Wednesday, January 21, 2026

એસજી હાઈવે પર નબીરાઓ બન્યા બેફામ, પોલીસની સામે જ નંબર પ્લેટ વગરની ગાડી દોડાવી જમાવ્યો રોફ

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નબીરાઓ લક્ઝુરીયસ ગાડીઓ લઇને ગાંધીનગર-અમદાવાદ સહિતના શહેરોના રસ્તાઓને બાનમાં લીધા હોય તેવો ઘાટ સર્જાયો છે. આ નબીરાઓને પોલીસનો કોઇ ડર ના રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગાંધીનગર ગિફ્ટ સિટી બાદ હવે અમદાવાદમાં પણ નબીરાઓ નંબર પ્લેટ વગરની ગાડીઓ રસ્તા પર દોડાવીને રોફ જમાવતા જોવા મળ્યા હતા. બાપના રૂપિયે તાગડધિન્ના કરતા આ હરામખોરોને કોઈ પૂછનાર નથી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં એસજી હાઇવે અને સિંધુ ભવન રોડ પરથી નબીરાઓ સાતથી આઠ ગાડીઓ લઇને નીકળ્યા હતા. ઓવરસ્પિડમાં નીકળેલા નબીરાઓની ગાડીમાં નંબર પ્લેટ પણ નહતી. એક સાથે આઠ ગાડી લઇને નીકળેલા નબીરાઓ પોલીસની સામેથી જ નીકળ્યા ત્યારે પોલીસ પણ તેમને જોતી જ રહી હતી. રસ્તા પર ફરતા આ ગાડીધારીની સામે કોઈ આકરી કાર્યવાહી થઈ રહી નથી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે અમદાવાદ હજી પણ તથ્ય પટેલ જેવા બીજા કાંડની રાહ જોઈ રહ્યુ છે. રસ્તા પર રખડતા આ હરામખોરોએ રીતસરનો પોલીસને પડકાર ફેક્યો છે કે કોના બાપની તાકાત છે કે અમને કંઇક કરી શકે. પોલીસના બાપની પણ તાકાત નથી કે અમારું કંઈ ઉખાડી શકે, બધી પોલીસને અમે બાપના પૈસાની તાકાતના ખિસ્સામાં લઈ ફરીએ છીએ.

રસ્તા પર આ લોકો જ્યારે રેસ લગાવે છે ત્યારે પોલીસ કે પોલીસના વેશમાં બેઠેલા લોકો ત્યાં તેઓની વાહ-વાહ કરીને તેઓને પારો ચઢાવે છે. આ જાણે નવી ચાપલૂસોની ફોજ તેમણે રૂપિયાના જોરે ઊભી કરી દીધી છે. આ રસ્તો તેમના બાપનો નથી કે તેઓ આ આ રીતે ટ્રાફિકના નિયમોને મૂકીને ગાડી ચલાવે. તેઓએ આ રીતે ગાડી ચલાવવી હોય તો તેમના બાપને કહે કે તેના માટે તેમને રસ્તા બનાવી આપે. તેમના માટે બીજો કોઈ શહેરીજનનો જીવ જોખમમાં ન મૂકે.

તથ્યકાંડ પછી ગુજરાત હાઇકોર્ટે હાઇવે પર લગાવવા માટે આપેલા બધા ચેતવણી જનક સંકેતો હાઇવે પર વહેલા લોકોના લોહીની જેમ જ વહી ગયા છે. આ નબીરાઓને ગાડી આપતા તેમના માબાપોએ પણ ધ્યાન રાખવું જોઈએ કે રસ્તા પર તેમના નબીરાઓ ફરતા નથી, બીજાના સંતાનો પણ ફરે છે અને તેમને પણ જીવવાનો અધિકાર છે. તેમણે કંઈ તમારા સંતાનોની ગાડીઓ નીચે આવીને કચડાઈ જવા માટે જન્મ લીધો નથી. આ તેમને ભારતીય બંધારણે આપેલો અધિકાર છે. તે તમારી ગાડીઓના પૈડા નીચે કચડાઈ નહીં શકે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...