Sunday, March 15, 2026

સાવધાન ! શહેરના કાલુપુર રેલવે સ્ટેશન જવાનો આ રસ્તો 3 વર્ષ માટે બંધ જાહેર કરાયો

spot_img
Share

અમદાવાદ : અમદાવાદમાં આવેલું કાલુપુર રેલવે સ્ટેશન તોડીને નવું બનાવવા માટે કામગીરી શરૂ થઈ ગઈ છે. જેને લઈને અત્યારે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ. મલિક શહેરમાં ટ્રાફિક ના થાય તે માટે કેટલાક રસ્તાઓ બંધ કરીને ડાયવર્ઝનના આદેશો કર્યો છે. નોંધનીય છે કે, કાલુપુર રેલવે સ્ટેશનને અદ્યત્તન બનાવવા માટે કામ શરૂ થઈ ગયું છે. જેને લઈને ત્યાંથી પસાર થવા માટે શહેરીજનોને પરેશાનીનો સામનો ના કરવો પડે તે માટે કેટલાક રસ્તાને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલ જાહેરનામા મુજબ, સારંગપુર સર્કલથી કાલુપુર રેલ્વે સ્ટેશન સુધીનો આશરે 200-મીટરનો રેલ્વે સ્ટેશન તરફનો એક સાઈડનો માર્ગ બંધ વાહન વ્યવહારની અવર-જવર માટે બંધ રહેશે અને તેનો વિરુધ્ધ દિશાનો રોડ વન-વે તરીકે ઉપયોગ કરવાનો રહેશે, ગુજરાત પોલીસ અધિનિયમ 1951 ની પેટા કલમ 33 (1) (બી) (સી) અંતર્ગત મળેલી સત્તા અન્વયે અમદાવાદ શહેરમાં કાલુપુર રેલ્વે સ્ટેશનને તોડી તે જગ્યા ઉપર નવુ અદ્યત્તન રેલ્વે સ્ટેશન અને સંલગ્ન બ્રીજ બનાવવાની કામગીરી દરમિયાન ટ્રાફીક સુચારુ રીતે ચાલે અને ટ્રાફીકની કોઈ સમસ્યા ઉદભવે નહી તે હેતુસર નીચે મુજબનો રસ્તો બંધ/ડાયવર્ઝન કરવા હુકમ કરૂ છું.’

વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરવામાં આવી તેની વિગત
01. સારંગપુર સર્કલથી કાલુપુર રેલ્વે સ્ટેશન તથા કાલુપુર તરફ જનાર ટ્રાફિક સારંગપુર સર્કલ થઈ સીધી બજાર થઈ પાંચકુવા થઈ જમણી બાજુ રેલ્વે સ્ટેશનની એન્ટ્રીગેટ સુધી જઈ શકાશે. તેમજ કાલુપુર જનાર ટ્રાફિક મોતીમહેલ હોટલ વાળા રોડ તરફ જઈ શકશે.

02. કાલુપુરથી સારંગપુર, રાયપુર, કાંકરીયા, ગીતા મંદીર માટે જનાર ટ્રાફિક કાલુપુર રેલ્વે સ્ટેશનથી સારંગપુર સુધીનો એક બાજુનો રોડ ખુલ્લો મુકવામાં આવશે. જેમાં કાલુપુર થી સારંગપુર તરફ જઈ શકશે. આ એક તરફનો રોડ વન-વે તરીકે ચાલુ રહેશે.

03. કાલુપુર રેલ્વે સ્ટેશનની અંદર જવા માટે જુનો એન્ટ્રી ગેટ પેસેન્જરો માટે ચાલુ રાખવામાં આવશે. તેમજ રેલ્વે સ્ટેશનના પેસેન્જરો માટે બહાર નીકળવા માટે પશ્વિમ તરફ સદર કંપની દ્વારા ફૂટ બ્રીજ બનાવવામાં આવેલ છે. તેમજ મુખ્ય માર્ગને જોડતો ૩૦ ફૂટ નવો રોડ બનાવવામાં આવેલ છે. જે માર્ગે પેસેન્જરો મુખ્ય માર્ગ સુધી જઈ શકશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...