Thursday, January 22, 2026

બોપલ હિટ એન્ડ રન કેસ મામલો : સગીર કારચાલકના બિલ્ડર પિતા મિલાપ શાહની ધરપકડ

spot_img
Share

અમદાવાદ : બોપલ હિટ એન્ડ રન કેસમાં તપાસ તેજ બની છે. સગીર કારચાલકના પિતા મિલાપ શાહની ધરપકડ કરવામાં આવી છે. સિક્યુરિટી ગાર્ડને અડફેટે લેતા મોત થયું હતું. બેફામ કાર હંકારી મૂળ ઉત્તરપ્રદેશમાં રહેતા અને ગાર્ડ તરીકે નોકરી કરતા 34 વર્ષીય ગોવિંદસિંહનું મોત નિપજાવવાના કેસમાં સગીરની પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ સ્પે. જુવેનાઇલ કોર્ટમાં તેને રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં સગીરે વચગાળાના જામીન માટે અરજી કરી હતી. આ અરજી બાદ કોર્ટે સગીરને 24 સપ્ટેમ્બર સુધી પરીક્ષા આપવા માટે વચગાળાના જામીન પર મુક્ત કર્યો છે. જ્યારે સગીરને વાહન ચલાવવા આપવા બદલ તેના પિતા સામે સાપરાધ માનવવધનો ગુનો નોંધી ધરપકડ કરાઇ છે.

મીડિયા રિપોર્ટ મુજબ, બોપલ હિટ એન્ડ રન કેસમાં પોલીસે સગીરને જુવેનાઇલ કોર્ટમાં રજૂ કર્યો હતો. જામીન અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી કે, ‘તે એમબીએમાં અભ્યાસ કરે છે અને તેની પરીક્ષા શરૂ થવાની છે, જો પરીક્ષા ન આપી શકે તો તેનું આખુંય વર્ષ ખરાબ થાય તેવી શક્યતા છે. તેથી કોર્ટે ભવિષ્યને ધ્યાને રાખી વચગાળાના જામીન પર મુક્ત કરવો જોઈએ.’ આવી રજૂઆત બાદ કોર્ટે સગીરને 24 સપ્ટે. સુધી પરીક્ષા આપવા માટે વચગાળાના જામીન પર મુક્ત કર્યો છે. 24 સપ્ટેમ્બર બાદ સગીર રેગ્યુલર જામીન માટે અરજી કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

બીજી તરફ તપાસ અધિકારીએ સીસીટીવી ફૂટેજ તેમ જ નજરે જોનાર સાક્ષીના નિવેદનના આધારે બીએનએસની કલમ 105નો ઉમેરો કરવા અરજી કરતા સરકારી વકીલએ દલીલ કરી કે, આરોપી વિરુદ્ધ તથ્ય પટેલ અને વિસ્મય શાહ જેવો કેસ છે. નાની વયે સગીરને મોંઘીદાટ ગાડી આપી માતાપિતાએ બેદરકારી દાખવી છે, જેથી બાળકનું યોગ્ય કાઉન્સેલિંગ કરાય તો તેના માનસની ગુનાહિત પ્રવૃતિમાં સુધારો થઈ શકે. પિતા મિલાપ શાહ વિરુદ્ધ મનુષ્ય સાપરાધ વધની કલમ 105 ઉમેરી છે. સગીરના પિતાએ પોતાનો બાળક સગીર હોવા છતાં કારની ચાવી આપી ગંભીર બેદરકારી દાખવતા તેમની સામે ગુનો નોંધવામાં આવે. સરકારી વકીલની દલીલને ધ્યાને રાખી કોર્ટે સગીરના પિતા સામે ગુનો નોંધવાની કલમનો ઉમેરો કરવાનો આદેશ કર્યો હતો.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...