Friday, March 13, 2026

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોન્ચ કરી CRS મોબાઈલ એપ, ઘરે બેઠા જ મળશે જન્મ અને મરણનું પ્રમાણપત્ર

spot_img
Share

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ મોબાઇલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે.આ એપ જન્મ અને મૃત્યુની નોંધણી સાથે પ્રમાણપત્રોની ઈલેક્ટ્રોનિક ડિલિવરીની સમગ્ર પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવશે. આ એપ લોન્ચ થવાથી કોઈ પણ વ્યક્તિએ વારંવાર ઓફિસમાં જવું પડશે નહીં.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સેન્સેસ ઈન્ડિયા 2021 એ તેના X હેન્ડલ પરથી એક વિડિયો બહાર પાડ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આ એપમાં કોઈ કેવી રીતે નોંધણી કરાવી શકે છે. આ પોર્ટલ દ્વારા, લોકો માટે જન્મ અને મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવાનું સરળ બનશે.કોઈપણ વ્યક્તિના જન્મ અને મૃત્યુના 21 દિવસની અંદર આ એપ પર રેકોર્ડ ઓનલાઈન દાખલ કરવાનો રહેશે. રેકોર્ડ રજિસ્ટ્રાર ઓફિસ સુધી પહોંચશે અને વેરિફિકેશન બાદ પ્રમાણપત્ર ઓનલાઈન ઉપલબ્ધ થશે. કોઈપણ વ્યક્તિ ગમે ત્યાં બેસીને તેનો ઉપયોગ કરી શકે છે અને તેનું કામ સરળ બનાવી શકે છે.

આ પોર્ટલની સૌથી મહત્વની બાબત એ છે કે વ્યક્તિ જન્મ અને મૃત્યુ સંબંધિત પ્રમાણપત્રોમાં છેતરપિંડીથી સુરક્ષિત રહેશે. જો કોઈ વ્યક્તિ 21 દિવસની અંદર રેકોર્ડ ફાઇલ નહીં કરે તો 21 દિવસ પછી વસૂલવામાં આવેલી લેટ ફી માટેનો રસીદ નંબર દાખલ કરવાનો રહેશે, ત્યારબાદ જ પ્રક્રિયા આગળ વધી શકશે. જો કોઈ વ્યક્તિ 21 દિવસની અંદર રેકોર્ડ ફાઇલ કરે છે, તો તેણે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.

જ્યારે 21 દિવસથી વધુ એટલે કે 22 થી 30 સુધી 2 રૂપિયા ચૂકવવાના રહેશે અને 31 દિવસથી એક વર્ષ સુધી 5 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે. આ સાથે જૂના પ્રમાણપત્રો માટે 10 રૂપિયાની ફી નક્કી કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલો પણ આ એપ પર જન્મ અને મૃત્યુના રેકોર્ડની નોંધણી કરી શકશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...