Friday, March 13, 2026

અમદાવાદના આ બ્રિજમાં ખાડા પડતાં અકસ્માતનું જોખમ, AMCનો ફરિયાદ લેવાનો ઈન્કાર

spot_img
Share

અમદાવાદ : શહેરના CTM ના ડબલ ડેકર ઓવરબ્રિજમાં બરોડા એક્સપ્રેસ વે તરફ જતાં બ્રિજ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. છેલ્લા એક મહિનાથી ખાડાઓ પડવાના લીધે વાહનચાલકો રીતસર પટકાઈ રહ્યા છે. આ ખાડા પૂરવા માટે મ્યુનિ તંત્રને કોઈ રસ જ નથી ત્યારે આવા ડબલ ડેકર બ્રિજ પર કોઈ દૂર્ઘટના ઘટે ત્યારબાદ તંત્ર દોડતુ થશે કે કેમ ? જેવા અનેક સવાલો ઊઠવા લાગ્યા છે. ત્યારે વાહનચાલકોના હીતમાં તાકિદે બ્રિજમાં પડેલા ખાડાનું સમારકામ કરવા લોકમાગ ઊઠી છે.

આ અંગે સ્થાનિકના જણાવ્યા મુજબ, શહેરના નેશનલ હાઈવે નંબર 8 પર CTM ચાર રસ્તા પર ડબલ ડેકર ઓવરબ્રિજ પર અસંખ્ય ખાડાઓ પડી ગયા છે. હાટકેશ્વરથી આવતા વાહનચાલકો બરોડા એક્સપ્રેસ હાઈવે જવા માટે ડબલ ડેકર બસનો ઉપયોગ કરતા હોય છે.ઉપરાંત એસટી બસ સહિત લકઝરી બસો સહિતના ભારે વાહનો સહિતના વાહનો પણ આ બ્રિજનો ઉપયોગ કરે છે. ત્યારે આ બ્રિજમાં છેલ્લા એક મહિનાથી ઠેર ઠેર ખાડા પડી ગયા છે. તેમાં પણ બ્રિજમાંથી વાહન ઉતરતી વખતે જ ખાડા હોવાના કારણે સ્પીડમાં આવતા વાહનો તેમાં પટકાતા હોય છે.

ઘણીવાર વાહન ખાડામાં પટકાવાના લીધે ચાલક ક્ષણિક માટે બેલેન્સ ગુમાવી દે છે. એટલે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. મ્યુનિ.તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં બ્રિજ પર પડેલા ખાડા પુરવા માટે કોઈ તસ્દી લેવાતી નથી.CTM ડબલ ડેકર બ્રિજ પર ખાડા પડ્યા અંગે સ્થાનિક દ્વારા મ્યુનિમાં ઓનલાઈન ફરિયાદ કરવામાં આવતા ફરજ પરના કર્મચારીએ બ્રિજની ફરિયાદ અમે લેતા નથી તેવો જવાબ આપી ફરિયાદ નોંધવાનો ઈન્કાર કર્યો હતો.

એટલે કોઈ મોટો અકસ્માત સર્જાય પછી બ્રિજમાં પડેલા ખાડાનું સમારકામ શરૂ કરાશે ? કે બ્રિજનો તમામ રસ્તો ખરાબ થઈ જાય બાદમાં કે લોકો આંદોલન કરીને રસ્તાનું સમારકામ કરવા રોડ પર ઉતરી આવે પછી કામગીરી કરાશે ? જેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...