Friday, March 13, 2026

અમદાવાદમાં પ્રખ્યાત ગાયક અને ભાજપ નેતા વિજય સુવાળા સહિત 13 લોકો સામે નામજોગ ફરિયાદ, જાણો સમગ્ર મામલો

spot_img
Share

અમદાવાદ : પ્રખ્યાત ગાયક અને ભાજપના નેતા વિજય સુવાળા સામે અમદાવાદના ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. આ ફરિયાદમાં વિજય સુવાળાના ભાઇ યુવરાજ સુવાળાનું પણ નામ સામેલ છે. જાણકારી મુજબ વિજય સુવાળા સહિત 13 લોકો સામે નામજોગ સહિત 30ના ટોળા સામે ફરિયાદ દાખલ કરવામા આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઓઢવ વિસ્તારમાં આવેલી રબારી વસાહતમાં રહેતા અને જમીન લે-વેચનો ધંધો કરતા એસ્ટેટ બ્રોકર દિનેશ દેસાઇએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં વિજય ઉર્ફ વિજય સુવાળા રબારી, યુવરાજ ઉર્ફે યુવરાજ સુવાળા રબારી, રાજુ રબારી, વિક્કી, સુરેશ દેસાઇ, મહેશ દેસાઇ, જયેશ દેસાઇ, દિલીપ ઠાકોર, હીરેન દિલવાલા, જિગર ભરવાડ, નવધણસિંહ, ભાથીભા, રેન્ચુ શેઠ સહિત 30 ના ટોળા સામે ફરિયાદ ધમકી તેમજ હુમલાની કોશિશ કરવાની ફરિયાદ નોંધાવી છે. જેમાં આક્ષેપ કરવામા આવ્યો છે કે, ધોકા અને પાઇપો સહિત ટોળુ ઓફિસ પર ધસી આવ્યું હતુ અને ફરિયાદની ઓફિસ પર ટોળાએ આવીને ધમકી આપી હતી. આ દિનેશ દેસાઇ નામના જમીન દલાલે ફરિયાદ નોંધાવી છે. જો કે આ મામલે વિજય સુવાળા તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામા આવી નથી.

જાણીતા ગાયક કલાકાર વિજય સુવાળા પહેલા આમ આદમી પાર્ટીમાં જોડાયેલા હતા પરંતુ ગાંધીનગર મનપા ચૂંટણી પહેલા તેઓ આંતરિક વિખવાદના કારણે નારાજ થઇને AAP સાથે છેડો ફાડીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.17મી જાન્યુઆરીએ લોકગાયક વિજય સુવાળાએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. તે દરમિયાન વિજય સુવાળાએ કહ્યુ હતુ કે, મારો પરિવાર 3 પેઢીથી ભાજપમાં છે. ભાજપ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે. પાટિલના દિલમાં હું છું. પાટીલ સાહેબ મને દીકરાની જેમ રાખે છે. ભાજપથી સારું સંગઠન મેં જોયું નથી. લોકસેવા માટે હું ગ્રાઉન્ડ પર ઉતરીશ.

મહત્વનું છે કે, છેલ્લા કેટલાક દિવસોથી ભાજપના નેતાઓના કાંડ સામે આવી રહ્યા છે. જેમાં ભ્રષ્ટાચાર, રેપ, સહિતની ફરિયાદો ભાજપના નેતાઓ સામે થઈ છે ત્યારે હવે ભાજપમાં જોડાયા બાદ વિજય સુવાળા ગુંડાગર્દી પર પણ ઉતરી આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. અન્ય નેતાઓની જેમ વિજય સુવાળા પણ ભાજપમાં હોવાથી કાયદાનો ડર જ ન હોય તેમ ખુલ્લેઆમ દાદાગીરી કરતા જોવા મળ્યા છે. શું ભાજપમાં જોડાયા બાદ કોઈને પણ કાયદો હાથમાં લેવાની પરવાનગી મળી જાય છે ? જે પ્રમાણે ભાજપના નેતાઓ સામે પોલીસ પણ ઢીલી નિતી અપવાની રહી છે તેમ જોતા આવા નેતાઓને કાયદો હાથમાં લેવાનો ખુલ્લો દોર મળી ગયો છે. ત્યારે હવે વિજય સુવાળા સામે ફરિયાદ નોધાયા બાદ તેમની સામે કોઈ કાર્યવાહી થાય છે કે કેમ તે જોવું રહ્યું..

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...