Friday, March 13, 2026

એસજી હાઈવે પર નબીરાઓ બન્યા બેફામ, પોલીસની સામે જ નંબર પ્લેટ વગરની ગાડી દોડાવી જમાવ્યો રોફ

spot_img
Share

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી નબીરાઓ લક્ઝુરીયસ ગાડીઓ લઇને ગાંધીનગર-અમદાવાદ સહિતના શહેરોના રસ્તાઓને બાનમાં લીધા હોય તેવો ઘાટ સર્જાયો છે. આ નબીરાઓને પોલીસનો કોઇ ડર ના રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. ગાંધીનગર ગિફ્ટ સિટી બાદ હવે અમદાવાદમાં પણ નબીરાઓ નંબર પ્લેટ વગરની ગાડીઓ રસ્તા પર દોડાવીને રોફ જમાવતા જોવા મળ્યા હતા. બાપના રૂપિયે તાગડધિન્ના કરતા આ હરામખોરોને કોઈ પૂછનાર નથી.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદમાં એસજી હાઇવે અને સિંધુ ભવન રોડ પરથી નબીરાઓ સાતથી આઠ ગાડીઓ લઇને નીકળ્યા હતા. ઓવરસ્પિડમાં નીકળેલા નબીરાઓની ગાડીમાં નંબર પ્લેટ પણ નહતી. એક સાથે આઠ ગાડી લઇને નીકળેલા નબીરાઓ પોલીસની સામેથી જ નીકળ્યા ત્યારે પોલીસ પણ તેમને જોતી જ રહી હતી. રસ્તા પર ફરતા આ ગાડીધારીની સામે કોઈ આકરી કાર્યવાહી થઈ રહી નથી. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે અમદાવાદ હજી પણ તથ્ય પટેલ જેવા બીજા કાંડની રાહ જોઈ રહ્યુ છે. રસ્તા પર રખડતા આ હરામખોરોએ રીતસરનો પોલીસને પડકાર ફેક્યો છે કે કોના બાપની તાકાત છે કે અમને કંઇક કરી શકે. પોલીસના બાપની પણ તાકાત નથી કે અમારું કંઈ ઉખાડી શકે, બધી પોલીસને અમે બાપના પૈસાની તાકાતના ખિસ્સામાં લઈ ફરીએ છીએ.

રસ્તા પર આ લોકો જ્યારે રેસ લગાવે છે ત્યારે પોલીસ કે પોલીસના વેશમાં બેઠેલા લોકો ત્યાં તેઓની વાહ-વાહ કરીને તેઓને પારો ચઢાવે છે. આ જાણે નવી ચાપલૂસોની ફોજ તેમણે રૂપિયાના જોરે ઊભી કરી દીધી છે. આ રસ્તો તેમના બાપનો નથી કે તેઓ આ આ રીતે ટ્રાફિકના નિયમોને મૂકીને ગાડી ચલાવે. તેઓએ આ રીતે ગાડી ચલાવવી હોય તો તેમના બાપને કહે કે તેના માટે તેમને રસ્તા બનાવી આપે. તેમના માટે બીજો કોઈ શહેરીજનનો જીવ જોખમમાં ન મૂકે.

તથ્યકાંડ પછી ગુજરાત હાઇકોર્ટે હાઇવે પર લગાવવા માટે આપેલા બધા ચેતવણી જનક સંકેતો હાઇવે પર વહેલા લોકોના લોહીની જેમ જ વહી ગયા છે. આ નબીરાઓને ગાડી આપતા તેમના માબાપોએ પણ ધ્યાન રાખવું જોઈએ કે રસ્તા પર તેમના નબીરાઓ ફરતા નથી, બીજાના સંતાનો પણ ફરે છે અને તેમને પણ જીવવાનો અધિકાર છે. તેમણે કંઈ તમારા સંતાનોની ગાડીઓ નીચે આવીને કચડાઈ જવા માટે જન્મ લીધો નથી. આ તેમને ભારતીય બંધારણે આપેલો અધિકાર છે. તે તમારી ગાડીઓના પૈડા નીચે કચડાઈ નહીં શકે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...