Tuesday, January 13, 2026

અમદાવાદમાં ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ શરૂ, ઘરની બહાર નીકળો તો હેલ્મેટ પહેરવાનું ભૂલતા નહીં!

spot_img
Share

અમદાવાદ : ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસે હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે. હેલ્મેટ ન પહેરનારને તેમજ લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ બોડીવોર્ન કેમેરા પહેરી ચાલકને ઝડપશે. અકસ્માત ટાળવા તેમજ લોકોની સુરક્ષા હેતુ હવે ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, આજથી અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ જ ટુ-વ્હીલર ચાલકે હેલ્મેટ ન પહેર્યુ હોય તેને દંડ ફટકારવામાં જરાય વિલંબ નહીં કરે. શહેરીજનોએ કડક કાર્યવાહીથી બચવા હેલ્મેટ પહેરવું ફરજિયાત રહેશે. માહિતી મુજબ આ ડ્રાઈવ થોડા દિવસ માટે સુધી ચલાવવામાં નહીં આવે એટલે બધાએ ફરજીયાત હેલ્મેટ પહેરવું પડશે. શહેરના વિવિધ વિસ્તારોમાં વાહન ચાલકો પર પોલીસે દંડનો ‘દંડો’ ફેરવ્યો છે.1500 ટ્રાફિક પોલીસ બોડીવોર્ન કેમેરા પહેરી ચાલકને ઝડપશે. જેથી કોઈ પોલીસ પર કોઈ ખોટો આરોપ મૂકે તો તેનું વીડિયો રેકોર્ડિંગ સબૂત બનશે.

તમને જણાવી દઈએ કે ટ્રાફિક પોલીસ પ્રથમ વખત જો કોઇ હેલ્મેટ પહેર્યા વગર ઝડપાશે તો પોલીસ 500 રૂપિયાનો દંડ કરીને મેમો આપશે અને જો કોઇ વ્યક્તિ બેથી વધુ વખત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતાં ઝડપાયો હશે તો તેના વિરુદ્ધ લાઈસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાત હાઈકોર્ટની લાલ આંખ બાદ શહેર પોલીસે સ્પેશિયલ હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે, માહિતી મુજબ આ ડ્રાઈવ નવરાત્રિ સુધી ન હોવાથી બધા શહેરીજનો હેલ્મેટ ન પહેરે ત્યાં સુધી ડ્રાઈવ ચલાવવામાં આવશે. ડ્રાઈવમાં ટ્રાફિક પોલીસના 1500 જવાન, 800 હોમગાર્ડના જવાન અને 1600 ટીઆરબી જવાન લોકોને હેલ્મેટ પહેરવા મેદાને ઊતર્યા છે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...

પ્રદેશ ભાજપના નવા માળખાની જાહેરાત, 10 ઉપપ્રમુખ, 4 મહામંત્રી અને 10 મંત્રી સહિતના પદો જાહેર, જુઓ સંપૂર્ણ યાદી

ગાંધીનગર : ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માની જાહેરાત કરાયા બાદ શનિવારે મોડી રાત્રે તેમની ટીમની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. ગુજરાત...