Saturday, May 2, 2026

એસજી હાઈવે પર નબીરાઓ બન્યા બેફામ, પોલીસની સામે જ નંબર પ્લેટ વગરની ગાડી દોડાવી જમાવ્યો રોફ

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નબીરાઓ લક્ઝુરીયસ ગાડીઓ લઇને ગાંધીનગર-અમદાવાદ સહિતના શહેરોના રસ્તાઓને બાનમાં લીધા હોય તેવો ઘાટ સર્જાયો છે. આ નબીરાઓને પોલીસનો કોઇ ડર ના રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગાંધીનગર ગિફ્ટ સિટી બાદ હવે અમદાવાદમાં પણ નબીરાઓ નંબર પ્લેટ વગરની ગાડીઓ રસ્તા પર દોડાવીને રોફ જમાવતા જોવા મળ્યા હતા. બાપના રૂપિયે તાગડધિન્ના કરતા આ હરામખોરોને કોઈ પૂછનાર નથી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં એસજી હાઇવે અને સિંધુ ભવન રોડ પરથી નબીરાઓ સાતથી આઠ ગાડીઓ લઇને નીકળ્યા હતા. ઓવરસ્પિડમાં નીકળેલા નબીરાઓની ગાડીમાં નંબર પ્લેટ પણ નહતી. એક સાથે આઠ ગાડી લઇને નીકળેલા નબીરાઓ પોલીસની સામેથી જ નીકળ્યા ત્યારે પોલીસ પણ તેમને જોતી જ રહી હતી. રસ્તા પર ફરતા આ ગાડીધારીની સામે કોઈ આકરી કાર્યવાહી થઈ રહી નથી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે અમદાવાદ હજી પણ તથ્ય પટેલ જેવા બીજા કાંડની રાહ જોઈ રહ્યુ છે. રસ્તા પર રખડતા આ હરામખોરોએ રીતસરનો પોલીસને પડકાર ફેક્યો છે કે કોના બાપની તાકાત છે કે અમને કંઇક કરી શકે. પોલીસના બાપની પણ તાકાત નથી કે અમારું કંઈ ઉખાડી શકે, બધી પોલીસને અમે બાપના પૈસાની તાકાતના ખિસ્સામાં લઈ ફરીએ છીએ.

રસ્તા પર આ લોકો જ્યારે રેસ લગાવે છે ત્યારે પોલીસ કે પોલીસના વેશમાં બેઠેલા લોકો ત્યાં તેઓની વાહ-વાહ કરીને તેઓને પારો ચઢાવે છે. આ જાણે નવી ચાપલૂસોની ફોજ તેમણે રૂપિયાના જોરે ઊભી કરી દીધી છે. આ રસ્તો તેમના બાપનો નથી કે તેઓ આ આ રીતે ટ્રાફિકના નિયમોને મૂકીને ગાડી ચલાવે. તેઓએ આ રીતે ગાડી ચલાવવી હોય તો તેમના બાપને કહે કે તેના માટે તેમને રસ્તા બનાવી આપે. તેમના માટે બીજો કોઈ શહેરીજનનો જીવ જોખમમાં ન મૂકે.

તથ્યકાંડ પછી ગુજરાત હાઇકોર્ટે હાઇવે પર લગાવવા માટે આપેલા બધા ચેતવણી જનક સંકેતો હાઇવે પર વહેલા લોકોના લોહીની જેમ જ વહી ગયા છે. આ નબીરાઓને ગાડી આપતા તેમના માબાપોએ પણ ધ્યાન રાખવું જોઈએ કે રસ્તા પર તેમના નબીરાઓ ફરતા નથી, બીજાના સંતાનો પણ ફરે છે અને તેમને પણ જીવવાનો અધિકાર છે. તેમણે કંઈ તમારા સંતાનોની ગાડીઓ નીચે આવીને કચડાઈ જવા માટે જન્મ લીધો નથી. આ તેમને ભારતીય બંધારણે આપેલો અધિકાર છે. તે તમારી ગાડીઓના પૈડા નીચે કચડાઈ નહીં શકે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

ચૂંટણીના ગરમાવા વચ્ચે પરમિટવાળા દારૂ-બિયરના ભાવમાં વધારો; જાણો કેટલો થયો વધારો અને ક્યારથી થશે લાગુ?

ગાંધીનગર: ગુજરાતમાં ચૂંટણીના માહોલ વચ્ચે સરકારે બ્રાન્ડેડ દારૂના ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ હોવા છતાં, પરમિટ...

ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિ-દિવસીય ‘સાયન્સ કાર્નિવલ-2026’નો ભવ્ય પ્રારંભ

ગાંધીનગર : ગાંધીનગરસ્થિત ગુજરાત સાયન્સ સિટીમાં સાયન્સ કાર્નિવલ 2026નો ભવ્ય પ્રારંભ ગુજરાતના મુખ્ય સચિવ એમ. કે. દાસના હસ્તે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વિજ્ઞાન...

સમાન નાગરિક સંહિતા -UCC વિધેયક વિધાનસભામાં બહુમતીથી પસાર, એક દેશ, એક કાયદો

ગાંધીનગર: વિધાનસભા માં આજે સમાન નાગરિક સંહિતા વિધેયક બહુમતીથી પસાર કરાયું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બિલ રજૂ કર્યું હતું. બિલ પર યોજાયેલી ચર્ચમાં શાસક...

ડિજિટલ ગુજરાતની નવતર પહેલ : આવક-જ્ઞાતિના દાખલા સહિત 20 સેવાઓ હવે ઘરે બેઠા મળશે, જાણો કેવી રીતે

ગાંધીનગર : ગુજરાત વહીવટી સુધારા પંચ (GARC) ના પાંચમા અહેવાલની ભલામણોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા સૌથી વધુ અરજીઓ ધરાવતી વિવિધ વિભાગની 20 જેટલી સેવાઓને...

ગાંધીનગરમાં ACBની મોટી ટ્રેપ, સ્ટેટ IBનો અધિકારી રૂ. 80 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો

ગાંધીનગર : ગાંધીનગરમાં લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB) એ એક સફળ ટ્રેપ ગોઠવીને સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરો (SIB) ના એક ઉચ્ચ અધિકારીને લાંચ લેતા ઝડપી...

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...