ્કોન જંકશનથી પકવાન (એસ.જી હાઇવે સર્વિસ રોડ-બફરઝોન)
શાંતિપુરા સર્કલથી સાણંદ AMC લીમીટ

2036 પહેલાં અમદાવાદે ઓલિમ્પિકની તૈયારીઓ શરૂ કરી દીધી છે. શહેરની ફરતે અત્યાધુનિક ગેટ બાદ 9 આઈકોનિક રોડ તૈયાર થઈ રહ્યાં છે. જ્યાં તમને વિદેશમાં રહેતા હોવ તેવો અનુભવ થશે. અમદાવાદની કાયાપલટ થઈ રહી છે. અમદાવાદ એ ગુજરાતની આર્થિક રાજધાની કહેવાય છે. ગુજરાતમાં અમદાવાદને 2036 પહેલાં અત્યાધુનિક લુક આપવાની તૈયારીઓ ચાલી રહી છે. સૌથી પહેલાં તબક્કે ઈસ્કોન સર્કલથી પકવાન સુધીના સર્વિસ રોડ-બફર ઝોનનો આઈકોનિક રોડમાં સમાવેશ કરાયો છે. સૂચિત રોડ પર કુવારા, લાઈટો, બાંકડા, ફૂટપાથ, સેલ્ફી પોઈન્ટ, ફૂડ કોર્ટ જેવી સુવિધાઓ અમદાવાદીઓને મળી રહેશે. એએમસી 700 કરોડના ખર્ચે SG હાઈવે સહિત કુલ 26 કિ.મી.ના 9રોડને આઇકોનિક બનાવાશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...