Thursday, January 15, 2026

અમદાવાદના આ બ્રિજમાં ખાડા પડતાં અકસ્માતનું જોખમ, AMCનો ફરિયાદ લેવાનો ઈન્કાર

spot_img
Share

અમદાવાદ : શહેરના CTM ના ડબલ ડેકર ઓવરબ્રિજમાં બરોડા એક્સપ્રેસ વે તરફ જતાં બ્રિજ પર ઠેર ઠેર ખાડા પડી ગયા છે. છેલ્લા એક મહિનાથી ખાડાઓ પડવાના લીધે વાહનચાલકો રીતસર પટકાઈ રહ્યા છે. આ ખાડા પૂરવા માટે મ્યુનિ તંત્રને કોઈ રસ જ નથી ત્યારે આવા ડબલ ડેકર બ્રિજ પર કોઈ દૂર્ઘટના ઘટે ત્યારબાદ તંત્ર દોડતુ થશે કે કેમ ? જેવા અનેક સવાલો ઊઠવા લાગ્યા છે. ત્યારે વાહનચાલકોના હીતમાં તાકિદે બ્રિજમાં પડેલા ખાડાનું સમારકામ કરવા લોકમાગ ઊઠી છે.

આ અંગે સ્થાનિકના જણાવ્યા મુજબ, શહેરના નેશનલ હાઈવે નંબર 8 પર CTM ચાર રસ્તા પર ડબલ ડેકર ઓવરબ્રિજ પર અસંખ્ય ખાડાઓ પડી ગયા છે. હાટકેશ્વરથી આવતા વાહનચાલકો બરોડા એક્સપ્રેસ હાઈવે જવા માટે ડબલ ડેકર બસનો ઉપયોગ કરતા હોય છે.ઉપરાંત એસટી બસ સહિત લકઝરી બસો સહિતના ભારે વાહનો સહિતના વાહનો પણ આ બ્રિજનો ઉપયોગ કરે છે. ત્યારે આ બ્રિજમાં છેલ્લા એક મહિનાથી ઠેર ઠેર ખાડા પડી ગયા છે. તેમાં પણ બ્રિજમાંથી વાહન ઉતરતી વખતે જ ખાડા હોવાના કારણે સ્પીડમાં આવતા વાહનો તેમાં પટકાતા હોય છે.

ઘણીવાર વાહન ખાડામાં પટકાવાના લીધે ચાલક ક્ષણિક માટે બેલેન્સ ગુમાવી દે છે. એટલે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. મ્યુનિ.તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં બ્રિજ પર પડેલા ખાડા પુરવા માટે કોઈ તસ્દી લેવાતી નથી.CTM ડબલ ડેકર બ્રિજ પર ખાડા પડ્યા અંગે સ્થાનિક દ્વારા મ્યુનિમાં ઓનલાઈન ફરિયાદ કરવામાં આવતા ફરજ પરના કર્મચારીએ બ્રિજની ફરિયાદ અમે લેતા નથી તેવો જવાબ આપી ફરિયાદ નોંધવાનો ઈન્કાર કર્યો હતો.

એટલે કોઈ મોટો અકસ્માત સર્જાય પછી બ્રિજમાં પડેલા ખાડાનું સમારકામ શરૂ કરાશે ? કે બ્રિજનો તમામ રસ્તો ખરાબ થઈ જાય બાદમાં કે લોકો આંદોલન કરીને રસ્તાનું સમારકામ કરવા રોડ પર ઉતરી આવે પછી કામગીરી કરાશે ? જેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...