Wednesday, March 11, 2026

ગુજરાતમાં બુટલેગરો બેખૌફ! દારૂ ભરેલી ગાડી રોકવા જતા PSI પર ટ્રક ફરી વળ્યો, થયું મોત

spot_img
Share

અમદાવદ : કહેવામાં તો ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ હકીકત એ છે કે રાજ્યમાં બુટલેગરો બેફામ બન્યા છે. આવાં જ બુટલેગરને લીધે રાજ્યને એક હોનહાર PSIને ગુમાવવાનો વારો આવ્યો છે. રોડ બ્લોક કરીને ઉભેલા PSI પર ટ્રક ફરી વળ્યો હતો. આ અકસ્માતમાં PSI જે.એમ.પઠાણનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ અંગે SMCના IG નિર્લિપ્ત રાયે તપાસના આદેશ આપ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, મૂળ અમદાવાદના જુહાપુરામાં રહેતા અને સ્ટેટ મોનિટરિંગ સેલ એટલે કે SMC માં ફરજ બજાવતા PSI જે. એમ. પઠાણને દારૂની હેરફેરની બાતમી મળી હતી. SMC ટીમના PSI જે એમ પઠાણ આજે 5 નવેમ્બરના રોજ મોડી રાતે 2.30 વાગે દસાડાથી પાટડી રોડ ઉપર કઠાડા ગામ પાસે પહોંચ્યા હતા. તેઓને બાતમી મળી હતી કે, ત્યાંથી એક ક્રેટા ગાડી દારૂ ભરીને પસાર થનાર છે. જેથી કઠાડા ગામથી આગળ વળાંક ઉપર તેઓ SMC ની ટીમના માણસો સાથે બ્લોક કરીને ઉભા હતા. આ વખતે પાટડી તરફથી ક્રેટા કાર ટ્રેલરની બાજુમાંથી પસાર થતા તેને રોકવા જતા ટેલર અને ક્રેટા રોકાઈ ન હતી. આ વખતે ટ્રેલરના પાછળના ભાગે SMC ટીમની ફોર્ચ્યુનર ગાડી આવતી હતી. તેની લાઈટ જોઈ PSI જેએમ પઠાણ બચવા જતા ટેલરના પાછળના ભાગે અથડાયા હતા. તો આ સાથે જ ટીમનો પોલીસ હેડ કોન્સ્ટેબલ રોડની ડાબી બાજુ ફંટાઈ ગયો હતો. આમ ક્રેટા ગાડીને રોકવા જતા વચ્ચે ટ્રેલર આવી જતા PSI પઠાણ ટેલરની પાછળના ભાગે ભટકાયા હતા. તેઓને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

ગંભીર રીતે ઈજાગ્રસ્ત જેએમ પઠાણને પ્રથમ દસાડા PHC સેન્ટર પર અને ત્યાર બાદ વિરમગામ સરકારી દવાખાને લઈ જવાયા હતા. જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે દસાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અકસ્માતમાં દિનેશ રાવત અને કૃષ્ણદેવસુંહ જાડેજા પણ ઈજાગ્રસ્ત થયા છે, જેઓ હાલ સારવાર હેઠળ છે.

આ તરફ. PSIના આકસ્મિક મોતથી પરિવારજનોમાં પણ શોકનો માહોલ ફેલાયો છે. સમગ્ર મામલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું. તેમણે PSIને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે ગુજરાતે એક કર્મનિષ્ઠ અધિકારીને ગુમાવ્યા છે.

આ પછી PSIના અકસ્માતની તપાસ માટે આઠ ટીમો બનાવાઈ છે. અકસ્માત સર્જનાર ટ્રેલર અને બુટલેગરની કાર શોધવા માટે અલગ અલગ ટીમોને જવાબદારી સોંપાઈ છે. સુરેન્દ્રનગર DYSP ના નેતૃત્વ માં 8 ટીમો બનાવાઈ છે. ઘટનાસ્થળની આસપાસના 70 કિલોમીટર વિસ્તારના CCTV ફૂટેજ ચેક કરાઈ રહ્યા છે. દસાડા અને પાટડીના એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટની પણ તપાસ થશે.

