અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ શુક્રવારે રિપેરિંગ કામ શરૂ કર્યું હોવાથી નિર્ણયનગર અંડરપાસની એક બાજુ બે અઠવાડિયા માટે બંધ રહેશે. જેના પગલે અખબારનગર અંડરપાસ અને પ્રબોધ રાવલ બ્રિજનું પણ સમારકામ હાથ ધરાશે. સમગ્ર સમારકામ પ્રક્રિયામાં 15 દિવસનો સમય લાગશે તેવું AMC એ આયોજન કર્યું છે, જેને કારણે અંડરપાસની એકબાજુ 15 દિવસ માટે વાહન વ્યવહાર માટે બંધ કરવો પડશે. જે દરમિયાન મુસાફરોને ટ્રાફિકની ભીડનો અનુભવ થઈ શકે છે.
અમદાવાદ મ્યુ સૂત્રોના પાસેથી મળતી માહિતી મુજબ, નિર્ણયનગર અને અખબારનગર અંડરપાસમાં વરસાદી પાણીની ડ્રેનેજ સિસ્ટમના માળખાકીય બીમ અને લોખંડની જાળી બગડી ગઈ છે, જેના કારણે સમારકામ જરૂરી બન્યું છે. ઉપરાંત RTO સર્કલ પાસેના પ્રબોધ રાવલ બ્રિજના વિસ્તરણ જોઈન્ટ અને સપાટીનું સ્તર જર્જરિત થઈ ગયું છે. જેને લઈને બંને અંડરપાસ વારાફરતી એકબાજુ 15 દિવસ માટે વાહન વ્યવહાર માટે બંધ કરવો પડશે.
જે દરમિયાન મુસાફરોને ટ્રાફિકની ભીડનો અનુભવ થઈ શકે છે. AMC એ વિનંતી કરી છે કે ભારે વાહનો વૈકલ્પિક માર્ગો અપનાવે અને અન્ય ડ્રાઇવરોને સમારકામ દરમિયાન ઓછી ઝડપે આગળ વધવા વિનંતી કર છે.