Thursday, January 15, 2026

એસજી હાઈવે પર સ્ટંટ કરતા વીડિયો બનાવનારા 6 ‘રીલ નબીરા’ની ધરપકડ, પોલીસે 5 કાર કબજે કરી

spot_img
Share

અમદાવાદ : સોશિયલ મીડિયામાં એસ જી હાઇવે પરનો એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં 10 જેટલા નબીરાઓએ એસયુવી અને લક્ઝરી કાર ચલાવીને રસ્તો બાનમાં લીધો હતો. જેના આધારે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ અને ક્રાઇમબ્રાંચના સ્ટાફે કારના રજીસ્ટ્રેશન નંબર અને વિડીયોને આધારે રવિવારે છ યુવકોને ધરપકડ કરીને ત્રણ કાર જપ્ત કરી હતી. વસ્ત્રાલમાં રહેતા એક યુવકે નવી કાર લીધી હતી. જેની ઉજવણી કરવા માટે તેના મિત્રોએ હાઇવે પર કાર લઇ જઇને બાનમાં લીધો હતો.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ગત શનિવારે સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો, જેને લઈને ટ્રાફિક પોલીસે વીડિયોમાં દેખાતા કારચાલકો સામે ફરિયાદ દાખલ કરી તપાસ શરૂ કરી હતી. જેમાં સામે આવ્યું હતું કે આ વીડિયો 18 ઓગસ્ટે બનાવી ફરતો થયો હતો. પોલીસે વીડિયોમાં દેખાતા 6 યુવકને પકડી કાર જપ્ત કરી હતી. આરોપીની પૂછપરછમાં ફરાર આરોપી મનીષ ગોસ્વામી નવી સ્કોર્પિયો કાર ખરીદવા માટે મિત્રો સાથે વસ્ત્રાલ ગયા હતા. જ્યાંથી કાર લઈને એસજી હાઈવે, સાણંદ સર્કલ ગયા હતા. જેના પગલે પોલીસે ફરાર આરોપી મનીષ ગોસ્વામીની શોધખોળ આદરી છે.

પ્રાથમિક પુછપરછમાં જાણવા મળ્યું હતું કે વસ્ત્રાલમાં રહેતા મનીષ ગોસ્વામી નામના યુવકે નવી કાર લીધી હતી. જેની ઉજવણી કરવા માટે ગત ૧૮મી ઓગસ્ટના રોજ તેના મિત્રોએ વિવિધ કારને સાથે રાખીને હાઇવે પર સ્ટંટ કર્યા હતા. પુછપરછમાં ઝડપાયેલા યુવકોના નામ મેક્ષ પટેલ (રહે. શ્લોક એેલેન્ઝા,ગોતા), પ્રિમત સેમરિયા (રહે. તીર્થ રેસીડેન્સી, કડી), ગોવિંદસિંહ ચૌહાણ (રહે. કર્મભૂમિ સોસાયટી,ન્યુ આરટીઓ રોડ, રામોલ), મિતેષગીરી ગોસ્વામી (રહે. શીવશંકર સોસાયટી, ગોતા), આશીષ પ્રજાપતિ (રહે. શુકન એપાર્ટમેન્ટ, રાણીપ) અને ઇશ્વર રાઠોડ (રહે.હરીજી પાર્ક, વસ્ત્રાલ) હોવાનુ જાણવા મળ્યું હતું. એસ જી હાઇવે-૨ પોલીસે આ અંગે અન્ય કાર જપ્ત કરવા તજવીજ હાથ ધરી છે.

બીજી તરફ ઉચ્ચ પોલીસ અધિકારીઓે વાયરલ વિડીયોમાં દેખાતા પોલીસ કર્મચારીઓ અને ટીઆરબી જવાનોની બેદરકારીની નોંધ લીધી છે. પોલીસની નજર સામેથી નબીરાઓએ રોડને બાનમાં લીધો હતો. તેમ છતાંય, કોઇ કાર્યવાહી કરી નહોતી. જે બાબતે વિડીયોમાં દેખાતા સ્ટાફ સામે જરૂરી પગલા ભરવા માટે સુચના આપી છે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...