વધુ વાંચો

સ્થાનિક સમાચાર

મોટા સમાચાર! 14-15 વર્ષની કિશોરીઓને ફ્રીમાં અપાશે ‘સર્વાઈકલ કેન્સર’ની રસી ! શું છે સર્વાઈકલ કેન્સર અને રસીનો ફાયદો?

ગાંધીનગર : ગુજરાતની દીકરીઓ હવે કેન્સર સામે વધુ સુરક્ષિત બનશે. કેન્દ્ર અને રાજ્ય સરકારે મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી ડગલું ભર્યું છે. દેશની ભાવિ...

સરકારી કચેરીમાં અધિકારીઓએ ધારાસભ્યો અને મંત્રીઓને માન-સન્માન આપવું પડશે, સરકારે કર્યો પરિપત્ર

ગાંધીનગર : રાજ્યમાં અધિકારીઓ અને જનપ્રતિનિધિઓ વચ્ચેનો તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. રાજ્ય સરકારના અધિકારીઓ ધારાસભ્યો કે મંત્રીઓને પણ ગાઠતા ન હોવાની ફરિયાદો...

પહેલા શૌચાલય અને હવે શ્વાન! શિક્ષકોને રખડતા શ્વાન ગણવા આદેશથી વિવાદ, નવો પરિપત્ર જાહેર

ગાંધીનગર : રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ અને કચેરીઓના કેમ્પસમાં વસતા શ્વાનોની સંખ્યા અંગે સચોટ માહિતી મેળવવા માટે શિક્ષણ વિભાગ તાકીદનો આદેશ આપવામાં આવ્યો છે,...

ગાંધીનગરમાં ગુંજ્યો ઠાકોર નાદ : અડધી રાતે સમાજનું ‘અભ્યુદય મહાસંમેલન’ શક્તિ પ્રદર્શન, ઉમટી પડ્યા લોકો

ગાંધીનગર : ગુજરાતના ઈતિહાસમાં પહેલીવાર અડધી રાતે કોઈ સમાજનું સંમેલન મળ્યું હોય તેવી ઘટના બની છે. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં યુવાશક્તિને જાગૃત કરવા, વ્યસનમુક્તિ,...

પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ સોમનાથ મંદિર ત્રિરંગાની રોશનીથી ઝળહળી ઉઠ્યું

સોમનાથ : દેશભરમાં જ્યારે 77મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીનો થનગનાટ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર ત્રિરંગા રોશનીથી ઝળહળી...

સરકારનો મોટો નિર્ણય : ગ્રામીણ આવાસ યોજનામાં માલિકીનો હક્ક સાથે વન ટાઈમ રાહત યોજના જાહેર

ગાંધીનગર : ગુજરાત સરકાર હંમેશા સામાન્ય માણસ અને છેવાડાના માનવીના ઉત્થાન માટે કાર્યરત રહી છે. આ દિશામાં વધુ એક ડગલું ભરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે...

વાહનચાલકો સાવધાન : મોડીફાઈડ સફેદ હેડલાઈટ હશે તો કાર્યવાહી થશે, વાહન વ્યવહાર વિભાગનો મોટો નિર્ણય

ગાંધીનગર : ગુજરાતના વાહનચાલકો માટે એક મહત્વના અને લાલબત્તી સમાન સમાચાર સામે આવ્યા છે. રાજ્યના વાહન વ્યવહાર વિભાગે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરી છે. આ...

DEOને તમામ ફાઈલ ઈ-સરકારથી મોકલવા આદેશ, આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી

ગાંધીનગર : રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને વધુ પારદર્શક અને ઝડપી બનાવવા માટે કમિશનર શાળાઓની કચેરી દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે રાજ્યની તમામ...