Tuesday, January 20, 2026

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે લોન્ચ કરી CRS મોબાઈલ એપ, ઘરે બેઠા જ મળશે જન્મ અને મરણનું પ્રમાણપત્ર

spot_img
Share

અમદાવાદ : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ મોબાઇલ એપ્લિકેશન શરૂ કરવામાં આવી છે.આ એપ જન્મ અને મૃત્યુની નોંધણી સાથે પ્રમાણપત્રોની ઈલેક્ટ્રોનિક ડિલિવરીની સમગ્ર પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવશે. આ એપ લોન્ચ થવાથી કોઈ પણ વ્યક્તિએ વારંવાર ઓફિસમાં જવું પડશે નહીં.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, સેન્સેસ ઈન્ડિયા 2021 એ તેના X હેન્ડલ પરથી એક વિડિયો બહાર પાડ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આ એપમાં કોઈ કેવી રીતે નોંધણી કરાવી શકે છે. આ પોર્ટલ દ્વારા, લોકો માટે જન્મ અને મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવાનું સરળ બનશે.કોઈપણ વ્યક્તિના જન્મ અને મૃત્યુના 21 દિવસની અંદર આ એપ પર રેકોર્ડ ઓનલાઈન દાખલ કરવાનો રહેશે. રેકોર્ડ રજિસ્ટ્રાર ઓફિસ સુધી પહોંચશે અને વેરિફિકેશન બાદ પ્રમાણપત્ર ઓનલાઈન ઉપલબ્ધ થશે. કોઈપણ વ્યક્તિ ગમે ત્યાં બેસીને તેનો ઉપયોગ કરી શકે છે અને તેનું કામ સરળ બનાવી શકે છે.

આ પોર્ટલની સૌથી મહત્વની બાબત એ છે કે વ્યક્તિ જન્મ અને મૃત્યુ સંબંધિત પ્રમાણપત્રોમાં છેતરપિંડીથી સુરક્ષિત રહેશે. જો કોઈ વ્યક્તિ 21 દિવસની અંદર રેકોર્ડ ફાઇલ નહીં કરે તો 21 દિવસ પછી વસૂલવામાં આવેલી લેટ ફી માટેનો રસીદ નંબર દાખલ કરવાનો રહેશે, ત્યારબાદ જ પ્રક્રિયા આગળ વધી શકશે. જો કોઈ વ્યક્તિ 21 દિવસની અંદર રેકોર્ડ ફાઇલ કરે છે, તો તેણે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.

જ્યારે 21 દિવસથી વધુ એટલે કે 22 થી 30 સુધી 2 રૂપિયા ચૂકવવાના રહેશે અને 31 દિવસથી એક વર્ષ સુધી 5 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે. આ સાથે જૂના પ્રમાણપત્રો માટે 10 રૂપિયાની ફી નક્કી કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલો પણ આ એપ પર જન્મ અને મૃત્યુના રેકોર્ડની નોંધણી કરી શકશે.

 

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...

હવે તમે પોલીસને સીધી આપી શકશો ડ્રગ્સની બાતમી, જાહેર કરાયો વોટ્સએપ નંબર, નામ રહેશે ગુપ્ત

ગાંધીનગર : ગુજરાતને 'ડ્રગ્સ મુક્ત' (Drugs Free Gujarat) બનાવવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર હવે આરપારની લડાઈ લડવા તૈયાર છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના...

TRB જવાનો માટે ખુશખબર, ટ્રાફિક બ્રિગેડ જવાનોના વેતનમાં કરાયો ધરખમ વધારો, જાણો કેટલો કરાયો વધારો ?

ગાંધીનગર : રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશ હેઠળ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગૃહ વિભાગ દ્વારા રાજ્યના ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે એક...

‘સોમનાથ સ્વાભિમાન’ પર્વ લંબાવાયો, હવે આ તારીખ સુધી ચાલશે ભક્તિની અવિરત ગંગા, ભક્તોમાં અનેરો ઉત્સાહ

ગાંધીનગર : સોમનાથમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનેરો સંગમ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં ઉજવાઈ રહેલું 'સોમનાથ સ્વાભિમાન પર્વ' હવે 15...

સોમનાથમાં PM મોદી : કપાળ પર ત્રિપુંડ, હાથમાં ત્રિશુળ, મહાઆરતી, ઓમકાર નાદ, ભવ્ય ડ્રોન શો

સોમનાથ : પ્રથમ જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આજે એક ઐતિહાસિક પર્વની ઉજવણી થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસ...

સોમનાથના સાનિધ્યમાં ‘સ્વાભિમાન પર્વ’નો થશે પ્રારંભ: 72 કલાક સુધી ગુંજશે ઓમકાર નાદ, 3000 ડ્રોનનો મેગા શો યોજાશે

ગાંધીનગર : ભારતની અસ્મિતાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવના સાનિધ્યમાં આવતીકાલથી 'સ્વાભિમાન પર્વ'નો ભવ્ય પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ મહોત્સવના ભાગરૂપે સોમનાથ મંદિરમાં સતત...

અંબાજી મંદિરના શિખર પર નહિ ચઢે 5 મીટર કરતાં લાંબી ધજા ! આ કારણે લેવાયો નિર્ણય

અંબાજી : સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીના શ્રદ્ધાળુઓ માટે મહત્વના સમાચાર છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટે યાત્રાળુઓની સુરક્ષા અને ધાર્મિક પરંપરાઓની જાળવણીને ધ્યાને લઈને અંબાજી...

વિધાર્થીઓ અને વાલીઓ હવે પોર્ટલ પર ઘરે બેઠા શાળાઓની ફી જાણી શકશે, આ રીતે કરી લો ચેક

ગાંધીનગર : ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષણ પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે કોઈ પણ પ્રકારની સ્કૂલ ફી...