Friday, May 1, 2026

અમદાવાદમાં પ્રખ્યાત ગાયક અને ભાજપ નેતા વિજય સુવાળા સહિત 13 લોકો સામે નામજોગ ફરિયાદ, જાણો સમગ્ર મામલો

spot_img
Share

અમદાવાદ : પ્રખ્યાત ગાયક અને ભાજપના નેતા વિજય સુવાળા સામે અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદમાં વિજય સુવાળાના ભાઇ યુવરાજ સુવાળાનું પણ નામ સામેલ છે. જાણકારી મુજબ વિજય સુવાળા સહિત 13 લોકો સામે નામજોગ સહિત 30ના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામા આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઓઢવ વિસ્તારમાં આવેલી રબારી વસાહતમાં રહેતા અને જમીન લે-વેચનો ધંધો કરતા એસ્ટેટ બ્રોકર દિનેશ દેસાઇએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય ઉર્ફ વિજય સુવાળા રબારી, યુવરાજ ઉર્ફે યુવરાજ સુવાળા રબારી, રાજુ રબારી, વિક્કી, સુરેશ દેસાઇ, મહેશ દેસાઇ, જયેશ દેસાઇ, દિલીપ ઠાકોર, હીરેન દિલવાલા, જિગર ભરવાડ, નવધણસિંહ, ભાથીભા, રેન્ચુ શેઠ સહિત 30 ના ટોળા સામે ફરિયાદ ધમકી તેમજ હુમલાની કોશિશ કરવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં આક્ષેપ કરવામા આવ્યો છે કે, ધોકા અને પાઇપો સહિત ટોળુ ઓફિસ પર ધસી આવ્યું હતુ અને ફરિયાદની ઓફિસ પર ટોળાએ આવીને ધમકી આપી હતી. આ દિનેશ દેસાઇ નામના જમીન દલાલે ફરિયાદ નોંધાવી છે. જો કે આ મામલે વિજય સુવાળા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામા આવી નથી.

જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળા પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા હતા પરંતુ ગાંધીનગર મનપા ચૂંટણી પહેલા તેઓ આંતરિક વિખવાદના કારણે નારાજ થઇને AAP સાથે છેડો ફાડીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.17મી જાન્યુઆરીએ લોકગાયક વિજય સુવાળાએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. તે દરમિયાન વિજય સુવાળાએ કહ્યુ હતુ કે, મારો પરિવાર 3 પેઢીથી ભાજપમાં છે. ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. પાટિલના દિલમાં હું છું. પાટીલ સાહેબ મને દીકરાની જેમ રાખે છે. ભાજપથી સારું સંગઠન મેં જોયું નથી. લોકસેવા માટે હું ગ્રાઉન્ડ પર ઉતરીશ.

મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના નેતાઓના કાંડ સામે આવી રહ્યા છે. જેમાં ભ્રષ્ટાચાર, રેપ, સહિતની ફરિયાદો ભાજપના નેતાઓ સામે થઈ છે ત્યારે હવે ભાજપમાં જોડાયા બાદ વિજય સુવાળા ગુંડાગર્દી પર પણ ઉતરી આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. અન્ય નેતાઓની જેમ વિજય સુવાળા પણ ભાજપમાં હોવાથી કાયદાનો ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ દાદાગીરી કરતા જોવા મળ્યા છે. શું ભાજપમાં જોડાયા બાદ કોઈને પણ કાયદો હાથમાં લેવાની પરવાનગી મળી જાય છે ? જે પ્રમાણે ભાજપના નેતાઓ સામે પોલીસ પણ ઢીલી નિતી અપવાની રહી છે તેમ જોતા આવા નેતાઓને કાયદો હાથમાં લેવાનો ખુલ્લો દોર મળી ગયો છે. ત્યારે હવે વિજય સુવાળા સામે ફરિયાદ નોધાયા બાદ તેમની સામે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહ્યું..

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...